Site icon Health Gujarat

કોરોના પોઝિટિવમાંથી જલદી નેગેટિવ થવા ઘરે જ કરો આ 3 કસરત, વિકનેસ લાગશે ઓછી અને સાથે રિકવરી થશે ફાસ્ટ

અમે તમને ત્રણ પ્રકારના વર્કઆઉટ્સ વિશે જણાવી રહ્યાં છીએ જે તમને કોવિડ -19 પર કાબુ મેળવવામાં મદદ કરી શકે છે. પરંતુ આ વર્કઆઉટ્સ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હાલમાં, મોટાભાગના લોકો કે જેઓ કોરોના પોઝિટિવ છે તેમને કહેવામાં આવે છે કે તેઓએ કોઈ પણ પ્રકારની ઉતાવળ ન બતાવી અને સંયમ રાખવો જોઈએ. અને જો જોવામાં આવે તો આવું કોણ વિચારે છે કે જ્યારે લક્ષણો દેખાય છે ત્યારે વર્કઆઉટ શરૂ કરવાનું કેટલું ફાયદાકારક છે, જેથી તમે પછીથી મુશ્કેલીથી બચી શકો છો. તમે માનશો નહીં કે કેટલાક અભ્યાસ સૂચવે છે કે તમે કોરોનાથી ઝડપથી રિકવરી મેળવવા કરવા માટે કેટલાક વર્કઆઉટ્સનો ઉપયોગ કરી શકો છો. અમે તમને ત્રણ પ્રકારના વર્કઆઉટ્સ વિશે જણાવી રહ્યાં છે જે તમને કોરોનાને દૂર કરવામાં મદદ કરી શકે છે. તાજેતરના અભ્યાસમાં આ વર્કઆઉટ્સ ફાયદાકારક હોવાનું જણાવાયું છે, પરંતુ આ વર્કઆઉટ્સ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Advertisement
image source

જો તમે કોરોના પોઝિટિવ હો અથવા તમારામાં કોરોનાના લક્ષણો દેખાય છે, ત્યારે આ 3 વર્કઆઉટ્સ કરો

આ કસરતોમાં કોરોનાથી વહેલી તકે રિકવરી મળશે અને તમારા ફેફસાને સ્વસ્થ બનાવશે.

Advertisement

ચાલવું

image source

ચાલવું એ વર્ષોથી ઉત્તમ અને આરામદાયક કસરત માનવામાં આવે છે, જે તમે દરરોજ કોઈપણ સખત મહેનત વગર કરી શકો છો. જો કે, કોઈએ લોકડાઉનમાં ચાલવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તમે તમારા ઘરમા, ઘરના ટેરેસ, બગીચા અથવા ટ્રેડમિલ પર પણ ચાલી શકો છો. અમે તમને જણાવી દઇએ કે માત્ર એક કલાક ચાલીને, તમે 200-350 કેલરી સરળતાથી બર્ન કરી શકો છો.

Advertisement

સ્ટ્રેંથ ટ્રેનિંગ ઓફ આર્મ્સ

image source

સ્ટ્રેંથ ટ્રેનિંગ ઓફ આર્મ્સ એટલે તમારા હાથને મજબૂત કરવા વેઇટ લિફ્ટિંગ જેવી કસરતો કરવી. ચિંતા કરશો નહીં, આ માટે તમારે જીમમાં જવું પડશે નહીં કે ભારે વજન ઉંચકવું પડશે નહીં. તમે ઘરે જ 1-2 કિલોના સામાન સરળતાથી ઉંચકી શકો છો. આર્મ્સના સ્નાયુઓને મજબૂત કરવા માટે, તમારે દરરોજ ઓછામાં ઓછું 5 મિનિટ આર્મ્સ-વર્કઆઉટ કરવું આવશ્યક છે.

Advertisement

સ્ટ્રેંથ ટ્રેનિંગ ઓફ લેગ્સ

image source

સ્ક્વોટ્સ અને લાઉન્જ બે શ્રેષ્ઠ કસરતો છે જે તમારા પગને મજબૂત બનાવી શકે છે. તમારા કસરતની રૂટિનમાં એક દિવસમાં થોડો સમય તમારા પગ માટે જરૂરથી કાઢો. અડધા કલાકની સ્ટ્રેંથ ટ્રેનિંગ ઓફ લેગ્સ તમને 90 કેલરી બર્ન કરવામાં મદદ કરી શકે છે.

Advertisement

અભ્યાસ શું કહે છે

એક યુનિવર્સિટીએ તાજેતરમાં જ એક અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોરોના લક્ષણોવાળા દર્દીઓએ જયારે આ કસરતો કરી હતી, ત્યારે તેમના શ્વસન લક્ષણો, યાદશક્તિ અને થાકનાં લક્ષણોમાં સુધારો જોવા મળ્યો હતો. આ એવા દર્દીઓ માટે છે જેમને કોરોનાવાયરસ લક્ષણો હતા અને લગભગ 6 અઠવાડિયા પૂર્ણ થયા હતા. આ કાર્યક્રમ લગભગ અઢી મહિના સુધી ચાલ્યો હતો, જેમાં આ પ્રવૃત્તિઓ અઠવાડિયામાં બે વાર કરવામાં આવતી હતી.

Advertisement

આ સિવાય પણ કોરોનાવાળા દર્દી અથવા કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓએ આ કાળજી લેવી જોઈએ.

હળદરવાળું દૂધ

Advertisement
image source

કસરતો સિવાય તમે તમારા આહારમાં હળદરવાળું દૂધ પણ ઉમેરી શકો છો. આ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવશે, સાથે તમને શારીરિક અને માનસિક પણ સ્વસ્થ રાખશે. હળદરને વર્ષોથી આયુર્વેદિક ઉપચાર માનવામાં આવે છે. તેથી દૂધમાં હળદર મિક્સ કરીને આ મિક્ષણનું સેવન કરવાથી તમને ઘણો ફાયદો થશે.

લીંબુ પાણી

Advertisement
image source

લીંબુમાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી હોય છે. વિટામિન સી ઉનાળાના દિવસોમાં આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે, સાથે કોરોનાના દિવસોમાં પણ શારિરીમાં વિટામિનની ઉણપ દૂર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તેથી દવાઓના સેવનના બદલે તમે વિટામિન સીથી ભરપૂર લીંબુ પાણીનું સેવન કરી શકો છો.

બ્રોકોલી

Advertisement
image source

તમે બ્રોકોલીનો ઉપયોગ કચુંબર, શાકભાજી અને સૂપ તરીકે કરી શકો છો. બ્રોકોલીને પોષણનો ભંડાર કહેવામાં આવે છે. તેને ખાવાથી શરીરને વિટામિન અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ મળે છે. બ્રોકોલીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. એક કપ બ્રોકોલીમાં વિપુલ પ્રમાણમાં વિટામિન સી હોય છે જે કોલેજનના ઉત્પાદન માટે જરૂરી છે. બ્રોકોલીમાં બીટા કેરોટિન પણ હોય છે, જેને શરીર વિટામિન A માં ફેરવે છે.આ વિટામિન કોષોની રચનામાં પણ મદદ કરે છે, જે ત્વચાના જૂના કોષોને નવા કોષોથી બદલે છે. બ્રોકલી, કોબી જેવી શાકભાજી કેન્સર સામે લડવામાં મદદ કરે છે. બ્રોકલીમાં વિટામિન એ, સી અને ઇ તેમજ અન્ય ઘણા એન્ટીઓકિસડન્ટો અને ફાઈબર હોય છે. બ્રોકોલી એ આરોગ્યપ્રદ શાકભાજીમાંની એક છે. બ્રોકોલીમાં પ્રોટીન, કેલ્શિયમ કાર્બોહાઇડ્રેટ અને અન્ય ઘણા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેથી બ્રોકલી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

આમળા

Advertisement
image source

આમળાનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આમળામાં ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિ બંનેમાં વધારો કરવાની ક્ષમતા છે. તેથી, તેને રોગ પ્રતિરોધક ટોનિક પણ કહેવામાં આવે છે. બીજી તરફ, આમળા પર કરવામાં આવેલા સંશોધન સૂચવે છે કે આમળામાં હાજર એન્ટીઓકિસડન્ટ ગુણધર્મ ફ્રી રેડિકલની અસરને ઘટાડીને રોગપ્રતિકારક શક્તિ સુધારી શકે છે. આ આધારે, તે કહેવું ખોટું નહીં હોય કે આમળા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદગાર સાબિત થઈ શકે છે. સાથે તે શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યા પણ દૂર કરે છે.

શુદ્ધ ઘી

Advertisement
image source

લોકોમાં એવી માન્યતા છે કે ઘીના સેવનથી ચરબી વધે છે. ગાયના દૂધમાંથી બનાવેલા શુદ્ધ ઘીનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા મળે છે. તેનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહી શકો છો. ઉપરાંત, શુદ્ધ ઘી તમારી ત્વચા અને વાળને પણ સ્વસ્થ બનાવવામાં તમારી મદદ કરે છે. શુદ્ધ ઘીમાં વિટામિન એ, વિટામિન કે, વિટામિન ઇ, ઓમેગા -3 અને ઓમેગા -9 ફેટી એસિડ હોય છે. આ માટે દરરોજ એક ચમચી શુદ્ધ ઘીનું સેવન કરો. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તમને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે.

ગિલોય

Advertisement
image source

ગિલોયનો ઉપયોગથી વર્ષોથી આયુર્વેદિક દવાઓમાં થાય છે. તમે કોરોનાની સમસ્યા થવા પર અથવા તેના હળવા લક્ષણો દેખાવા પર ગિલોયનું સેવન કરી શકો છો. આ સિવાય ડાયાબિટીઝના દર્દીઓ ગિલોયનું સેવન કરી શકે છે. ડાયાબિટીઝમાં ગિલોયનું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલ રહે છે અને પાચનતંત્ર સુધરે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદગાર છે.

પાલક

Advertisement
image source

લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક એક સારો વિકલ્પ છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પાલક આયરન, વિટામિન અને ફાઈબરથી ભરપુર હોય છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તમે પાલકને કોઈપણ રીતે જેમ કે શાકભાજી, સૂપ, સલાડ અને જ્યુસ તરીકે ખાઈ શકો છો. પાલકનો ઉપયોગ કેન્સર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખરેખર, પાલક બીટા કેરોટિન અને વિટામિન-સીથી ભરપૂર છે અને આ બંને પોષક તત્વો કેન્સરના કોષો વિકસાવવાથી રક્ષણ આપી શકે છે. જો તમે વધેલા વજનથી પરેશાન છો, તો પાલકનું સેવન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ શક્ય છે કારણ કે પાલકમાં વજન ઘટાડવાથી સંબંધિત ગુણધર્મો છે. ખરેખર, વજન ઘટાડવા માટે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે ઓછી માત્રામાં કેલરી લો. પાલક એ ઓછી કેલરીવાળી ખોરાકની ચીજ છે, જે તમારા વધતા વજનને નિયંત્રણમાં રાખવા માટે આહારમાં શામેલ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version