Site icon Health Gujarat

વજન ધટાડવાથી લઇને અલ્ઝાઇમર જેવી મોટી સમસ્યાઓને દૂર કરે છે ફુલાવર, શું તમે જાણો છો બીજા આ ફાયદાઓ વિશે?

જાણો કેવી રીતે ફૂલકોબી ખાવાથી તમારું વજન ઓછું થાય છે અને એ પણ જાણો કેમ શિયાળામાં ફૂલકોબી ખાવાનું વધારે ફાયદાકારક છે…

ફુલકોબીને કોઈપણ શાક અથવા વાનગીમાં ઉમેરવામાં આવે તો તે અદ્ભુત સ્વાદ આપે છે. તેનું કારણ એ છે કે આપણા દેશમાં મોટાભાગના તહેવારો અને લગ્નમાં ફુલકોબીનું શાક શામેલ હોય છે અથવા એ કેહવું પણ સાચું છે કે તહેવારો દરમિયાન ફુલકોબીનું શાક મેનુનો મહત્વપૂર્ણ ભાગ છે. આ તો સ્વાદની બાબત છે, હવે સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જો તમે તમારા જાડાપણાને કાબૂમાં રાખવા માંગો છો તો ફુલકોબીનું શાક તમને આ કાર્યમાં ખૂબ મદદ કરી શકે છે.

Advertisement
image source

ફુલકોબીમાં ઇન્ડોલ્સ નામના તત્વો જોવા મળે છે. આ એન્ટિઓબેસિટી ઘટકો તરીકે કાર્ય કરે છે. તેની હાજરીના કારણે ફુલકોબી તમારા શરીરમાં સંગ્રહિત ચરબીને ઝડપથી ઓગળવાનું કામ કરે છે. જેના કારણે તમારા શરીરમાં બિનજરૂરી ચરબીનો સંચય થતો નથી અને તમે તમારા વધતા વજનને નિયંત્રિત કરી શકો છો. આ સિવાય પણ શિયાળાની ઋતુમાં ફુલકોબીના સેવનથી ઘણા ફાયદાઓ થાય છે. તો ચાલો જાણીએ એ ફાયદાઓ વિશે.

ફૂલકોબી શરીરને ગરમ રાખે છે

Advertisement

– સ્વાભાવિક રીતે ફૂલકોબી શિયાળુ શાક છે. તેથી, ઉનાળાની ઋતુમાં ફૂલકોબી ખાવાનું ટાળો. જ્યારે શિયાળાની ઋતુમાં તમારે તેનું નિયમિત સેવન કરવું જોઈએ. ફૂલકોબીના ફૂલો ગરમ હોય છે અને તે શરીરમાં કુદરતી ગરમી ઉત્પન્ન કરીને તમને હૂંફ આપવાનું કામ કરે છે. કોબી સુપાચ્ય છે. તેથી, નાસ્તાથી રાત્રિભોજન સુધી કોઈપણ સમયે ફૂલકોબીના શાકભાજીનું સેવન કરી શકાય છે.

ડાયાબીટિઝને નિયંત્રિત કરવા

Advertisement
image source

ફુલકોબીમાં પોટેશિયમ અને વિટામિન બી 6 જોવા મળે છે. આ બંને તત્વો લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જાળવવાનું કામ કરે છે. જો શરીરની અંદર પોટેશિયમ ઓછું થાય છે, તો ડાયાબિટીઝના દર્દીના લોહીમાં ગ્લુકોઝનું સ્તર તરત જ વધી જાય છે. તેથી, ડાયાબિટીઝના દર્દીઓએ શિયાળાના સમયમાં ફુલકોબીનું સેવન જરૂરથી કરવું જોઇએ.

શરીરની પ્રતિરક્ષામાં વધારો

Advertisement
image source

સ્વાદિષ્ટ ફુલકોબીમાં વિટામિન-સી જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ વિટામિન ખુબ મહત્વનું છે. ખાસ કરીને કોરોના ચેપના સમયગાળામાં, દરેકને વિટામિન-સીની જરૂર હોય છે. તેથી આ સમયે તમારે ફૂલકોબીનું સેવન કરવું જોઈએ.

અલ્ઝાઇમરનું જોખમ ઘટાડવા માટે

Advertisement
image source

જેમ જેમ આપણે મોટા થાય છે તેમ આપણી યાદશક્તિ પણ ઓછી થવા લાગે છે. જો સમયસર આ સમસ્યાની કાળજી લેવામાં નહીં આવે, તો તે અલ્ઝાઇમરનું સ્વરૂપ લે છે. આમાં થોડા સમય માટે વ્યક્તિ પોતાને અને આસપાસના લોકોને પણ સંપૂર્ણપણે ભૂલી જાય છે, પરંતુ જે લોકો ફુલકોબીનું સેવન કરે છે તેમને અલ્ઝાઇમર થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. કારણ કે ફૂલકોબીમાં મળતું સલ્ફોરાફેન અને ઇન્ડોલ્સ મગજની આંતરિક સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે અને કોષોને સુધારે છે.

સ્નાયુઓને સંકોચવાથી સુરક્ષિત કરે છે

Advertisement
image source

પોટેશિયમ તમારા શરીરના સ્નાયુઓને સંકોચવાથી સુરક્ષિત કરે છે. આ સાથે તે સ્નાયુને કુદરતી લચીલું રાખે છે. પોટેશિયમ તમારા સ્નાયુઓ માટે મુખ્ય ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરે છે, જે ચેતામાં આવેગને નિયંત્રિત કરવા માટે કાર્ય કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version