Site icon Health Gujarat

ઘરમાં લોકડાઉનના કારણે વધી રહ્યો છે સ્ટ્રેસ ? કેટલીક ટીપ્સ ફોલો કરીને મેળવો રાહત.

ઘરમાં લોકડાઉનના કારણે વધી રહ્યો છે સ્ટ્રેસ ? કેટલીક ટીપ્સ ફોલો કરીને મેળવો રાહત.

આખી દુનિયામાં ૩.૫ લાખથી વધારે વ્યક્તિઓ કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થઈ ગયા છે. ભારતમાં પણ કોરોના કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા ૧૨ હજારને પાર થઈ ગઈ છે. આવા જીવલેણ વાયરસના ભયથી સ્કુલ, કોલેજ, ઓફીસ બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે. સરકાર જનતાને ઘરમાં જ રહીને લોકડાઉનનું પાલન કરવા આગ્રહ કરી રહી છે. ઘરમાં લાંબા સમય સુધી રહેવાના કારણે કેટલીક વ્યક્તિઓમાં સ્ટ્રેસ (માનસિક તણાવ)ની સમસ્યા વધી શકે છે. આવો જાણીએ કે લોકડાઉનમાં સ્ટ્રેસની સમસ્યાથી છુટકારો કેવીરીતે મેળવી શકાય છે.

Advertisement

મ્યુઝીક, રીડીંગ, પેન્ટિંગ.:

image source

જો આપ બધાની વચ્ચે રહીને એકલા મહેસુસ કરો છો અને અહિયાં પણ માનસિક બીમારી આપનો પીછો નથી છોડી રહી તો સારી વસ્તુઓ વાંચવાનું, લખવાનું શરુ કઈ દો. આપ ઈચ્છો તો પેન્ટિંગ પણ કરી શકો છો. કે પછી મનપસંદ મ્યુઝીક પણ સાંભળી શકો છો.

Advertisement

મોર્નિંગ વોક.:

સવારના સમયે દોડવાનું શરુ કરી દેવું. તાજી હવામાં ખુલીને શ્વાસ લેવાથી આપનું દિમાગ યોગ્ય દિશામાં કામ કરશે અને આપ દરેક વસ્તુને લઈને ગુસ્સે નહી થાવ.

Advertisement

ટોક ટુ ફ્રેન્ડસ.:

એકલા હોઈએ ત્યારે લોકોને મળવાનું અને તેમની સાથે વાત કરવાનું ખુબ મન થાય છે. આવામાં આપ વિડીયો કોન્ફ્રેસિંગ દ્વારા મિત્રો સાથે જોડાઈ શકો છો.

Advertisement

કસરત કરો.:

image source

કસરત કરવાથી સ્વસ્થ રહેવાની સાથે સાથે તણાવ પણ ઓછો થાય છે. કસરત કરવાથી આપણા શરીરમાં હેપ્પી હોર્મોન રીલીઝ થાય છે જેના લીધે આપણો સ્ટ્રેસ થોડાક સમયમાં જ ગાયબ થઈ જાય છે. પણ જો આપની પાસે કસરત કરવાનો સમય નથી તો આપે દિવસમાં ૧૫થી ૨૦ મિનીટ સુધી જરૂરથી ચાલવું.

Advertisement

હેલ્ધી ડાયટ ફોલો કરો.:

કહેવાય છે કે આપણે જેવા પ્રકારનું ખાઈએ છીએ, આપણો સ્વભાવ પણ એવો જ થઈ જાય છે. એટલા માટે હંમેશા હેલ્ધી આહારનું સેવન કરો.

Advertisement

ઊંઘ પૂરી લો.:

જે લોકો પૂરી ઊંઘ નથી લેતા, તેમના સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોચી શકે છે. ઊંઘ પૂરી ના થવાના કારણે લોકોને ઘણીબધી શારીરિક અને માનસિક બીમારીઓનો શિકાર થઈ જાય છે. જો આપ જો આપ વ્યવસ્થિત ઊંઘ લો છો, તો આખો દિવસ શરીરમાં તાજગી બની રહે છે. સાથે જ આપ પોતાના કામને યોગ્ય રીતે કરી શકશો અને આપનો મૂળ પહેલા કરતા વધારે સારો રહેશે. આપને જણાવીએ કે, ૭થી ૯ કલાક ઊંઘ એક સ્વસ્થ વ્યક્તિ માટે જરૂરી હોય છે.

Advertisement
Advertisement
Exit mobile version