Site icon Health Gujarat

મધ અને તજનો આ રીતે કરો ઉપયોગ, ગેસની તકલીફથી લઇને આ અનેક સમસ્યાઓ થાય છે દૂર

ઘરોમાં મધ અને તજનો ઉપયોગ ઘણી રીતથી થાય છે.કેટલીકવાર તેઓ ખોરાકમાં અને ક્યારેક પીણામાં વપરાય છે.પરંતુ જો તેનું સેવન એક સાથે કરવામાં આવે તો તે ઘણા ફાયદા આપે છે.તો ચાલો જાણીએ મધ અને તજ એકસાથે પીવાના કેટલાક જબરદસ્ત ફાયદાઓ વિશે.

કેન્સર જેવા જીવલેણ રોગોને નિયંત્રણમાં રાખવામાં તજ અત્યંત ફાયદાકારક છે.જો તજ પાવડર અને મધ એક મહિના માટે ગરમ પાણીમાં પીવામાં આવે છે,તો તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.ઉપરાંત,શરીર રોગો સામે લડવામાં પણ સક્ષમ બને છે.

Advertisement
image source

તજ અને મધ હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.તેના સેવનથી હૃદયની ધમનીઓમાં કોલેસ્ટરોલના સંચયને રોકે છે.ગરમ પાણી સાથે દરરોજ મધ અને તજ પીવો.તમે તજ અને મધના મિશ્રણને રોટલી સાથે પણ ખાઈ શકો છો.આ સિવાય તમે ચામાં પણ તજ નાખી શકો છો.

image source

જો તમે વધતા વજનને કાબૂમાં કરવા માંગતા હો તો મધ અને તજનું સેવન કરી શકાય છે.તે શરીરમાં કોલેસ્ટરોલ ઘટાડે છે,જે જાડાપણામાં વધારો કરતા નથી.એક ગ્લાસ પાણીમાં એક ચમચી તજ પાવડર ઉકાળો અને પછી તે ઉતારી લો.આ પછી તેમાં બે ચમચી મધ મિક્સ કરીને સવારે નાસ્તાના અડધા કલાક પહેલા પીવો. તેના સેવનથી શરીરમાં રહેલી વધારાની ચરબી ધીરે-ધીરે ઓછી થઈ જાય છે.

Advertisement
image source

જો તમને સાંધાનો દુખાવો થાય છે,તો તજનો ઉપયોગ કરો.આ માટે દરરોજ ગરમ પાણીમાં તજનું સેવન કરવું ફાયદાકારક છે,આ ઉપરાંત દુખાવાની જગ્યા પર તજ અને ગરમ પાણીની મસાજ કરવાથી પણ સાંધાનો દુખાવો દૂર થાય છે.

શરદી, ઉધરસ અથવા ગળાના દુખાવા માટે પણ આ અસરકારક ઘરેલું ઉપાય છે.દરરોજ સવારમાં તજને પીસીને એક ચમચી મધ સાથે એક ચપટી ખાઓ.આ ઉપાયથી શરદીમાં રાહત મળે છે.તમે ગરમ અથવા નવશેકા પાણીમાં મધ સાથે મિશ્રિત તજનું ચૂર્ણ પણ પી શકો છો.</p.
અપચો,ગેસ,પેટનો દુખાવો અને એસિડિટીની સમસ્યામાં તજ પાવડર લેવાથી રાહત મળે છે.તે ઉલટી અને ડાયરિયામાં પણ રાહત આપે છે અને ખોરાકના પાચનમાં પણ સુધારો કરે છે.મધ અને તજના પાવડરનું મિશ્રણ ખાવાથી પેટના અલ્સર મૂળમાંથી મટી શકે છે.

Advertisement
image source

ઠંડા પવન અથવા શરદીના કારણે થતા માથાના દુખાવામાં તજ લગાડવાથી ફાયદો થાય છે.ગરમીને લીધે થતા માથાનો દુખાવામાં તજ પીસીને તેમાં મધ નાખીને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે.આ સિવાય તજ તેલમાં થોડા ટીપાં,તલનું તેલ ઉમેરી તેની માથા પર માલિશ કરવાથી માથાનો દુખાવો ઓછો થાય છે.

image source

તજ અને મધ ત્વચા અને વાળની ​​સુંદરતામાં ખુબ જ ફાયદાકારક છે.તે ત્વચાને સુધારવાની સાથે કરચલીઓ પણ ઘટાડે છે.તજ પાઉડર સાથે લીંબુના રસનું મિક્ષણ ચેહરા પર લગાવવાથી ખીલ અને બ્લેકહેડ્સ દૂર થાય છે. લીંબુના રસમાં બે ચમચી ઓલિવ તેલ,એક ચમચી મધ,અડધો કપ દૂધ,બે ચમચી તજ પાવડર મિક્સ કરો અને પાંચ મિનિટ માટે ચેહરા પર લગાવો.આ પછી ચેહરો પાણીથી ધોઈ લો.તમારી ત્વચા પર તમને તરત જ અસર દેખાશે.
સૂવાના સમયે ચહેરા પર મધ અને તજની પેસ્ટ લગાવો અને તેને સવારે ગરમ પાણીથી ધોઈ લો,તેનાથી ચહેરો ચમકદાર થાય છે.

Advertisement
image source

ટાલ પર વાળ પાછા લાવવા અથવા વાળ પડતા અટકાવવા માટે,ગરમ ઓલિવ તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજ પાવડરની એક પેસ્ટ બનાવો અને તેને માથામાં લગાવો અને પંદર મિનિટ પછી માથું ધોઈ લો.

તજનું તેલ દુખાવો,ઘા અને સોજો દૂર કરવા માટે વપરાય છે.તે ત્વચાની ખંજવાળ પણ દૂર કરે છે,દાંતના દુખાવામાં રાહત આપે છે.મોમાં આવતી દુર્ગંધની સમસ્યામાં મોમાં તજ ચૂસવું ખૂબ ફાયદાકારક છે.

Advertisement
image source

દરરોજ સવારે નાસ્તા પેહલા થોડા ગરમ પાણીમાં તાજનો પાવડર અને મધનું મિક્ષણ પીવાથી યાદશક્તિમાં વધારો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version