શું તમારું બાળક વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે ? ખરેખર, બાળકોનું શરીર ખૂબ જ નાજુક હોય છે કારણ કે તેમના શરીરનો વિકાસ થઈ રહ્યો હોય છે, તેથી પાચક સિસ્ટમથી લઈને બીજી સિસ્ટમ્સ સંપૂર્ણ વિકસિત હોતી નથી. તેમની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી હોય છે, તેથી તેઓ ચેપ અને આરોગ્યની અન્ય સમસ્યાઓનો શિકાર બને છે. બાળકોને મોટા ભાગે પેટમાં દુખાવો થવાની ફરિયાદો કરે છે. પરંતુ જો બાળકને અવારનવાર પેટમાં દુખાવો થાય છે, તો તમારે આ વિશે થોડી તપાસ કરાવવાની જરૂર છે, જો પેટનો દુખાવો ઘણા દિવસો સુધી ચાલુ રહે છે અથવા જો પીડા ખૂબ તીક્ષ્ણ હોય તો ડોક્ટરને તરત જ મળવું જોઈએ. તે ગંભીર આરોગ્ય સમસ્યાની નિશાની હોઈ શકે છે અથવા શરીરના અન્ય ભાગોમાં પણ સમસ્યા હોઈ શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ બાળકોમાં થતા પેટમાં દુખાવાના લક્ષણો, સારવાર અને આ દુખાવો સામાન્ય ગણવો કે નહીં.
બાળકોના પેટમાં દુખાવો –
પેટની પીડા એ તમામ ઉંમરના બાળકોમાં સામાન્ય સમસ્યા છે. આનું કારણ સામાન્યથી લઈને ગંભીર હોઈ શકે છે. પીડા સમગ્ર પેટમાં અથવા પેટની એક બાજુ થઈ શકે છે. પેટમાં દુખાવો પણ પાચનતંત્ર સાથે સંકળાયેલી સમસ્યાઓના કારણે થઈ શકે છે. જો પેટમાં દુખાવાનું કારણ નાનું છે, તો ટૂંકા સમયમાં જ આ સમસ્યામાંથી નિરાકરણ મળી શકે છે. પરંતુ જો સમસ્યા લાંબા સમય સુધી રહે છે, તો પછી સારવાર જરૂરી છે.
અત્યારે બાળકો કોઈપણ બીમારીનું કહે છે તો માતા-પિતા તેમનું બહાનું જાણીને અવગણે છે, ઘણીવાર આ બની શકે છે કારણ કે શાળા અથવા ટ્યુશન પર ન જવાના નવા-નવા બહાના બાળકો શોધતા હોય છે, પરંતુ પેટમાં દુખવાની ફરિયાદ આપણે સામાન્ય ન ગણવી જોઈએ. ઘણીવાર આ સામાન્ય ગણાતી ફરિયાદ મોટું સ્વરૂપ લઈ શકે છે અને તમારા બાળકોને ગંભીર રોગ થઈ શકે છે. તેથી જો તમારું બાળક સતત 4 થી 5 દિવસ સુધી પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે તો તરત જ ડોક્ટર પાસે તેમની તપાસ કરાવો અને યોગ્ય સારવાર મેળવો.
બાળકોમાં પેટમાં દુખાવાના કારણો
બાળકોમાં પેટમાં દુખાવો ઘણા કારણોસર થઈ શકે છે. મોટે ભાગે, કોઈ ગંભીર કારણ નથી, પરંતુ કેટલીકવાર તે ગંભીર આરોગ્ય સમસ્યાની નિશાની પણ હોઈ શકે છે.
બાળકોમાં પેટમાં દુખાવો થવાના સામાન્ય કારણો
- – કબજિયાત
- – ગેસ
- – ડાયરિયા
- – અતિશય પ્રિય ચીજોનું સેવન કરવું
- – અપચો
પેટમાં દુખાવોના ગંભીર કારણો
- – ડાયરિયા
- – ચેપ
- – એપેન્ડિક્સ
- – ગેલ બ્લેડર સ્ટોન
- – ગળામાં ચેપ
- – ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ
- – દૂધ અને ફૂડ એલર્જી
- – પેટમાં અલ્સર
- – પેટમાં સોજો
પેટના દુખાવાના કારણ શોધવા માટેના જરૂરી પરીક્ષણો
પેટમાં દુખાવો ઘણાં કારણોસર થાય છે, તેથી પીડાના ચોક્કસ કારણોને શોધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે અનેક પ્રકારના પરીક્ષણો કરવામાં આવે છે. આ પરીક્ષણ વિશે જાણો-
શારીરિક પરીક્ષણ
શારીરિક પરીક્ષણમાં ડોકટરો એ શોધવાનો પ્રયાસ કરે છે કે દેખાવો ક્યાં અને કેમ થાય છે. ત્યારબાદ સારવાર શરૂ કરવામાં આવે છે.
યુરિન ટેસ્ટ
યુરિન ટેસ્ટની મદદથી પેટમાં દુખાવો થવાનું કારણ પણ શોધી શકાય છે. તેથી, જ્યારે ઘણા દિવસો સુધી બાળકોને પેટમાં દુખાવો થાય છે, ત્યારે ડોક્ટર તેમના યુરિન ટેસ્ટ કરાવવાનું કહે છે. યુરિન ટેસ્ટ પરથી ચેપ વિશે ખબર પડે છે.
સ્ટૂલ ટેસ્ટ
સ્ટૂલમાં બેક્ટેરિયા, પરોપજીવી અથવા લોહીની હાજરી તપાસવા માટે સ્ટૂલ પરીક્ષણ કરવામાં આવે છે. પેટમાં થતા દુખાવાના કારણો સ્ટુલ પરીક્ષણ પરથી પણ શોધી શકાય છે.
લોહીની તપાસ
પેટના દુખાવાના કારણો શોધવા માટે રક્ત પરીક્ષણ પણ કરી શકાય છે. આ દ્વારા, એમીલેઝ અને લિપેઝ સ્તર અને સ્વાદુપિંડની કામગીરીની તપાસ કરવામાં આવે છે.
ઇમેજિંગ ટેસ્ટ
આંતરિક અવયવો અને પેશીઓમાં કોઈ ખલેલ શોધવા માટે ડોકટરો એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ અથવા સીટી સ્કેન માટે પણ કહી શકે છે.
પેટમાં થતા દુખાવાની સારવાર
પેટમાં દુખાવો થવાના કારણોના આધારે પેટમાં દુખાવાની સારવાર કરવામાં આવે છે. જો પીડા ચેપને કારણે છે તો આ માટે દવાઓ આપવામાં આવે છે. જો પેટમાં દુખાવો દૂધની એલર્જીના કારણે હોય, તો ડોક્ટર બાળકને દૂધ અને દૂધના ઉત્પાદનો આપવાનો ઇનકાર કરી શકે છે. જો પેટમાં દુખાવો સાથે ડાયરિયા અને ઉલ્ટીની સમસ્યા થાય છે, તો પછી બાળકને દવાઓ સાથે પૂરતા પ્રમાણમાં પ્રવાહી આપવી જરૂરી છે, જેથી બાળકના શરીરમાં પાણીનો અભાવ ન રહે. બાળક બરાબર ન થાય ત્યાં સુધી તેને હળવા અને સુપાચ્ય ખોરાક આપો. જો કોઈ ગંભીર સમસ્યાના કારણે બાળકોને પેટમાં દુખાવો થાય છે, તો આ સમસ્યાની યોગ્ય સારવાર કરવામાં આવે છે.
આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરને મળો.
કેટલીકવાર પેટમાં દુખાવો, પેટ સાફ ન થવું અથવા ભૂખ ઓછી થવી જેવી સમસ્યાઓ દરેક સાથે થાય છે, પરંતુ જો પેટને લગતી સમસ્યાઓ વારંવાર થતી જ રહે છે, તો તેને અવગણો નહીં. જો આવી સમસ્યાઓ થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
- – બાળકનું પેટ ફૂલીને કડક થઈ જવું
- – પેટમાં અચાનક દુખાવો થવો અને ઝડપથી વધવો
- – સ્ટૂલ અથવા ઉલ્ટીમાં લોહી નીકળવું
- – કબજિયાતના કારણે બાળકનું સ્ટુલ ન નીકળવું
- – નાભિમાં દુખાવો, ઉલ્ટી થવી, તેમજ તાવ અને ભૂખ ઓછી થવી
- – નીચલા પેટમાં સોજો આવવો, આ હર્નીઆને કારણે પણ હોઈ શકે છે.
- – ઉપલા પેટની જમણી બાજુએ દુખાવો. આ કમળો થવાને કારણે હોઈ શકે છે.
- – છોકરીઓને અચાનક પેટમાં દુખાવો અને ઉલ્ટી થવી. આ અંડાશયની કોથળીને કારણે પણ થઈ શકે છે.
પેટમાં થતા દુખાવાથી આ રીતે બચો
બાળકો નિર્દોષ હોય છે, તેમની સમજણ થોડી ઓછી હોય છે. તેથી માતાપિતાની જવાબદારી છે કે તેઓ તેમના ખોરાક અને અન્ય વસ્તુઓની કાળજી લેશે. જેથી બાળક તંદુરસ્ત રહી શકે અને પેટના દુખાવાની સમસ્યાઓથી બચી શકે.
- – બાળકોને ફાસ્ટ ફૂડ અને જંક ફૂડને બદલે ઘરે બનાવેલું ફૂડ ખવડાવો.
- – તમારા બાળકોને ફણગાવેલા અનાજને ખવડાવો કારણ કે શરીર તેમને સરળતાથી પચાવે છે.
- – તેના આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. ખોરાકમાં એક તૃતીયાંશ ફળો અને શાકભાજી અને બે તૃતીયાંશ અનાજ હોવા જોઈએ.
- – બાળકોને દર ત્રણ કલાકે કંઈક ખાવાનું આપો.
- – બાળકોને ઓછામાં ઓછા દસ કલાક સૂવા દો. આ તેમના મેટાબિલિઝમમાં સુધારો કરશે.
- – તમારા બાળકને જમ્યા પછી તરત સૂઈ ન જવા દો. જમ્યા પછી એમને થોડો રમવા માટે અથવા અન્ય પ્રવૃત્તિ માટે સમય આપો. જેથી તેમનો ખોરાક સરળતાથી પચી જાય.
- – તમારા બાળકોમાં બાળપણથી જ સ્વચ્છતાની આદત રાખો, જેથી બાળકો ચેપનો શિકાર ન બને. આગળ જતા તેમને સ્વચ્છતા અને અસ્વચ્છતા વિશે ખબર પડે.
- – જો તમારા બાળકને પણ વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ થાય છે, તો તેને બિલકુલ અવગણો નહીં. કારણ કે પેટમાં તીવ્ર દુખાવો સ્વાસ્થ્ય સમસ્યાને કારણે પણ થઈ શકે છે. તેથી, ડોક્ટરનો સંપર્ક કરો અને જરૂરી પરીક્ષણ કરાવો અને બાળકના પેટમાં થતા દુખાવાની સારવાર સમયસર કરાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત