Site icon Health Gujarat

બાળકના માથા નીચે ઓશિકું રાખો છો તો સાવધાન, સર્જાઈ શકે છે મોટી સમસ્યા

માતાપિતા તેમના બાળકને ઉછેરવામાં કોઈ કસર છોડતા નથી. ખાસ કરીને નવજાત બાળકની ખૂબ કાળજી લેવી પડે છે જેથી તેને કોઈ તકલીફ ન પડે. તેના આરામમાં કોઈ અડચણ ન આવે. તેને શારીરિક સમસ્યા ન હો. ઘણીવાર ઘણા માતા-પિતા બાળકને નાની ઉંમરે બેડસાઇડ પર ઓશીકું રાખે છે. પરંતુ તેમ કરવું તમારા બાળકના સ્વાસ્થ્ય માટે સારું નથી. શું તમે જાણો છો કે જન્મ પછી લગભગ બે વર્ષની વય સુધી બાળકના માથાના ઓશીકું રાખવું યોગ્ય નથી?

image source

ઓશિકાઓનો ઉપયોગ નાના બાળકો માટે જોખમી

Advertisement

કેટલાક સંશોધન પરથી સામે આવ્યું છે કે ઓશિકાઓનો ઉપયોગ નાના બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે. ઓશીકું બાળકોને ગૂંગળામણ કરી શકે છે અથવા શિશુનું અચાનક મૃત્યુ થવાનું જોખમ રહેલું છે (Sudden Infant Death Syndrome).

બાળકના માથા પર તેલ નાખવામાં આવે છે, ઘણાં માતાપિતા ગેપ કરીને બાળકને સ્નાન કરાવે છે, જેનાથી ઓશીકા પર તેલ અને ગંદકી એકઠી થાય છે, જેના કારણે તેમના માથા પર ફોલ્લીઓ અથવા ત્વચાની સમસ્યા પણ થઈ શકે છે.

Advertisement

ઓશીકાનો ઉપયોગ ક્યારે કરવો

image source

કેટલાક બાળ ચિકિત્સકોના જણાવ્યા મુજબ, બાળકોને ઓશીકું ક્યારે અને કઈ ઉંમરે આપવુ જોઈએ તે માટે કોઈ નિશ્ચિત સૂત્ર નથી. તો કેટલાક માને છે કે એક વર્ષની ઉંમરે બાળકના માથા પર ઓશીકું મૂકવું શ્રેષ્ઠ છે.

Advertisement

આનાથી તેમનું માથું પ્રોપર આકાર લઈ શકે છે, પરંતુ ઓશીકું જ્યારે રાખો ત્યારે આ વાતનો ખ્યાલ રાખો કે બાળક પડખુ ફરી શકે તે રીતે રાખો, નહીં તો માથાનો આકાર એક બાજુથી બદલાઈ શકે છે, જે પછીથી ઠીક કરવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે.

કેવુ હોવુ જોઈએ ઓશીકું

Advertisement
image source

બાળક માટે હલકું, નાનુ અને સપાટ ઓશીકુ વાપરો. ઓશીકાની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો. તેમના માથામાં નરમ ફરવાળું ઓશીકું ન મૂકશો. આવુ ઓશીકું એલર્જીનું કારણ બને છે.

ઓશીકું નરમ કે સોલિડ તેને ચકાસવા માટે પહેલા તેને તમારા હાથથી દબાવો અને જુઓ કે તે કેટલા સમય તેના મુળ કદમાં પાછુ આવે છે. જો તે તેના આકારમાં મોડું આવે છે, તો સમજી લો કે ઓશીકું એકદમ સખત છે. જો તુરંત જ તેના આકારમાં આવી જાય તો તે ઓશીકું ખૂબ નરમ હોય છે.

Advertisement
image source

પોલિએસ્ટર કવર ન લગાવો

ધ્યાનમાં રાખો કે બાળક માટે ખૂબ સખત અથવા ખૂબ નરમ ઓશીકું ન લેવું જોઈએ. ફક્ત પોલિએસ્ટર ઓશિકા ખરીદો. તે નોન-એલર્જિક હોય છે. સાથે તે કુદરતી ફાઇબર ઓશિકા કરતાં પણ વધુ ટકાઉ હોય છે. ઓશીકું પર ક્યારેય પોલિએસ્ટર કવર ન લગાવો. તેનાથી માથાની ગરમી વધે છે.

Advertisement
image source

આ સ્થિતિમાં, બાળકને તાવ આવવાની શક્યતા વધી જાય છે. જો સુતરાઉ કાપડનું કવર હોય તો તેનાથી આરામદાયક અનુભવ થસે અને બાળકને કોઈ ગરમી પણ નહીં થાય. પોલિએસ્ટર વધારે પડતો પરસેવો થાય છે,છે, જે ફોડકીઓની સંભાવના વધારે છે. કેટલાક બાળકો ખૂબ માથું હલાવે છે. ઓશીકું રાખ્યા બાદ જો બાળક વધુ માથું આમ તેમ ફેરવે તો ઓશીકું કાઢી નાખો.

image source

બની શકે તે હળવાશ અનુભવતું ન હોય. થોડા દિવસ પછી ફરી પ્રયાસ કરો. જો તે માથું ખસેડ્યા વિના ઓશિકા પર યોગ્ય રીતે સૂઈ જાય છે, તો પછી ફક્ત તેના માથા પર ઓશીકું મૂકો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version