Site icon Health Gujarat

આ ઘરેલુ ઉપાયોથી કરી દો તમારા ખરતા વાળને બંધ, આ સાથે જાણો વાળ ખરવા પાછળના કારણો

નબળા આહાર,બદલાતી જીવનશૈલી,પ્રદૂષણ,તણાવપૂર્ણ જીવન વગેરે વાળ ખરવાના મુખ્ય કારણો છે.નિષ્ણાતો સ્ત્રીઓમાં વાળ ખરવાના કેટલાક સંભવિત કારણો જણાવે છે.આજે અમે તમને એવા જ વિષયોની સારવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આજના સમયમાં વાળ ખરવાની સમસ્યા નોંધપાત્ર રીતે વધવા માંડી છે.સ્ત્રીઓમાં વાળ ખરવાનું સામાન્ય છે.તે જ સમયે,પુરુષો પણ આ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે.વાળ ખરવાના કારણમાં તણાવએ એક મુખ્ય કારણ છે.આવી ઘણી બ્યુટી પ્રોડક્ટ્સ માર્કેટમાં આવી છે,જેનો દાવો છે કે આ ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી થોડા જ દિવસોમાં તમારા વાળ ખરવાનું બંધ થઈ જશે.

Advertisement
image source

પરંતુ આવું થતું નથી.ઘણી કોશિશ છતાં,વાળ ખરતા જ રહે છે, પણ તેનું મુખ્ય કારણ એ જ છે કે વાળ કેમ પડે છે તે આપણે જાણતા જ નથી.ચાલો અમે તમને અહીં જણાવીએ કે વાળ ખરવાનાં કારણો શું છે,જેથી આપણા વાળ ખરતા અટકાવી શકાય.

વાળ ખરવાનું મુખ્ય કારણ શું છે ?

Advertisement

આયરન નો અભાવ

image source

ભારતમાં મોટાભાગની મહિલાઓ એનિમિયાનો શિકાર છે.જેના કારણે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન તકલીફ થવા લાગે છે.વાળ ખરવાનું મુખ્ય કારણ શરીરમાં આયરનનો અભાવ છે.વાળના યોગ્ય વિકાસ માટે આયરન પુરા પ્રમાણમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.તેથી જો તમે તમારા વાળને ખરતા અટકાવવા માંગતા હોવ,તો શરીરમાં આયરન પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે,જેથી તે વાળ ખરતા અટકાવી શકે છે.

Advertisement

વજનમાં ઘટાડો

image source

મોટાભાગની સ્ત્રીઓમાં એવું જોવા મળ્યું છે,કે વજન ઘટાડવાની પ્રક્રિયામાં તેઓ ડાયટ ચાટ અનુસરે છે,જેના કારણે તેઓ ઘણા પોષક તત્ત્વોનું સેવન કરવાનું બંધ કરે છે.શરીરમાં ઓછી કેલરી અને ઓછા પોષક તત્ત્વો હોવાને કારણે વાળ મોટા પ્રમાણમાં ખરવા લાગે છે.તેથી,જો તમે ડાયટ ચાટ અનુસરો છો,તો પછી તમારે પોષક તત્વોથી ભરપૂર આહાર ખાવો જરૂરી છે.

Advertisement

થાઇરોઇડ

image source

આજે, મોટાભાગની સ્ત્રીઓ થાઇરોઇડની સમસ્યાઓથી સંઘર્ષ કરી રહી છે. તે જ સમયે,થાઇરોઇડ વાળને ઘણું નુકસાન પહોંચાડે છે.થાઇરોઇડ ગ્રંથિના અસંતુલનને કારણે શરીરમાં વાળ ખરવાની સમસ્યા સહિત ઘણી પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે.</p.
ચાલો અહીં અમે તમને જણાવીએ કે વાળ ખરવાના ઘરેલુ ઉપાય

Advertisement

1. હેર ઓઇલ મસાજ –

image source

તમારા વાળ ખરતા અટકાવવા માટે તમે હેર ઓઇલ મસાજ કરી શકો છો.આ ઉપાય સૌથી ઉપયોગી અને અસરકારક છે.વાળ અને વાળ ઉપરની ચામડીની યોગ્ય માલિશ કરવાથી માથામાં લોહીનો પ્રવાહ વધે છે અને તમારા વાળના મૂળની શક્તિમાં વધારો થાય છે.તે તાણને ઘટાડવામાં અને દૂર કરવામાં મદદ કરશે.

Advertisement

તમે વાળ માટે નાળિયેર તેલ,બદામ તેલ,ઓલિવ તેલ,એરંડા તેલ,આમળા તેલ અથવા અન્ય તેલનો ઉપયોગ કરી શકો છો.વધુ સારા અને ઝડપી પરિણામો માટે રોઝમેરી આવશ્યક તેલના થોડા ટીપાં ઉમેરો.

તમારી આંગળીઓથી હળવા દબાણનો ઉપયોગ કરીને તમારા વાળ અને માથાની ઉપરની ચામડી ઉપર ​​માલિશ કરો.અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર આ જરૂરથી કરો.

Advertisement

2. આમળા –

image source

વાળના કુદરતી અને ઝડપી વિકાસ માટે,તમે આમળાનો ઉપયોગ પણ કરી શકો છો.આમળામાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે,વિટામિન સીનો અભાવ પણ વાળ ખરવાનું કારણ હોઈ શકે છે.

Advertisement

3. મેથી –

image source

વાળ ખરવાના ઉપચારમાં મેથી ખૂબ જ અસરકારક છે.મેથીના દાણામાં હોર્મોન એન્ટાસિડન્ટ્સ હોય છે જે વાળના વિકાસને વધારવામાં મદદ કરે છે.તેમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ પણ હોય છે જે વાળના વિકાસને વધારે છે.

Advertisement

4. ડુંગળીનો રસ –

image source

ડુંગળીના રસમાં સલ્ફર વધુ માત્રામાં હોય છે,જે વાળની કોશિકાઓમાં રક્ત પરિભ્રમણને સુધારે છે,વાળની ​​ફોલિકલ્સને ફરીથી બનાવવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે જે વાળ ખરતા ઘટાડે છે.ડુંગળીના રસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે સૂક્ષ્મજંતુઓ અને પરોપજીવીઓને વાળમાંથી દૂર કરવામાં મદદ કરે છે જેથી વાળ ખરતા અટકે છે,અને માથા પર થતા કોઈ અન્ય રોગના ઉપચારમાં પણ ડુંગળીનો રસ ફાયદાકારક છે.

Advertisement

ત્વચારોગ વૈજ્ઞાનિક દ્વારા પ્રકાશિત એક અધ્યયનમાં,લગભગ 74 ટકા જેટલા અભ્યાસ સહભાગીઓ કે જેમણે તેમના માથા ઉપરની ચામડીમાં ડુંગળીનો રસ લગાવ્યા પછી તેઓએ જણાવ્યું કે તેમના વાળ ખરતા અટકી ગયા છે અને તેઓને વાળમાં વિકાસ પણ વધારો થયો છે.

5. એલોવેરા –

Advertisement
image source

એલોવેરામાં એન્ઝાઇમ્સ હોય છે જે વાળના સ્વસ્થ વિકાસને પ્રોત્સાહિત કરવામાં ઉપયોગી થાય છે.ઉપરાંત,તેમના આલ્કલાઇન ગુણધર્મોને લીધે,તેઓ વાળના પીએચને યોગ્ય સ્તરે લાવવામાં અને વાળના વિકાસને પ્રોત્સાહિત કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version