Site icon Health Gujarat

બેટરીની લાઇફ વધારવાની સાથે આંખોના સોજા દૂર કરે છે ફ્રિઝર, જાણો અન્ય ટિપ્સ

ફ્રિઝનો ઉપયોગ ફક્ત શાક-ફળો અને ખાવાનું ફ્રેશ રાખવા માટે જ હોતો નથી. આ સિવાય પણ તેનો ઉપયોગ અનેક કામમાં કરી શકાય છે. રસોઇ, રૂટિન કે અન્ય અનેક જરૂરી ચીજો સાથે જોડાયેલી સમસ્યાનું સોલ્યુશન છે.

image source

જીન્સની સ્મેલ દૂર કરવા માટે તેને પોલિથિનમાં રાખીને ફ્રિઝરમાં રાખો. સ્મેલની સાથે બેક્ટેરિયા પણ નષ્ટ થશે, તેનાથી જીન્સનો કલર ફેડ થશે નહીં.
જૂતાની સ્મેલથી પરેશાન છો તો તેને ઝિપલોકમાં રાખીને આખી રાત ફ્રિઝમાં રહેવા દો. તેનાથી તેની સ્મેલ અને બેક્ટેરિયા નષ્ટ થશે અને બીજા દિવસે સવારે તેને તડકામાં રાખો.

Advertisement
image source

જો નવા ફૂટવેર તમારા પગમાં નથી આવતા તો તમે તેને પ્લાસ્ટિકની ઝિપલોક બેગ્સમાં પાણી ભરીને બંધ કરી દો અને ફૂટવેરને ફ્રિઝરમાં રાખો. 7-8 કલાકમાં પાણી જામી જશે તો ફૂટવેર થોડા સ્ટ્રેચ થશે.

image source

ઊનના સ્વેટર્સ હોય કે કાશ્મીરી, તેના રૂંછા નીકળી રહ્યા છે તો તેને એક પોલિથિન બેગમાં રાખીને ફ્રિઝરમાં રાખો, વચ્ચે એક – બે વાર તેની પોઝિશન બદલતા રહો.

Advertisement

કોઇ બેવરેજને જલ્દી ઠંડું કરવું હોય તો તે બોટલને પેપર ટોવેલથી લપેટીને ફ્રિઝરમાં રાખો. ફક્ત 15 મિનિટમાં તે આઇસ કોલ્ડ થઇ જશે.

image source

સેલ કે બેટરી પણ ફ્રિઝરમાં રાખો. તેનાથી તેની લાઇફ વધે છે. તેને યુઝ કરતાં પહેલાં તેને થોડો સમય સુધી ર>મ ટેમ્પ્રેચર પર રાખો.

Advertisement

મીણબત્તીને હંમેશા ફ્રિઝરમાં રાખો, તેનાથી તે વધારે સમય ચાલે છે.

image source

કોઇપણ મોજા કે કપડાના બેગમાં ચોખા ભરીને ફ્રિઝરમાં બે કલાક રાખો, સૂતા સમયે શરીરના જે પણ ભાગમાં દર્દ હોય ત્યાં તેનાથી શેક કરો. રાહત મળશે.

Advertisement

આખી રાત ફ્રિઝરમાં રાખેલી ચમચીથી આંખોની આસપાસ 30-4- સેકંડ સુધી શેક કરો. તેનાથી આંખોનો સોજો ઓછો થાય છે.

કૉફીને ઉકાળીને તેને ઠંડી કરો. આઇસ ટ્રેમાં ભરો. જ્યારે પણ કૉફી પીવાનું મન થાય તો આ આઇસ ક્યૂબ્સને તમે તેમાં નાંખી શકો છો.

Advertisement
image source

પેટ્સના પિલોમાં ખૂબ જ ડસ્ટ અને બેક્ટેરિયા હોય છે, તેને પ્લાસ્ટિકની બેગમાં રાખીને ફ્રિઝરમાં 48 કલાક કલાક રહેવા દો. તેને ઝાટકીને યુઝ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version