Site icon Health Gujarat

તાજા ફળોનો રસ તમારી આ સમસ્યા દૂર કરશે, જાણો તે શું છે

દરેક લોકો ઈચ્છે છે કે તેમનો ચેહરો સ્વચ્છ અને સુંદર હોય, પરંતુ તે ચહેરો કે જેના પર મસાઓ અથવા પિમ્પલ્સ છે, તે ચેહરાની કુદરતી સુંદરતા દબાવે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો પાર્લર તરફ વળે છે અને ઘણા પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે, જેમાં તેમનો ઘણો સમય અને નાણાં ખોટી રીતે વેડફાય છે. પરંતુ આ માટે તમે ઘરે કેટલાક ઉપાય કરી શકો છો. જેની મદદથી તમારી આ સમસ્યા મૂળમાંથી દૂર થશે. તો ચાલો જાણીએ એ ઉપાય વિશે.

image source

ચેહરા પરના મસા અને ડાઘ દૂર કરવા માટે સૌથી પેહલા લસણની પેસ્ટ બનાવો અને તેને દરરોજ તમારા ચેહરાના અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો. તમને એક અઠવાડિયામાં જ ફાયદા જોવા મળશે.

Advertisement
image source

કાજુ પણ મસા ઘટાડવા માટે ખૂબ મદદગાર છે, આ માટે કાજુની પેસ્ટ બનાવો અને તેને મસા પર લગાવો થોડા દિવસોમાં જ તમારી આ સમસ્યા દૂર થશે.

તમારા ચેહરા પરના મસા દૂર કરવા માટે ચણા અને ઘીને બરાબર માત્રામાં ભેળવી દો અને દિવસમાં ત્રણ થી ચાર વાર તમારા મસા પર લગાવો. ચૂનો તમારી ત્વચા બગાડી શકે છે, તેથી આ મિક્ષણ લગાડતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે ત્વચા પર આ મિશ્રણ ના લાગે, તેને ફક્ત મસાઓ પર જ લગાવો.

Advertisement
image source

ડુંગળી મસા દૂર કરવા માટે ફાયદાકારક છે. આ માટે ડુંગળીનો રસ કાઢો અને તેને તમારા મસા પર હળવા હાથથી લગાવો.

મસા દૂર કરવા માટે તાજા ફળોનો રસ પણ ફાયદાકારક છે. આ માટે તમે મોસમી ફળો લો અને તેનો રસ કાઢી મસા પર લગાવો.

Advertisement
image source

કાપેલા બટાટાને તાત્કાલિક મસા પર લગાવવાથી મોટો ફાયદો થાય છે. આ માટે બટાટાને કાપો અને તરત જ તેને મસા પર ઘસો. દિવસમાં 3 થી 4 વખત આ કરવાથી મસાઓ સૂકાવા લાગે છે.

મસા દૂર કરવા માટે અળસીના બીને ગ્રાઇન્ડ કરો. ત્યારબાસ તેમાં અળસીનું તેલ અને મધ મિક્સ કરો. પછી આ મિશ્રણને મસા પર લગાવો. 4-5 દિવસમાં જ તમને પરિણામ મળશે.

Advertisement
image soucre

મસાની સમસ્યા દૂર કરવા માટે કોટન બોલ પર થોડું એપલ સાઇડર વિનેગાર લો અને તેને મસા પર લગાડો. આ ઉપાય દિવસમાં ત્રણ વખત કરો. થોડા અઠવાડિયામાં જ મસાઓ અદૃશ્ય થઈ જશે. ખાટા સફરજનનો રસ પણ મસાઓ પર ખૂબ અસરકારક છે.

સમાન પ્રમાણમાં બેકિંગ સોડા અને એરંડાનું તેલ મિક્સ કરો અને રાત્રે તેને મસા પર લગાવો. ત્યારબાદ સવારે સાદા પાણીથી આ ધોઈ લો. થોડા દિવસો માટે આ ઉપાય નિયમિત અજમાવો અને તેના ફાયદા જુઓ. એરંડા તેલના બદલે તમે કપૂર તેલનો ઉપયોગ પણ કરી શકો છે.

Advertisement

તાજું કાપેલું અનાનસ પણ મસા દૂર કરવામાં અસરકારક છે. આ માટે મસાઓની જગ્યાએ તાજા કાપેલા અનાનસ લગાવો અને તમારી આ સમસ્યા દૂર કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version