Site icon Health Gujarat

હાર્ટ એટેક આવવાના એક મહિના પહેલાથી જ શરીરમાં થવા લાગે છે આ ફેરફારો, જાણશો તો નહીં દોડવું પડે દવાખાને

આજકાલ કોરોના મહામારી ચાલી રહી છે અને લોકો કોરોનાથી બચવાના ઉપાયો શોધવામાં રહ્યા છે પણ ફક્ત એવું નથી કે આજકલ કોરોનને જ કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. અને લોકો બીજી ઘણી બીમારીઓ અને સૌથી વધુ હાર્ટ અટેકને કારણે મૃત્યુ પામી રહ્યા છે. હાર્ટઅટેક ઉપર કોઈનો જોર ચાલતો નથી. સામાન્ય માણસથી કરીને ધનવાન વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ અટેક આવી શકે છે.

image source

પણ આજે અમે તમને એક એવી માહિતી આપવા જઇ રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખીને તમે હાર્ટઅટેકથી બચવાના પ્રયત્નો કરી શકો છો. હાર્ટ અટેક આવતા પહેલા શરીરમાં પહેલાથી જ થોડા ફેરફાર આવવાના શરૂ થઈ જાય છે. હાર્ટ અટેક આવતા પહેલા શરીરમાં એક મહિના પહેલા સંકેતો આપવાનું શરૂ થઈ જાય છે. પણ આપણે એ સમજી શકતા નથી. પણ ચાલો આજે અમે તમને એ સંકેતો વિષે જણાવીએ.

Advertisement
image source

સૌપ્રથમ લોકો હાર્ટઅટેકનું નામ સાંભળતા જ ભયભીત થઈ જાય છે. વિશ્વભરમાં આને કારણે લખો લોકો મરી રહ્યા છે. પહેલા ફક્ત વૃધ્ધોને જ આ હાર્ટએટેક આવતા પણ હવે યુવાનો પણ આનો શિકાર બની રહ્યા છે. તો ચાલો અમે તમને હાર્ટઅટેક પહેલા આવતા સંકેતો વિષે જણાવીએ.

હાર્ટઅટેક આવતાના થોડા દિવસો પહેલા થી જ શરીરના બીજા અંગોમા દુખાવો થાય છે . એ ઉપરાંત છાતી અને તેની આજુબાજુના ભાગમાં વધુ દુખાવો અને આજુબાજુના અંગો કડક થઈ જાય છે. જો આવું થતું હોય તો તમારે તુરંત ડોક્ટર પાસે જવું અને તેની સલાહ લેવી જોઈએ.

Advertisement
image source

પેટમાં ગડબડ રહેવી. તમારી પાચન સિસ્ટમ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો એવું થતું હોય તો એ હાર્ટ અટેકના સંકેતમાંથી એક હોય શકે.

એ સિવાય શ્વાસ લેવામાં તકલીફ પડ્યા કરવી અને મન બેચેન રહે. જો છેલ્લા થોડા સમયથી તમારી સાથે આવું કઈ થતું હોય તો એ શરીરે આપેલ એક સંકેત હોય શકે છે. આવી પરિસ્થિતિમાં તુરંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version