Site icon Health Gujarat

તજ ખાવાથી લીવરથી લઇને કેન્સર જેવી મોટી બીમારીઓનું વધી જાય છે જોખમ, જાણો અને ચેતો તમે પણ

તજ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે જો તેનું પ્રમાણ મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો.નહિંતર તે જીવન માટે જોખમ પણ બની શકે છે.તજ એ સામાન્ય રીતે દરેક ઘરના રસોડામાં જોવા મળે છે.તજ ખોરાકનો સ્વાદ વધારવા માટે વપરાય છે.આ મસાલાની વિશેષ બાબત એ છે કે તેનો ઉપયોગ ફક્ત રસોડામાં જ નહીં,પરંતુ તજ ઘણા પ્રકારની દવાઓ અને રોગોની સારવાર માટે પણ ઉપયોગી છે.

image source

તેમાં એન્ટીઓક્સિડેન્ટ,એન્ટિ-ઇન્ફ્લેમેટરી,એન્ટીડાયાબિટીક, સિનામાલ્ડીહાઇડ, સીનામીક એસિડ,એન્ટી-માઇક્રોબાયલ અને ફાયટોકેમિકલ્સ જોવા મળે છે જે કેન્સર અને ડાયાબિટીસ સહિતના અનેક રોગોમાં ફાયદાકારક છે.પરંતુ ઘણા રોગોમાં તજ પણ નુકસાનનું કારણ બને છે. તો ચાલો આપણે જાણીએ કે તજનું સેવન કરતા પહેલા કયા લોકોને સાવધાન રહેવાની જરૂર છે.

Advertisement

લીવરને નુકસાન થઈ શકે છે

image source

મોટાભાગનાં પ્રકારનાં તજમાં કુમરીનનો 5 ટકા જેટલો સમાવેશ હોય છે,તેથી તેનું વધુ સેવન કરવાથી લીવર બગાડવાનું કારણ બની શકે છે.
અકાળ ડિલિવરી

Advertisement
image source

ગર્ભાવસ્થામાં કેટલીક મહિલાઓ અપચો અને પેટના દુખાવામાં રાહત માટે તજનો ઉપયોગ કરે છે,પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તાજનો ઉપયોગ ન કરવો જોઈએ.ગર્ભાવસ્થામાં તજનું સેવન કરવાથી ગર્ભાશયમાં સંકોચનનું કારણ બની શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તે અકાળ ડિલિવરીનું કારણ પણ બને છે.

ડાયાબિટીઝની સમસ્યા

Advertisement
image source

નિષ્ણાતના મતે જો ડાયાબિટીઝથી પીડિત કોઈ વ્યક્તિ દવા લેતી હોય તો તેણે તજનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તાજમાં રહેલું તત્વ ડાયાબિટીઝનું સ્ટાર વધારી શકે છે,જેથી ચક્કર અને બેહોશ થવાનું જોખમ વધે છે.

મોં માં દુખાવાની સમસ્યા

Advertisement
image source

મોમાં દુખાવો થવો એ સામાન્ય સમસ્યા છે.તે એલર્જીક પ્રતિક્રિયાને કારણે પણ થઈ શકે છે.જો તમને વારંવાર મોં પર છાલા આવે છે,તો તજનું સેવન કરવાનું ટાળો.

શ્વાસની સમસ્યા વધી શકે છે

Advertisement
image source

એક જ વારમાં હદ કરતા વધુ તજનું સેવન કરવાથી તમને શ્વાસની તકલીફ થઈ શકે છે.આનું મુખ્ય કારણ તે છે કે તજથી એવી વાનગીઓ બનાવવામાં આવે છે,જેના દ્વારા તજ સરળતાથી ગળી જવાય છે.જ્યારે આવું થાય છે, ત્યારે તમે ઉધરસ,ગૈગિંગ અને શ્વાસ લેવામાં તકલીફ થવાની શરુ થાય છે.
અસ્થમા અથવા શ્વાસની અન્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોએ તજના સેવનમાં કાળજી લેવી જોઈએ,કારણ કે તેનાથી તમને શ્વાસની તકલીફ વધી શકે છે.

કેન્સરનું જોખમ વધી શકે છે

Advertisement
image source

સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે તજનું વધુ પડતું સેવન કરવાથી કેન્સરના કોષો વધી જાય છે,જે કેન્સરનું જોખમ વધારે છે.કૈમરીન ગાંઠોને કેવી રીતે કેન્સરનું કારણ બને છે તે હજી અસ્પષ્ટ છે.જો કે, કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે કૈમરીન કેટલાક અંગોને વારંવાર નુકસાન પહોંચાડે છે.સમય જતાં તંદુરસ્ત કોષોને નુકસાનને કારણે ગાંઠના કોષો બદલી જાય છે,જેનાથી કેન્સર થઈ શકે છે.

દવાઓના કારણે પણ નુકસાન પોહચી શકે છે

Advertisement
image source

જો તમે કોઈ દવા નિયમિત લેતા હોવ તો તજનું સેવન નિયમિત રીતે કરો,નહીં તો તે તમારા માટે હાનિકારક હોઈ શકે છે.જે લોકો હ્રદય રોગ,લીવર રોગ અથવા બ્લડ પ્રેશરની દવાઓ લે છે,તેઓએ તજનું સેવન કરતા પહેલા યાદ રાખવું જોઈએ કે તજ એ દવાના અસરને વધારી દે છે,જેથી તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અથવા તમને કોઈ એલર્જી પણ થઈ શકે છે.તેથી નિયમિત દવા લેતા લોકોએ તજનું સેવન માર્યાદિત કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version