Site icon Health Gujarat

ડાયટમાં અવશ્ય શામેલ કરો આ પાંચ વસ્તુઓ, મળશે એવા ફાયદા કે જાણીને તમને પણ લાગશે નવાઈ…

આજના સમયમાં શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત ની સાથે પૌષ્ટિક આહાર પણ જરૂરી છે. હેલ્ધી ડાયટ માત્ર પોષક તત્વો ની ઉણપને દૂર નથી કરતી, સાથે જ શરીર ને રોગો થી પણ બચાવે છે. કિડની શરીરમાં ફિલ્ટરની જેમ કામ કરે છે જે શરીરના ઝેરી પદાર્થ ને બહાર કાઢે છે. સ્વસ્થ રહેવાની સાથે કિડની ને પણ યોગ્ય રીતે કામ કરતી રાખો. આ બાબતો પર પણ ધ્યાનમાં દેવું ખુબ મહત્વપૂર્ણ છે.

નબળા આહાર થી કિડ ની ફેલ થઈ શકે છે. તેનાથી પથરી થી લઈને કેન્સર સુધીની કિડની ની સમસ્યા થઈ શકે છે. આપણામાંના મોટા ભાગના લોકો આપણા આહાર પર ધ્યાન આપતા નથી જે માત્ર શરીર માટે જ નહીં પરંતુ કિડની માટે પણ જોખમી છે. કિડની બરાબર કામ કરે, તે માટે તમારા આહારમાં તંદુરસ્ત વસ્તુઓનો સમાવેશ કરો.

Advertisement

પાલક

image soucre

લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન એ, સી, કે, આયર્ન, મેગ્નેશિયમ અને ફોલેટ નું પ્રમાણ વધારે હોય છે. પાલકમાં બીટા કેરોટીન હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કિડની ને સ્વસ્થ રાખવા માટે આહારમાં પાલક નો સમાવેશ કરો.

Advertisement

અનાનસ

image sourcce

આહારમાં અનાનસ નો સમાવેશ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. તેમાં ફાઇબર નું પ્રમાણ વધારે હોય છે, જે કિડની ના રોગોને રોકવામાં મદદ કરે છે. તે મેંગેનીઝ, વિટામિન સી થી સમૃદ્ધ છે, જે એન્ઝાઇમ્સ ની બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

Advertisement

કેપ્સિકમ

image soucre

કેપ્સિકમ માં એન્ટિ ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં નોંધપાત્ર માત્રામાં વિટામિન સી હોય છે. કિડની ને સારી સ્થિતિમાં રાખવા માટે કેપ્સિકમ ને તમારા આહારમાં શામેલ કરવું જોઈએ.

Advertisement

કોબીજ

કોબીજમાં વિટામિન સી, ફોલેટ અને ફાઇબર નો મુખ્ય સ્ત્રોત છે. તે શરીર ને સ્વસ્થ રાખે છે તેમજ ઝેરી પદાર્થો ને બહાર કાઢે છે. કોબીજ કિડની ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં સોડિયમ, પોટેશિયમ અથવા ફોસ્ફરસ નું પ્રમાણ વધારે નથી જે કિડની પર કોઈ દબાણ પેદા કરતું નથી.

Advertisement

લસણ

image soucre

લસણમાં સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ ઓછું હોય છે, જે કિડની રોગના દર્દીઓ માટે સારું છે. આહારમાં લસણ નું સેવન કરવાથી આપણી કિડની સ્વસ્થ રહે છે.

Advertisement

ડુંગળી

image soucre

ડુંગળીનો ઉપયોગ લગભગ તમામ પ્રકાર ની વાનગીઓમાં થાય છે. ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ હોય છે. આ એન્ટિઓક્સિડન્ટ્સ કિડની ને રોગો થી દૂર રાખવામાં મદદ કરે છે.

Advertisement

દ્રાક્ષ

image soucre

દ્રાક્ષ માં ફ્લેવોનોઇડ્સ ગુણધર્મો હોય છે. તે બળતરા ને રોકવામાં મદદ કરે છે. કિડની ને સ્વસ્થ રાખવા માટે તમે દ્રાક્ષનું સેવન પણ કરી શકો છો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version