Site icon Health Gujarat

બરફ અનેક પીડાને કરે છે દૂર, ગજબના આ 6 ફાયદાઓ વિશે જાણો તમે પણ

બરફનું નામ સાંભળીને આપણા મગજમાં આઈસ્ક્રીમ,બરફના ગોલા,બરફની કુલ્ફી અથવા બરફના ટુકડા દેખાવા લાગે છે,પરંતુ માત્ર બરફનું આજ કામ નથી,ખાવા પીવાનાં ઉપયોગ ઉપરાંત,બરફનાં ઘણાં વધુ ફાયદાઓ છે. દુખાવો,સોજો અથવા દાંતના દુખાવા જેવી અનેક સમસ્યાને ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ બરફ છે.

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે,બરફના સેકનો ઉપયોગ ઘણી સમસ્યાઓમાં થઈ શકે છે.તે ઘણી પરિસ્થિતિઓમાં ફાયદાકારક છે.બરફનો ઉપયોગ શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે.જોકે નવજાત શિશુઓ પર બરફનો ઉપયોગ કરવો યોગ્ય નથી. ચાલો અહીંયા અમે તમને ઘણા બરફના ફાયદાઓ વિશે જણાવીશું.

Advertisement

બરફ સોજા ઘટાડે છે

image source

જો તમે ગળા પર અથવા માંસપેશીઓમાં સોજોથી પીડાતા હો,તો પીડા અને સોજોથી રાહત માટે અસરગ્રસ્ત વિસ્તાર પર બરફનો સેક કરવો રામબાણ ઉપાય માનવામાં આવે છે.આ ઉપાય રુધિરવાહિનીઓને સંકુચિત કરે છે,જે શરીરના સોજા ઘટાડે છે.ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે,જો કોઈ ઈજા થાય છે,તો પ્રથમ 72 કલાકમાં સોજો ઘટાડવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે,કે તમારે તે જગ્યા પર બરફનો સેક કરવો.ઠંડક થવાના કારણે ચેતા પર સુન્ન અસર પડે છે જે બદલામાં સોજા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ માટે,કપડામાં બરફના ચારથી પાંચ ટુકડાઓ લપેટીને અસરગ્રસ્ત વિસ્તારમાં ઓછામાં ઓછા 20 મિનિટ સુધી તેનો સેક કરો અને દર કલાકે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.બરફને સીધી ત્વચા પર ન લગાવો,કારણ કે બરફની ઠંડકના કારણે ત્વચા શુષ્ક થઈ શકે છે.

Advertisement

પીડા દૂર કરે છે

image source

ઇન્જેક્શનને કારણે સ્નાયુઓમાં સોજો અથવા દુખાવો થાય છે,તો અસરગ્રસ્ત વિસ્તાર પર બરફ લગાવવાથી પીડા અને તકલીફ ઓછી થાય છે.તે અસરગ્રસ્ત વિસ્તારમાં સોજા ઘટાડવા અને રક્ત પરિભ્રમણમાં સુધારો કરીને પીડા સાથે લડવામાં મદદ કરે છે.રસીકરણથી થતી પીડા માટે,બરફનો ટુકડો લો અને તેને તમારા હથેળી પર ઘસો અને તમારી હથેળીને તે વિસ્તાર પર રાખો.સ્નાયુઓની પીડા માટે,અસરગ્રસ્ત વિસ્તાર પર બરફનો ટુકડો ઘસવો.પીડા દૂર કરવા માટે,દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત બેથી ત્રણ દિવસ માટે આ ઉપાય કરો.

Advertisement

મસાની તકલીફ માટે બરફ ઉપયોગી છે

image source

જે લોકોને મસાની તકલીફના કારણે દુખાવો થાય છે,તે લોકો દુખાવો ઓછો કરવા અને મસાની અગવડતા દૂર કરવા માટે બરફનો ઉપયોગ કરી શકે છે.બરફ બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે,પરંતુ તેને સીધું લગાડશો નહીં.થોડા બરફના ટુકડા લો અને તેને પ્લાસ્ટિકની થેલી અથવા શીટમાં લપેટો,પછી તેને સ્વચ્છ કપડામાં લપેટી લો.હવે તમારી પીઠ પર આરામદાયક સ્થિતિમાં સૂઈ જાઓ અને તેને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો.જ્યારે પણ તમને દુખાવો થાય છે,ત્યારે વધુમાં વધુ 10 મિનિટ માટે આ ઉપાય કરો.

Advertisement

સનબર્ન દૂર કરે છે

image source

બરફ ત્વચાને હાઇડ્રેટ કરે છે.એ એટલા માટે,કારણ કે બરફમાં પાણી હોય છે જે ત્વચા પર લગાડવાથી ત્વચામાં થતો દુખાવો અને બળતરા ઘટાડે છે.આટલું જ નહીં,ડોક્ટરોના જણાવ્યા મુજબ,જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો,તો પછી ચહેરા પર એલોવેરા સાથે બરફ લગાવો.એલોવેરાનો ઠંડો પ્રભાવ ત્વચા પર થયેલ સનબર્ન પર અસર બતાવશે.વધુ રાહત માટે બરફને શરીરના અન્ય ભાગો પર પણ ઘસી શકાય છે.જો એલોવેરા ન હોય તો કાકડીના રસ અને બરફને ચહેરા પર ઘસવું.સનબર્નથી તરત જ રાહત મેળવવા માટે બરફના ટુકડામાં ગુલાબજળ ઉમેરીને ત્વચા પર ઘસવું.

Advertisement

બરફ દાંતના દુખાવાને ઘટાડે છે

image source

બરફ દાંતના દુખાવામાં રાહત આપી શકે છે.કેટલાક સમય માટે સંવેદનશીલ વિસ્તારમાં બરફનો ટુકડો ઘસવાથી નસો અને પેઢા તટસ્થ થાય છે અને તેમાં રાહત મળે છે.એક કપડામાં બરફનો ટુકડો લપેટીને તેને તમારા ગાલ પર થોડીવાર રાખો.તમે સીધા દાંત પર પણ બરફ લગાવી શકો છો,પણ સીધો બરફનો ટુકડો દાંત પર લાગવાથી દાંતમાં વધુ દુખાવો થઈ શકે છે.

Advertisement

બરફ આંખના કાળા કુંડાળાઓમાં ઘટાડો કરે છે

image source

બરફની મદદથી,આંખના કાળા કુંડાળાની સાથે આંખોમાં થતી બળતરા પણ દૂર કરે છે.તે રુધિરવાહિનીઓને સાંકડી કરે છે,ત્વચાને ચુસ્ત રાખતી વખતે કાળાશ ઘટાડે છે.તે ત્વચાને મોસ્ચ્યુરાઇઝર આપીને તેની નીરસતાને પણ દૂર કરે છે.બરફના ટુકડામાં લવંડર તેલના થોડા ટીપાં નાખી અને આ સોલ્યુશનને કપાસની મદદથી કાળા કુંડાળાઓ પર લગાવો.ઝડપી રાહત મેળવવા માટે આ ઉપાય નિયમિત કરો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version