Site icon Health Gujarat

શું તમે ક્યારેય કાળા ચોખા ખાધા છે ? જાણો આ ફાયદાઓ આજથી જ ખાવાનું કરી દેશો શરૂ

આજકાલ ચોખા એવી વસ્તુ છે, જેને તમારા આહારમાં ઘણી રીતે શામેલ કરી શકાય છે. તમારામાં ના ઘણા એવા હોઈ શકે છે જેમને સફેદ ચોખા ખાવાનું ગમે છે, પરંતુ કેટલાક તેમના સ્વાસ્થ્યને કારણે તેમના આહારમાં બ્રાઉન રાઇસ પસંદ કરી શકે છે. કાળા ચોખા તેના ઔષધીય ગુણધર્મો અને પોષક તત્વો ને કારણે ખાવામાં આવે છે, કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

કાળા ચોખાના ફાયદા :

Advertisement
image soucre

કાળા ચોખા મગજ માટે ખૂબ ઉપયોગી છે. જો તમારું મન નબળું હોય અથવા વસ્તુઓ ઝડપથી ભૂલી જાવ તો તમે આ ચોખા ખાઈ શકો છો. તેમાં ફાઇબર ભરપૂર હોય છે, જે તમારા પાચન તંત્ર માટે ખૂબ જ સારું છે. જો તમારું પેટ ખરાબ હોય તો તમે આહારમાં કાળા ચોખાનો સમાવેશ કરી શકો છો.

ચોખામાં રહેલા તમામ પોષક તત્વો આંખો નું ધ્યાન રાખે છે. જો તમે આંખની સમસ્યાઓથી પીડાતા હોવ તો તમે કાળા ચોખા ખાઈ શકો છો. વજન ઘટાડવા માટે કાળા ચોખા એ વધુ સારો વિકલ્પ છે. તે સફેદ ચોખા કરતાં વધુ ફાયદાકારક છે. પણ તેનું વધુ પડતું સેવન ન કરો.

Advertisement
image soucre

કાળા ચોખા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલ ને પણ ઘટાડે છે, જે હૃદય માટે સારું માનવામાં આવે છે. તેનાથી હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછું થાય છે. એન્ટીઓકિસડન્ટો થી ભરપૂર હોવાથી, તે આપણી રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે. તે જ સમયે, તે શરીરના ઝેરી તત્વોને પણ દૂર કરે છે. ઉપરાંત ત્વચાને ચમકદાર બનાવે છે અને આંખો માટે પણ ફાયદાકારક છે. ડાયાબિટીસ અને સંધિવાવાળા દર્દીઓના સ્વાસ્થ્ય માટે પણ કાળા ચોખા સારા માનવામાં આવે છે.

જેમ કે અમે તમને પહેલા જણાવી ગયા છીએ કે કાળા ચોખાને તેના પોષક ગુણો ના લીધે ઓળખાય છે. કાળા ચોખા એન્ટી-ઓક્સીડેંટ ના ગુણોથી ભરપુર હોય છે. જણાવી દઈએ કે એન્ટી-ઓક્સીડેંટ આપણા શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરનાર હોય છે.

Advertisement
image soucre

એમ તો કોફી અને ચા માં પણ એન્ટી-ઓક્સીડેંટ મળી આવે છે, પણ કાળા ચોખા માં તેનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તેનાથી તે શરીરને ડીટોક્સ કરે છે જેનાથી ઘણી જાતની બીમારીઓ અને આરોગ્ય સબંધી તકલીફો દુર રહે છે. માટે તેને કેન્સરના ઈલાજ માટે સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે.

image soucre

જો નિષ્ણાંતોની વાત માનીએ તો આ ચોખાની ખેતી મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લા ઉપરાંત યુપીના મિર્ઝાપુર અને ચાંદૌલીમાં થાય છે. તેની ખેતીમાં સામાન્ય ચોખા કરતા ઓછા પાણીની જરૂર પડે છે. તેની માંગ તામિલનાડુ, બિહાર, રાજસ્થાન, મુંબઇ, હરિયાણા અને વિદેશ સહિત અનેક ભાગોમાં વધી રહી છે. આ ચોખા લગભગ ત્રણસો થી ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ કિલો વેચાય છે.

Advertisement
Advertisement
Exit mobile version