Site icon Health Gujarat

વરસાદી વાતાવરણમાં છાશ પીવાથી હાઇ બ્લડ પ્રેશર રહે છે નિયત્રિંતમાં, જાણો બીજા આ ફાયદાઓ વિશે પણ

દરેકને દહીં અને છાશ ખાવાનું પસંદ હોય છે. પરંતુ જ્યારે આ બંને વચ્ચે ફાયદાની વાત કરવામાં આવે છે, ત્યારે છાશ વધારે ફાયદાકારક હોવાનું કહેવાય છે. લોકો એવું પણ માને છે કે વરસાદની ઋતુમાં દહીંને બદલે છાશ લેવાનું વધુ સારું છે. દહીં ફક્ત છાશ બનાવવામાં આવે છે, તેથી સવાલ થાય છે કે દહીં કરતાં છાશ કેવી રીતે વધારે ફાયદાકારક હતું? ચાલો જાણીએ છાશના ફાયદા.

image source

છાશ મીઠી, ખાટી અને તૂરી એમ ત્રણ પ્રકારના સ્વાદવાળી છે. છાશ પચવામાં લઘુ એટલે કે સહેલાઈથી પચી જાય એવી, તથા આહારનું પાચન કરાવીને ભૂખ લગાડનાર અને રુક્ષ છે. તે કફ અને વાયુના રોગોમાં ઉત્તમ છે.

Advertisement
image source

છાશને ઘણા લોકો ઠંડી માને છે, પરંતુ છાશ સ્વભાવે ઉષ્ણ છે. તે લીવરની વૃદ્ધિ, સોજા, અતિસ્રાવ, સંગ્રહણી, પાઈલ્સ, ઉદર રોગો, કબજિયાત, પાંડુરોગ, અરુચિ, તૃષ્ણા, ઉનવા, શૂળ અને મેદ માટે ઉત્તમ છે. મધુર એટલે મીઠી છાશ કફને ઉત્પન્ન કરે છે તથા પિત્તને શાંત કરે છે.

image source

જ્યારે અતિ ખાટી છાશ વાયુનો નાશ કરે છે અને પિત્તને વધારે છે. હિંગ, જીરું અને સિંધાલુણ નાખેલી છાશ અતિ સારી એટલે વાયુને એકદમ મટાડે છે. તે અર્શ એટલે મસા અને અતિસાર એટલે પાતળા ઝાડા માટે અતિ ઉત્તમ છે. મૂત્રપ્રવૃત્તિમાં તકલીફ હોય અને તે ટીપે ટીપે આવતું હોય ત્યારે છાશનો ગોળ સાથે અને પાંડુરોગમાં મૂળ સાથે ઉપયોગ હિતાવહ છે.

Advertisement
image source

જ્યારે દહીંને મથીને છાશ બનાવવામાં આવે છે, ત્યારે તેનું સ્વરૂપ બદલાય છે. સ્વરૂપ બદલવાથી છાશ પચવામાં સરળતા રહે છે અને તે ઝડપથી પચે છે. આ રીતે છાશ પાચન માટે સારી બને છે. છાશનો ઉપયોગ દહીં કરતા વધારે તાપમાનવાળા પીણા તરીકે થાય છે. જો નિયમિત રીતે સવારના નાસ્તા બાદ અને બપોરના ભોજન બાદ જો છાશ પીવામાં આવે તો તેનાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે. એમાં પણ જો છાશ એ ગાયના દૂધમાંથી બનેલી હશે તો તે અમ્રુત સમાન કહી શકાઈ છે.

image source

છાંસ પીવાથી રોગો આપણી આસપાસ પણ નથી ભટકતા અને કેટલાક એવા રોગો જ દૂર થાય છે તે ફરી ક્યારેય થતા નથી. પેટને લગતા રોગો જેવા કે અપચો, કબજિયાત જેવી ગંભીર સમસ્યામાં છાશનું સેવન નિયમિત કરવાથી થોડાજ દિવસમાં તે સમસ્યા દૂર થાઈ છે. ઝડપી પાચનમાં પણ છાશ ઉપયોગી અને રાહતનાં ગુણધર્મવાળી આ છાશ મસાલાવાળા ખોરાક ખાધા પછી પેટમાં રાહત આપે છે. છાશમાં વિટામિન બી 12, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.એક સર્વે અનુસાર છાશ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં બાયોએક્ટિવ પ્રોટિન રહેલું હોય છે. જે કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં આવે છે. જ્યારે છાશ એ હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે.

Advertisement

છાશનું સેવન કોણે ના કરવું ?

image source

ગ્રીષ્મ અને શરદ ઋતુમાં ખાટી છાશ કદાપી પીવી નહીં. આ સિવાયની ઋતુમાં વૈદકિય સલાહ મુજબ છાશનું સેવન કરવામાં આવે તો પરમ ઉપકારક ઔષધિ રૂપ છે. વિધિવત સેવન કરાયેલી છાશ બળ, વર્ણ, ઉત્સાહ અને ઓજને વધારીને રોગોને દૂર કરીને સ્વાસ્થ્ય તથા સૌંદર્યને સાચવનાર પૃથ્વીલોકમાં અમૃત સમાન ઉપકારક પીણું છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version