Site icon Health Gujarat

જાણી લો સૂકી ઉધરસના લક્ષણો, અને તેેેના અસરકારક ઘરેલું ઉપાયો, નહિં તો આવી જશો કોરોનાની ઝપેટમાં

એવું કહેવામાં આવે છે કે જો ઉધરસની સમસ્યા બે અઠવાડિયાથી વધુ હોય,તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.તે ટીબી જેવા ખતરનાક રોગનું કારણ બની શકે છે.એમ પણ આજકાલ કોરોના યુગમાં ઉધરસની સમસ્યાને અવગણવું યોગ્ય નથી,કારણ કે તે કોરોનાના મુખ્ય લક્ષણોમાં શામેલ છે.અત્યારના સમયમાં લોકો ઉધરસ અથવા શરદીને દૂર કરવા માટે ઉકાળાનો સહારો લે છે,ઉકાળો એ શરદી-ઉધરસ માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે.પણ શું તમે જાણો છો કે આ સમસ્યા જયારે વધી જાય ત્યારે ઉકાળો પીવાનું બંધ કરવું જોઈએ અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ઉધરસના લક્ષણો શું છે અને તેને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય.

જાણો સૂકી ઉધરસના લક્ષણો.

Advertisement
image source

આજ-કાલ વરસાદની ઋતુમાં લોકો શરદી,કફ અને ઉધરસ જેવી સમસ્યાથી પીડિત છે.ઘણા લોકો એવા હોય છે,કે જેને ઉધરસની સમસ્યા ખુબ જ લાંબા સમય સુધી ચાલે છે,ખાસ કરીને સૂકી ઉધરસને લીધે લોકો રાત્રે શાંતિથી સૂઈ શકતા નથી અથવા દિવસ દરમિયાન કોઈ કામ યોગ્ય રીતે કરી શકતા નથી.સતત આવતી ઉધરસ છાતી અને ગળામાં બળતરા અને દુખાવાનું કારણ બને છે.જો કે,તમે કેટલાક ઘરેલું ઉપાયોથી સૂકી ઉધરસને દૂર કરી શકો છો.જાણો,સૂકી ઉધરસના ઘરેલું ઉપાય શું છે.

જાણો સૂકી ઉધરસના લક્ષણો

Advertisement
image source

જ્યારે ઉધરસમાં કોઈ કફ નથી આવતો,તેને સૂકી ઉધરસ કહેવાય છે.આ સમય દરમિયાન ઉધરસથી ગળામાં દુખાવો,છાતીમાં બળતરા અને પીડા પણ થઈ શકે છે.સૂકી ઉધરસ એલર્જી,અસ્થમા,ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી),ટીબી વગેરે જેવી સમસ્યાઓના કારણે થાય છે.જો તે બે અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે,તો ડોક્ટરની તાપસ જરૂરથી કરાવો.જે લોકોને સાઇનસ,અસ્થમા,એલર્જી, ફેફસાં અથવા વાયરલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન,ફ્લૂ વગેરેને લગતા કોઈ રોગ હોય છે,તેમને પણ સુકી ઉધરસ થઈ શકે છે.

સૂકી ઉધરસને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય

Advertisement
image source

1 જો તમને પણ સૂકી ઉધરસની સમસ્યા છે,તો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ એક ગ્લાસ ગરમ હળદરવાળું દૂધ પીવો.હળદરવાળું દૂધ પીવાથી તમને સૂકી ઉધરસની સાથે ગળાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે. હળદરમાં કુરકુમીન તત્વ હોય છે,જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.હળદરમાં એન્ટી બેક્ટેરિયલ,એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે,તે ગળાના ચેપને પણ મટાડે છે.એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર નાખો અને પીવો.તમે દૂધમાં થોડું મધ પણ ઉમેરી શકો છો,જેથી તેનો સ્વાદ મીઠો થાય. તમે હળદરવાળા દૂધમાં ખાંડ ઉમેરવાનું ટાળો.સૂકી ઉધરસને થોડા સમયમાં જ દૂર કરવા માટે હળદરવાળું દૂધ એક ચમત્કારી ઉપાય છે.

image source

2 ઉધરસની સમસ્યા દૂર કરવા માટે આદુના ટુકડાની છાલ દૂર કરો અને ત્યારબાદ તેને ચાવો.આ ટુકડો ચાવવાથી છાતીમાં દુખાવો,બળતરાની સમસ્યા,સૂકી ઉધરસ જેવી સમસ્યાઓ દૂર થાય છે.આદુમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો સૂકી ઉધરસને મૂળમાંથી દૂર કરે છે.

Advertisement
image source

3 સૂકી ઉધરસની સમસ્યા દૂર કરવા માટે ડુંગળી પણ ખાવી જોઈએ.તેમાં બળતરા વિરોધી,એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો રહેલા છે.ડુંગળીનો રસ સૂકી ઉધરસ દૂર કરવા માટે ખાસ ફાયદાકારક છે.ડુંગળીનો રસ અડધો ચમચી લો.તેમાં થોડું મધ ઉમેરો.હવે તેને થોડા ગરમ પાણી સાથે પીવો.તમે મધ અને આદુ પણ મિક્સ કરીને ખાઈ શકો છો.અડધી ચમચી આદુનો રસ કાઢો,ત્યારબાદ તેમાં એક ચમચી મધ નાખી અને તેને પીવો.આ ઉપાય કરવાથી તમારી સૂકી ઉધરસ ફટાફટ દૂર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version