Site icon Health Gujarat

અઠવાડિયાના સાત દિવસ દરમિયાન પહેરો આ રંગના કપડાં, બગડેલા કામ થઇ જશે પૂરા અને મળશે સફળતા

અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. દરેક દિવસનું પોતાનું મહત્વ, રંગ અને શક્તિ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો દિવસ પ્રમાણે રંગની પસંદગી કરીને કપડાં પસંદ કરવામાં આવે તો તે દિવસની ઉર્જા વધુ શક્તિશાળી બને છે, સાથે જ ખરાબ ગ્રહોની અસર પણ ઓછી હોય છે. તે આપણા વ્યક્તિત્વને અસર કરે છે. તેથી આપણે જ્યાં પણ જઈએ, આપણે જે પણ કાર્ય કરીએ છીએ, તે દરેક કામ સકારાત્મક ઉર્જા સાથે થાય છે. આપણે આપણું કામ સાચા મનથી કરીએ છીએ, તેની વ્યક્તિઓ ઉપર સારી અસર પણ પડે છે અને આપણા બધા કામ આગળ વધે છે. તેથી જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમારે અઠવાડિયાના અલગ-અલગ દિવસે અલગ-અલગ રંગના કપડાં પહેરવા જોઈએ. હવે તમને મનમાં એ સવાલ થતો હતો કે ક્યારે ક્યાં રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું કે તમારે ક્યાં દિવસે ક્યાં રંગના કપડાં પહેરવા જોઈએ. જેથી તમારો દિવસ ઉર્જાથી ભરપૂર રહે અને તમારા દરેક કર્યો સફળ થાય.

અઠવાડિયા મુજબ કયા દિવસે ક્યાં રંગના કપડાં પહેરવા જોઈએ: –

Advertisement

1- સોમવારને ભોલેનાથનો દિવસ કહેવામાં આવે છે. સોમવારનો સ્વામી ચંદ્ર છે જે ઠંડકનું પ્રતીક છે. આ દિવસે તમારે હળવા રંગના કપડાં પહેરવા જોઈએ જેનાથી આંખોને આરામ પણ મળે છે. આ દિવસે સફેદ, ક્રીમ, હળવા ગુલાબી, આકાશ અને આછા પીળા રંગનાં કપડાં પહેરી શકાય છે.

image source

2- મંગળવાર સંકટમોચન હનુમાનજીનો દિવસ છે. મંગળવારે તેજસ્વી રંગનાં કપડાં પહેરવા જોઈએ. આ દિવસે કેસર, નારંગી, પીળો, લાલ રંગ પહેરવાથી આંતરિક ઉત્સાહ અને કાર્ય ક્ષમતા વધે છે.

Advertisement
image source

3- બુધવારે ભગવાન ગણેશજીને અર્પણ કરવામાં આવે છે. ગણેશજીને લીલો રંગ પસંદ છે. આ દિવસે, લીલા અથવા સમાન રંગના કપડાં પહેરવા જોઈએ. તેને પહેરવાથી બુધ સંબંધિત સમસ્યાઓ થશે નહીં.

image source

4- ગુરુવાર ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. આ દિવસે પીળા, સોનેરી અથવા નારંગી રંગના કપડાં પહેરવા જોઈએ. આ ઉપરાંત ઘરેથી બહાર નીકળતી વખતે હળદરનું તિલક લગાવો. આ તમારી સકારાત્મક ઉર્જાને સુધારશે અને તમારું કાર્ય સરળ બનાવશે.

Advertisement
image source

5- શુક્રવારનો દિવસ માતા દેવીનો દિવસ છે. માતારાણીને લાલ રંગ ગમે છે. તેથી આ દિવસે લાલ રંગના કપડાં પહેરો. આ સિવાય ફૂલોની પ્રિન્ટવાળા કપડાં પણ પેહરી શકાય છે.

image source

6- શનિવાર શનિદેવને અર્પણ કરવામાં આવે છે. શનિદેવને કાળો, વાદળી રંગ પસંદ છે. કાળા, ઘેરા બદામી, ઘેરા વાદળી અને જાંબુડિયા જેવા ઘાટા રંગો શનિવારે પહેરવા જોઈએ.

Advertisement
image source

7- રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ માનવામાં આવે છે. સૂર્યદેવને લાલ રંગ પણ પસંદ છે. આ દિવસે લાલ, નારંગી, પીળા અને સોનેરી રંગનાં કપડાં પહેરવા જોઈએ. આ તમારી શારીરિક ઉર્જા વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version