Site icon Health Gujarat

દ્રાક્ષ ખાવાથી ઘટે છે સ્તન કેન્સરનું જોખમ, જાણો બીજા ફાયદાઓ અને સાથે એની સાઇડ ઇફેક્ટ્સ વિશે પણ

દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. તાસીરે તે ઠંડી, પચવામાં ભારે, સહેજ ચીકણી, મળને સાફ લાવનાર, વાતકર અને પિત્તશામક છે. દ્રાક્ષ પેશાબ સાફ લાવનાર, આંખો માટે સારી, વીર્ય વધારનાર, લોહી બગાડ અને પિત્તપ્રકોપના રોગી માટે સારી છે. દ્રાક્ષ જોવામાં એક નાનકડું ફળ છે પરંતુ, જ્યારે તમે તેના ફાયદા જાણશો, ત્યારે તમે પણ ચોંકી જશો. દ્રાક્ષમાં, ફાઇબર, વિટામિન સી, વિટામિન ઇ ઉપરાંત કેલરી પણ મળી આવે છે. જે આપણા શરીરની અનેક જરૂરિયાતો પૂરી કરે છે. ત્યાં દ્રાક્ષના બે પ્રકાર છે, એક કાળી છે અને બીજી લીલી છે. આરોગ્યની દ્રષ્ટિએ બંને દ્રાક્ષ ઉત્તમ છે. આજે સ્વાસ્થ્ય ટીપ્સમાં તમને જણાવીશું દ્રાક્ષ ખાવાથી શું ફાયદા થાય છે. અને તેની આડઅસર પણ છે.

સ્તન કેન્સરનું જોખમ ઘટાડે:

Advertisement
image source

દ્રાક્ષ ખાવાથી ઘણા ફાયદા થાય છે. તે આપણા શરીરને અનેક રીતે ફાયદો કરે છે. નિયમિતપણે દ્રાક્ષ ખાવાથી સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે.
વિટામિન અને આયર્નની ઉણપ દૂર થાય:

દ્રાક્ષનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરમાં વિટામિનની ઉણપ દૂર થાય છે. તેમજ નિયમિત રીતે ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ પણ દૂર થાય છે.

Advertisement

હિમોગ્લોબિનની કમી રહેતી નથી:

image soucre

નિયમિત દ્રાક્ષ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે. વારંવાર તેનું સેવન કરવાને કારણે લોહીની કમી રહેવાની ફરિયાદ પણ રહેતી નથી.
માઈગ્રેનમાં રાહત:
દ્રાક્ષના સતત સેવનથી માઈગ્રેનનાં દુખાવામાં રાહત મળે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ એક કપ દ્રાક્ષનો રસ પીવે છે, તો તેને ક્યારેય માઈગ્રેનની સમસ્યા નહીં થાય. અને જો કોઈને પહેલેથી જ આ રોગ છે, તો આ રસ પીવાથી ઘણી રાહત મળે છે.

Advertisement
image soucre

આ રીતે દ્રાક્ષ ન ખાવી જોઈએ:

દ્રાક્ષના આ ગુણોને લીધે, આ નાના ફળને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે. પરંતુ દ્રાક્ષ ખાવામાં થોડી સાવચેતી રાખવી જોઈએ, નહીં તો ફાયદાને બદલે નુકસાન થાય છે. દ્રાક્ષને એસિડિક ફળો સફરજન, દાડમ વગેરે સાથે મિક્સ કરીને ન ખાવી જોઈએ. તેને જરૂર કરતા વધારે પ્રમાણમાં ન ખાવી જોઈએ, તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે.

Advertisement

મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે.
આ સિવાય અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર અને પેશાબની બળતરામાં કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સાકર સાથે લેવી. મોં આવી ગયું હોય તો મોંમાં કાળી દ્રાક્ષ રાખી ચૂસ્યા કરવાથી મોંના ચાંદાં મટી જાય છે.

image soucre

દ્રાક્ષ એન્ટી ઓકિસડન્ટ છે, તેમજ તેમાં હાઈ ફાઈબર અને હાઈ આયર્નની સાથે સાથે વિટામિન પણ સારા પ્રમાણમાં મળે છે , દ્રાક્ષ ખાવાથી શરીરમાં કોઈ પ્રકારની ખોટ નથી પડતી.

Advertisement

દ્રાક્ષનો દ્રાક્ષાસવ ખોરાકનું પાચન કરવા અને ભૂખ લગાડવામાં ખૂબ પ્રચલિત છે. તે ઉધરસ, દમ, ટી. બી. વગેરેમાં સારો છે અને શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક છે.

લીલી દ્રાક્ષનો રસ સાકર સાથે મેળવીને લેવાથી શરીરની બળતરા મટે છે અને ગરમાળાનો ગોળ અને કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી તાવમાં રાહત થાય છે.

Advertisement
image soucre

ફળો ખાતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

કોઈપણ ફળ ખાધા પછી તરત જ પાણી ન પીવું

Advertisement

સારા સ્વાસ્થ્ય માટે, વ્યક્તિએ આખા દિવસમાં કોઈ એક ફળ ખાવું જોઈએ

જો તમને સામાન્ય ફ્લૂ છે અથવા હાજમા જેવી બીમારી છે, તો ફળો ખાતા પહેલા ડોક્ટરની સલાહ લો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version