Site icon Health Gujarat

જો તમને પણ કોફી પીવાની આદત હોય તો વાંચી લો કયો સમય છે તમારા માટે છે બેસ્ટ, જેનાથી તમને થાય છે ફાયદો

આજકાલ લોકો કોફી ખૂબ પસંદ કરે છે.ઘણા લોકો તેમના દિવસની શરૂઆત એક કપ ગરમ કોફીથી કરે છે. કોફીના ફાયદા તો છે જ,પરંતુ તે પીવા માટે પણ એક યોગ્ય સમય હોવો મહત્વપૂર્ણ છે!કેટલાક લોકો કોફી પીવાથી તાજગી અને ઉર્જા અનુભવે છે,જ્યારે કેટલાક લોકો તેના સ્વાદ અને ફ્લેવરના કારણે કોફી પીવે છે. ઘણીવાર લોકો ઓફિસમાં કામ કરતી વખતે અથવા સતત અભ્યાસ કરતી વખતે નોંધપાત્ર પ્રમાણમાં કોફી પીતા હોય છે.ઠંડીની ઋતુમાં તમે ઘરે બેઠા હોય અથવા તો ઓફિસમાં કામ કરતા હોય,કોઈપણ વ્યક્તિ જો તમને કોફીની સલાહ કરે તો તમે ઇન્કાર કરી જ નહીં શકો,પરંતુ શું તમે જાણો છો કે કોફી પીવાનો એક સમય હોય છે ? જી હા! જો તમે કોઈપણ સમયે કોફી પીવો છો તો તેના કારણે તમને ઘણા નુકસાન થઈ શકે છે. મર્યાદિત માત્રામાં કોફીનું સેવન કરવાથી તમને ફાયદો થશે,તેથી તમારે તે જાણવું જરૂરી છે કે દિવસના કયા સમયે કોઈએ કોફી ન પીવી જોઈએ,તે જ રીતે કોફી પીવાના ફાયદા શું છે ? ચાલો અમે તમને જણાવીએ કોફી પીવાનો સાચો સમય અને તેને પીવાથી થતા ફાયદાઓ વિશે.

image source

ખાલી પેટ પર કોફીનું સેવન કરવું તમારા માટે હાનિકારક હોઈ શકે છે.આજ-કાલની ભાગદોડવાળી જીવનશૈલીમાં કોઈ પાસે સવારે નાસ્તાનો સમય નથી હોતો,તેથી સામાન્ય રીતે લોકો એક કપ કોફી પી ને ઘરેથી નીકળી જાય છે.પણ ખાલી પેટ પર કોફીનું સેવન કરવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.આ એસિડિટી,અલ્સર,કબજિયાત અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.જ્યારે ખાલી પેટ પર કોફી પીવાથી એસિડનું પ્રમાણ પણ વધે છે,તે છાતીમાં સળગતી ઉત્તેજનાનું કારણ બને છે.

Advertisement
image source

ઓફિસથી ઘરે આવીને સાંજના સમયે કોફી પીવી યોગ્ય છે,પરંતુ રાત્રે કોફી પીવાનું ટાળવું જોઈએ.કારણ કે જો તમે રાત્રે કોફી પીસો તો તે તમારી ભૂખ મારી નાખશે અને તમને રાત્રે જમવાની ઈચ્છા થશે નહીં.રાત્રે કોફી પીવાથી ઊંઘ પણ નથી આવતી,તેથી રત્ન સમય પર કોફીનું સેવન ટાળવું </જોઈએ.આ તમારી અનિંદ્રાનું કારણ પણ બની શકે છે.

જાણો કોફી પીવાથી થતા ફાયદાઓ વિશે

Advertisement
image source

એક જોતા તો કોફી શરીર માટે ફાયદાકારક જ છે,પરંતુ જો તેનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે શરીરમાં ઘણા રોગોનું કારણ બની જાય છે.દરરોજ માત્ર 2 કપ કોફીનું જ સેવન કરવું જોઈએ.2 કપથી વધુ કોફીનું સેવન કરવાથી આપણા શરીરને નુકસાન પોહચી શકે છે.તો ચાલો અમે તમને જણાવીએ કોફી પીવાથી થતા ફાયદાઓ વિશે.

તણાવથી છૂટકારો મેળવો

Advertisement
image source

એક નેશનલ યુનિવર્સિટીના સંશોધકોએ કોફીનો પ્રયોગ ઉંદર પર કર્યો.તે માટે એ લોકોએ ઉંદરને લાંબા સમય સુધી જાગૃત રાખ્યો ત્યારબાદ તેને કોફી સૂંઘાડવામાં આવી.પછી તેમને જોયું કે કોફી મગજમાં રહેલા પ્રોટીનને અસર કરે છે.જે તાણ અને ઊંઘની સમસ્યા દૂર કરે છે.

લીવરને નુકસાન થતું નથી.

Advertisement
image source

2006 ના એક અભ્યાસ મુજબ જેઓ દરરોજ એક કપ કોફી પીતા હોય છે,તેઓને લીવર સિરોસિસનું 20% ઓછું જોખમ હોય છે.લીવર સિરોસિસ એ એક લીવરનો રોગ છે જે વધારે પ્રમાણમાં દારૂ પીવાથી થાય છે,જે લીવરને ખરાબ કરે છે અને કેન્સરનું કારણ પણ બને છે.

ખુશીનો અનુભવ થાય છે

Advertisement
image source

જે લોકો દરરોજ એક થી બે કપ કોફી પીવે છે,તેઓ ડિપ્રેસનનું 10 ટકા ઓછું જોખમ ધરાવે છે.કોફીમાં માત્ર કેફીન જ નહીં,પરંતુ એન્ટિઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે,જે તમને ડિપ્રેશનથી દૂર રાખે છે અને તમને ખુશીનો અનુભવ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version