Site icon Health Gujarat

હાર્ટ એટેક આવતા જ શરીરમાં દેખાવા લાગે છે આ લક્ષણો, જાણો અને તમે પણ જલદી કરો આ ઉપાયો

આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે યુવાનોમાં હૃદયની સમસ્યા વધતી જોવા મળે છે. હાર્ટ એટેક વિશે વાત કરીએ તો પહેલાના સમયમાં આ રોગ 40 વર્ષની વય પછી થતો હતો. પરંતુ થોડા સમયથી એવું જોવા મળ્યું છે કે આ રોગ 25 થી 30 વર્ષની વયના લોકોમાં પણ થાય છે. હાર્ટ એટેકના લક્ષણો વ્યક્તિ દ્વારા પહેલાથી જ અનુભવાય છે, પરંતુ માહિતીના અભાવના કારણે લોકો તે લક્ષણોને ઓળખી શકતા નથી જેના કારણે હુમલો આવે છે. આજે અમે તમને હાર્ટ એટેકનાં લક્ષણો જણાવીશું, જે લક્ષણોની ક્યારેય અવગણવા ન કરવી જોઈએ, નહીં તો તમને હૃદય રોગ અથવા હાર્ટ એટેકની સમસ્યા થઈ શકે છે.

શ્વાસ લેવામાં તકલીફ

Advertisement
image source

હૃદયનું કામ લોહીને પમ્પ કરવું અને તેને આખા શરીરમાં નસો દ્વારા પહોંચાડવાનું છે. તે જ સમયે, જ્યારે આ નસોમાં અવરોધ આવે છે, ત્યારે ઓક્સિજન ફેફસામાં પહોંચતું નથી, જે હાર્ટ એટેકના પહેલાનું એક લક્ષણ છે હૃદયમાં દુખાવો

હૃદય વધુ લોહીને પમ્પ કરે છે જેના કારણે હૃદયના ધબકારા અનિયમિત રીતે વધે છે અને છાતીમાં દુખાવો થાય છે. તેનાથી હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરને મળો.

Advertisement

અતિશય પરસેવો

શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, છાતીમાં તીવ્ર દુખાવો થવો અને સાથે પરસેવો આવવો એ હાર્ટ એટેકથી પીડાતા હોવાની સંભાવના વધારે છે. આવા લક્ષણો દેખાતા જ ડોક્ટર પાસેથી તરત જ સારવાર લેવી.

Advertisement

સોજો

હોઠ વાદળી થવા અથવા શરીરના કોઈપણ ભાગ પર અચાનક સોજો આવવો જેમાંથી ઘૂંટણનો સોજો અને પગના પંજાના સોજા ઝડપથી દેખાય છે, આ હાર્ટ એટેકના લક્ષણોનું એક લક્ષણ છે.

Advertisement

થાક અથવા નિસ્તેજ

image source

નસો બ્લોક થવાના કારણે ઓક્સિજન ત્યાં યોગ્ય રીતે પહોંચતું નથી. જેના કારણે વ્યક્તિ જાતે જ કંટાળી જાય છે અથવા ખુબ જ થાકી જાય છે અને થોડા સમયમાં જ તેના શરીર પર પીળાશ આવવા લાગે છે. જો આવું થાય, તો તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.

Advertisement

અસ્વસ્થતા

આજકાલ એવું જોવા મળે છે કે લોકો ડિપ્રેશનના કારણે ખુબ જ તાણમાં રહે છે. પરંતુ એવું નથી, રાત્રે યોગ્ય રીતે સૂઈ ન શકવું અથવા ગભરાટ થવું એ પણ તાણનું કારણ છે, જે હાર્ટ એટેકનું લક્ષણ છે.

Advertisement

ચક્કર આવવા

image source

હૃદય મગજમાં પણ ઓક્સિજનની સપ્લાય કરે છે અને જ્યારે ઓક્સિજન સંપૂર્ણ રીતે મગજમાં પહોંચતું નથી, ત્યારે ચક્કર આવવાના શરૂ થાય છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. તે હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે.

Advertisement

જાણો હાર્ટ એટેકની સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ.

નિયમિત કસરત કરો

Advertisement
image source

હાર્ટ એટેકથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે દરરોજ કસરત કરવી. દરરોજ ઓછામાં ઓછા 15 મિનિટ સુધી કસરત કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે ચાલવું એ પણ એક સારી કસરત છે.

જંક-ફૂડનું સેવન કરવાનું ટાળો

Advertisement
image source

તેલયુક્ત અથવા જંક ફૂડ ખાવાનું ટાળો, કારણ કે તેમાં વધારે તેલ હોય છે, તેથી તે હૃદય માટે યોગ્ય નથી. હાર્ટ એટેકથી બચવા માટે આ પ્રકારના ખોરાકને ટાળો.

જાડાપણું દૂર કરો

Advertisement

શરીરમાં વધારે ચરબી હોવી એ પણ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. વધારે વજન હોવાને કારણે હૃદયને વધુ લોહી અને વધુ ઉર્જા પંપ કરવી પડે છે, જે નાજુક હૃદય પર વધુ દબાણ લાવે છે.

તાણથી દૂર રહો

Advertisement
image source

હાર્ટ એટેકથી બચવા માટે તાણથી દૂર રહેવું જરૂરી છે. જો તમે કોઈ તમારું પ્રિય ગુમાવ્યું છે, તો તે માટે તમારા હૃદયને તૈયાર કરો અને પ્રેમ અને શાંતિ મેળવવાનો પ્રયાસ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version