Site icon Health Gujarat

વાળની A TO Z સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા મોડુ કર્યા વગર આજથી જ ફોલો કરો આ ટિપ્સ

તમારા વાળ ગમે તેટલા સ્વસ્થ અને ચમકદાર હોય, છતાં વાળ ખરવા અથવા માથા પર ટાલ આવવી એ એક ઉંમરે ચિંતાનો વિષય છે જ. અત્યારની પેઢી મતલબ છોકરો હોય કે છોકરી તેમના માટે વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે આ સમસ્યામાં તમારા જનીનો અને હવામાન પરિસ્થિતિઓ મુખ્ય ભૂમિકા ભજવે છે સાથે તમારી જીવનશૈલી અને દૈનિક ટેવ પણ તમારા તાણને અસર કરે છે અને એ તાણના કારણે વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. તમારી સમસ્યાઓ અનંત છે પરંતુ તમારી વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટેના ઉપાયો આજે અમે તમને જણાવીશું. ખરતા વાળ અને માથામાં પડતી ટાલની સમસ્યા દૂર કરવા માટે અહીં જણાવેલ સરળ ઘરેલુ ઉપાય અજમાવો. તમારા વાળની સમસ્યા દૂર થશે. આ સમસ્યા દૂર કરવા માટે તમારે કોઈ પ્રોડક્ટ્સ અથવા કોઈ મોંઘી ચીજો ખરીદવાની જરૂર નથી માત્ર તમારા ઘરમાં હાજર રહેલી થોડી ચીજો તમારી આ સમસ્યા દૂર કરશે.

એલોવેરા

Advertisement
image source

એલોવેરા આપણી ત્વચા સાથે આપણા વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છોડ છે. બજારમાં મળતી ઘણી પ્રોડક્ટ્સમાં પણ એલોવેરાનો ઉપયોગ થાય છે. તમારા વાળની સમસ્યા દૂર કરવા માટે તમારા વાળમાં એલોવેરા જેલ લગાવો અને થોડા સમય માટે તેને રહેવા દો, ત્યારબાદ તમારા વાળ ધોઈ લો. અઠવાડિયામાં 3 વાર આ ઉપાય અજમાવવાથી તમારા વાળની દરેક સમસ્યા દૂર થશે.

દહીં અને ડુંગળી

Advertisement
image soucre

દહીંમાં વિટામિન સી જોવા મળે છે દહીં અને ડુંગળીનું મિશ્રણ તમારા વાળ પર લગાવવાથી વાળ મજબૂત અને ઘાટા બને છે.

બટેટા

Advertisement
image source

બટેટાનો ઉપયોગ આપણા વાળને સુંદર બનાવવા, વાળને તંદુરસ્ત રાખવા અને વાળ પર લગતા પ્રદૂષણને અટકાવવા માટે થાય છે. આ માટે બટેટાનું મિશ્રણ બનાવો અને તેને વાળ પર લગાવો, થોડા સમય પછી તમારા વાળ ધોઈ લો.

મેથી

Advertisement
image source

મેથીમાં ઘણા આયુર્વેદિક ગુણધર્મો જોવા મળે છે, મેથીનો ઉપયોગ આપણા વાળને કાળા બનાવે છે સાથે સૂર્યપ્રકાશ અને ધૂળની સમસ્યાથી બચાવે છે. આ માટે મેથીને આખી રાત પાણીમાં પલાળો અને સવારે તે પાણીથી તમારા વાળ ધોઈ લો. તમારા વાળની સમસ્યા દૂર થશે.

ડુંગળીનો રસ

Advertisement
image source

ડુંગળીમાં સલ્ફર વધારે હોય છે, જે વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. ડુંગળીનો પલ્પ વાળના ફોલિકલ્સમાં લોહીનું પરિભ્રમણ વધારે છે અને બળતરા ઘટાડે છે. ડુંગળીના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો તમારા માથા પરની ચામડીના કોઈપણ બેક્ટેરિયા અને ફૂગને મારી નાખે છે અને તમારા વાળ સ્વસ્થ બનાવે છે. જ્યારે તમે તમારા વાળ ધોવ છો, ત્યારે તમારા વાળ પર ડુંગળીનો રસ લગાવો. તમે કોટનની મદદથી તમારા માથા પરની ચામડી પર પણ ડુંગળીનો રસ લગાવી શકો છો. સારા પરિણામ માટે અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરો.

લીમડો

Advertisement
image source

લીમડો તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતો છે, જો તમે વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માંગો છો અને તમે ઝડપી પરિણામો ઈચ્છો છો તો આજથી જ લીમડાનો ઉપયોગ કરવાનું શરુ કરો. લીમડો તંદુરસ્ત માથા પરની ચામડી, વાળના વિકાસ અને વાળ ખરવાને નિયંત્રિત કરે છે. આ માટે લીમડાના પાનને સારી માત્રામાં પાણીમાં ઉકાળો અને તે જ પાણીથી તમારા વાળ થોડીવાર માટે ઘસો, ત્યારબાદ સાફ પાણીથી તમારા વાળ ધોઈ લો. તંદુરસ્ત વાળ માટે અઠવાડિયામાં આ ઉપાય 2-3 વખત કરો.

યોગ અને ધ્યાન

Advertisement
image source

વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે નિયમિત કસરત ઉપરાંત યોગ અને ધ્યાન પણ કરવું જોઈએ. નિયમિત ધ્યાન અને યોગ કરવાથી તમારું તાણ ઘટે છે. તાણ પણ વાળ ખરવાનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. યોગ અને ધ્યાનથી વાળ ખરતા અટકી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version