Site icon Health Gujarat

શું તમને પણ છે ભૂલવાની બીમારી, તો હોઇ શકે છે આ કારણો

આજકાલ,ઘણા લોકો ભૂલવાની ટેવથી પરેશાન છે.મોટે ભાગે આ સમસ્યા વૃદ્ધ લોકોમાં જોવા મળે છે,પરંતુ આજકાલ યુવાનોમાં અથવા નાના બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે.

તમે નાની-નાની વસ્તુઓ ભૂલી જાવ છે અને પછી તેને ઇગ્નોર કરો છો,પણ તમને ખબર છે કે ધીરે ધીરે આ ભૂલવાની ટેવ અલ્ઝાઇમર અથવા ડિમેન્શિયા રોગનું સ્વરૂપ લે છે.આજે અમે તમને જણાવીશું કે નાની નાની વાતો ભૂલી જવા પાછળ કયા કારણો હોય છે.

Advertisement
image source

આજકાલ દરેક કામકાજના કારણે તણાવ અથવા હતાશામાં જીવે છે.તાણ અથવા હતાશા સાથે સંકળાયેલ હોર્મોન ન્યુરોન્સ મગજના કોષોની કામગીરી ધીમી કરીને ભૂલી જવાનું જોખમ વધારે છે.

image source

આલ્કોહોલ,સિગારેટ પીવું એ શરીર માટે ઝેર જેવું છે,પરંતુ આ ઉપરાંત,તે ભૂલવાની બીમારીનું કારણ પણ બને છે.નિષ્ણાતોના મતે ધૂમ્રપાનને કારણે મગજના લોહીની ધમનીઓ સાંકડી થાય છે અને મગજમાં પહોંચવા માટે પૂરતો ઓક્સિજન મળતું નથી.આથી તમને ધીમે ધીમે બધું ભૂલી જવાનું કારણ બને છે.

Advertisement

આ ભાગદોડવાળી જિંદગીમાં ઘણી વખત આપણે આપણી ઊંઘ પુરી કરી શકતા નથી.જેના કારણે મગજ પર ખોટી અસર પડે છે.જેથી આપણે ધીમે ધીમે નાની-નાની વાતો ભૂલી જઇએ છીએ.

image source

વિટામિન બી ૧૨ની ઉણપને કારણે પણ ભૂલવાની તકલીફ થઈ શકે છે.સ્વસ્થ રહેવા અને લાલ રક્તકણો બનાવવા માટે શરીરને વિટામિન બી 12 ની જરૂર પડે છે.શરીરમાં આ વિટામિનના અભાવને લીધે યાદશક્તિ ઓછી થવી,ભૂલી જવું,ચીડિયાપણું અને તણાવ જેવી સમસ્યાઓ થાય છે.આ પાછળથી ડિમેંશિયા થવાનું કારણ પણ બની શકે છે.ખોરાકમાં પાલક,પનીર અને દૂધની વસ્તુઓનો સમાવેશ કરીને તેની ઉણપને દૂર કરી શકાય છે.

Advertisement
image source

વધુ દવાઓ પીવી એ નુકસાનકારક હોય છે.આજકાલ લોકો દરેક નાની બીમારી માટે દવાઓ લેવાનું શરૂ કરે છે.પરંતુ તેઓ જાણતા નથી કે વધુ દવાઓ પીવાથી એ ભૂલવાની થવાનું કારણ બની શકે છે.ડોક્ટરોની સલાહ વગર એન્ટી-ડિપ્રેસન્ટ્સ,ઊંઘની ગોળીઓ, દુખાવા માટેની દવાઓ અને કોલેસ્ટરોલ ઘટાડતા સ્ટેટિન્સ ન લેવાની સલાહ આપવામાં આવે છે.

image source

કામને કારણે લોકો ઝડપથી તણાવમાં આવી રહ્યા છે.આવી સ્થિતિમાં,તેઓ ડિસ્ટર્બ થયા પછી પણ વસ્તુઓ ભૂલી જવાનું શરૂ કરી દે છે.વધુ તણાવના કારણે મગજના હિપ્પોકેમ્પસને નબળી પડી જાય છે જે યાદ રાખવાની ક્ષમતાને નબળી પાડે છે.તેનાથી બચવા માટે યોગ અને કસરત કરવી એ જરૂરી છે.

Advertisement

હાયપોથાઇરોડિસમ શરીરને પૂરતા પ્રમાણમાં થાઇરોઇડનું હોર્મોન્સ ઉત્પન્ન કરતું નથી.આ હોર્મોનસથી મન અને વિચારને નિયંત્રણમાં રાખવામાં આવે છે.આ હોર્મોનસનું ઉત્પાદન ન કરવાને કારણે,લોકો ભૂલી જવાની તકલીફથી પીડાય છે.

image source

જાણો ભૂલવાની બીમારીથી બચવા માટેના ફાયદાઓ…..

Advertisement

ભોજનમાં બદામ અને સુકા ફળોનો સમાવેશ કરો.

image source

લીલા શાકભાજીઓ અથવા આખા અનાજ,ઓલિવ તેલ અને ફળો ખાવાથી પણ મન ઉત્તેજીત થાય છે અને ભૂલવાની બીમારીની તકલીફ ઓછી થાય છે.
ભલે તમે વૃદ્ધ થઈ રહ્યા હો તો પણ તમારે તમારું કામ જાતે જ કરવું જોઈએ.આનાથી અલ્ઝાઇમર નામના રોગ થવાનું જોખમ ઓછું થાય છે અને યાદશક્તિમાં પણ સુધારો થાય છે.

Advertisement

લીલી ચા પીવાથી ભૂલવાની બીમારીના કારણે મગજમાં વધતા ઝેરી બીટા-એમાયલોઇડ નામના પ્રોટીનને ઘટાડી શકાય છે.

દરરોજ દિવસની શરૂઆત 15-20 મિનિટના યોગ અને કસરતથી કરો.

Advertisement
image source

સવારે અને સાંજે 10 મિનિટ ચાલવાથી પણ મગજ સક્રિય બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version