Site icon Health Gujarat

દૂધીનો રસ પીતા પહેલા ખાસ જાણી લો આ વાત, નહિં તો ફાયદાની જગ્યાએ થશે મોટુ નુકસાન

દૂધી એક એવી શાકભાજી છે જે ઉનાળામાં સૌથી વધુ ખાવામાં આવે છે કારણ કે તે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ઉનાળામાં શરીરને ઠંડુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી રોગોને દૂર રાખી શકાય. આ સિવાય દૂધી ખાવાથી પેટની સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે. દૂધીમાં રહેલા ફાઈબર, એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક, પોટેશિયમ અને પ્રોટીન શરીરને સ્વસ્થ રાખે છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે દૂધી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં, ડાયાબિટીઝ અને કિડનીના રોગોનું જોખમ ઘટાડવા માટે પણ ફાયદાકારક છે. એવું કહેવામાં આવે છે કે દૂધીનો રસ પીવાથી ફેટી લીવરની સમસ્યા પણ ઓછી થાય છે. જો કે, કોઈપણ ચીજોનું અતિશય સેવન નુકસાનકારક જ સાબિત થઈ શકે છે. ઘણી વખત લોકો કેટલીક ચીજોને શરીર માટે સારી માને છે અને વધુ પડતા સેવન કરવાનું શરૂ કરે છે, જે બરાબર નથી. ચાલો અમે તમને જણાવીએ કે વધારે પ્રમાણમાં દૂધીના રસનું સેવન કરવાથી તમને શું સમસ્યા થઈ શકે છે.

દૂધીનો રસ પીવાથી થતી આડઅસર

Advertisement
image source

– કૃત્રિમ વિકાસ પ્રદાન કરવા માટે ઘણી વખત લોકો દૂધીમાં ઇન્જેકસનનો ઉપયોગ કરે છે. આ દૂધીનો રસ પીવો એ શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ સિવાય કાચી દૂધીનો રસ પીવાથી પેટની સમસ્યા ઘટવાના બદલે વધી જાય છે.

image source

– દૂધીના રસનું વધુ પડતું સેવન પાચનતંત્રને બગાડે છે. તેનાથી ડાયરિયા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, જો રસ બનાવતી વખતે તેને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે, તો તે ઘણી વખત બેક્ટેરિયલ ચેપનું કારણ બની શકે છે.

Advertisement
image source

– એવું કહેવામાં આવે છે કે જે લોકો ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગોથી પીડિત છે, તેઓએ દૂધીના રસને મર્યાદિત માત્રામાં પીવો જોઈએ. જો તમે આ રસનું સેવન વધુ માત્રામાં કરો છો, તો તે ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરના અસામાન્ય સ્તરનું કારણ બની શકે છે. આ લીધે ચક્કર આવવા, બેહોશ થવું, આંખો સામે અંધકાર જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

image source

– દૂધીનો રસ ખૂબ કડવો હોય છે, તેથી ઘણા લોકોને તેને પીવાથી એલર્જી થાય છે. આ પીધા પછી, ઘણા લોકોના ચહેરા અથવા હાથ અને પગમાં સોજો આવે છે અને ચહેરા પર ફોલ્લીઓ પણ થાય છે. આ સિવાય દૂધીનો રસ વધુ પ્રમાણમાં પીવાથી ખંજવાળ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
દૂધીની કડવાશ દૂર કરો

Advertisement
image source

– જે લોકો દૂધીના રસનું સેવન કરે છે, તેમણે કાળજી લેવી જોઈએ કે જ્યૂસ કડવો ના થાય. તેની કડવાશથી પેટમાં ગેસ જેવી સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, કડવાશ દૂર કરવા માટે, તમે રસમાં કાળું મીઠું, મરીનો પાવડર, લીંબુ, જીરાનો ભૂકો અને કેટલાક ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો. ખાલી પેટ પર સવારે દૂધીનો રસ પીવો જોઈએ. ઉપરાંત, એક દિવસમાં એક ગ્લાસ કરતા વધારે દૂધીના રસનું સેવન ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version