Site icon Health Gujarat

જમ્યા પછી તરત ઊંઘી જવું સ્વાસ્થ્ય માટે છે જોખમી, જાણો જમ્યાના કેટલા સમય પછી પથારીમાં આળોટવું જોઇએ

જમ્યા પછી તરત જ સુવાની આદત તમારા શરીરને ઘણી બીમારીનું ઘર બનાવી શકે છે. જમ્યા પછી સૂવાથી શરીરમાં જે લક્ષણો દેખાય છે, જેમ કે છાતીમાં બળતરા થાય છે, બેચેની થવી અને મોમાં કડવો સ્વાદ આવવો આ દરેક લક્ષણ દર્શાવે છે કે આપણા શરીર માટે આ યોગ્ય નથી. જેમ સ્વાસ્થ્ય માટે સારો ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમ જ, તે પણ મહત્વનું છે કે તમે રાત્રે જમ્યાના કેટલા સમય પછી સુવા જાઓ છો. આજે અમે આ સવાલનો જવાબ જણાવીશું અને જમ્યા પછી તરત જ સુવાથી થતા નુકસાન વિષે પણ જણાવીશું.

image soucre

ડોકટરો કહે છે કે જમ્યા પછી તરત જ સૂવાથી શરીરમાં અનેક પ્રકારના રોગો થઈ શકે છે. તેથી ભોજન અને સુવા વચ્ચે ત્રણ કલાકનું અંતર હોવું જરૂરી છે.

Advertisement

આ નિયમનું પાલન કરવાના ઘણા ફાયદા છે –

જમ્યા પછી જ સુઈ જવું એ ખરાબ ટેવ છે. સૂવાનો સમય પહેલાં જ ખોરાક ખાવાથી ઊંઘ બગડે છે. આ થવાની સંભાવના ત્યારે વધુ જોવા મળે છે જયારે તમે જરૂર કરતા વધુ ખોરાકનું સેવન કરો.

Advertisement
image soucre

– જમ્યા પછી તરત જ સૂવાથી રિફ્લક્સ લક્ષણો થઈ શકે છે, જેનાથી છાતીમાં બળતરા થાય છે, બેચેની થાય છે અને મોમાં કડવો સ્વાદ આવે છે. મસાલેદાર અને વધુ ખોરાક વધુ સમસ્યાઓનું કારણ બને છે. આલ્કોહોલ, ચોકલેટ અને પેપરમિન્ટ છાતીમાં બળતરા અને રિફ્લક્સની સમસ્યામાં વધારો કરી શકે છે.

અપચાની સમસ્યા

Advertisement
image soucre

જ્યારે તમે જમીને તરત જ સૂઈ જાવ છો ત્યારે ખોરાક યોગ્ય રીતે પચતો નથી. જેના કારણે અપચો અને અન્ય પાચન સમસ્યાઓ શરૂ થાય છે. તે જ સમયે, આંતરડા ખોરાકને પચાવવા માટે એસિડ બનાવે છે, પરંતુ જો તમે ખાધા પછી તરત જ સૂઈ જાઓ, તો આ એસિડ પેટમાંથી બહાર આવે છે અને ફૂડ પાઇપ અને ફેફસાના ભાગ સુધી પહોંચે છે, જેના કારણે વ્યક્તિને પેટમાં બળતરા થાય છે અને એસિડિટીની સમસ્યા છે.

જાડાપણાની સમસ્યા

Advertisement
image source

જો તમને રાત્રે જમ્યા પછી તરત જ સૂવાની ટેવ હોય, તો સમજો કે તમારું વજન ક્યારેય ઓછું નહીં થાય. ખરેખર, જમ્યા પછી સૂવાની ટેવ ખોરાકને પચાવવામાં મુશ્કેલી ઉભી કરે છે, જેના કારણે બાકીનો ખોરાક પેટમાં ચરબી તરીકે સંગ્રહ થવા લાગે છે અને વજન ધીરે ધીરે વધે છે. આટલું જ નહીં, જ્યારે પેટમાં ખોરાક એકઠો થાય છે અને મેટાબોલિકિઝમ પણ નબળી પડે છે ત્યારે પાચન ધીમું થાય છે. તેથી સૂવાનો સમય ઓછામાં ઓછો ત્રણ કલાક પહેલાં જમવાનો પ્રયત્ન કરો અને જો શક્ય હોય તો, જમ્યા પછી થોડો સમય ચાલો.

ઊંઘની સમસ્યા

Advertisement
image soucre

જે લોકો જમ્યા પછી તરત સૂઈ જાય છે, તેઓમાં ઘણી ઊંઘ સંબંધિત સમસ્યાઓ પણ શરૂ થાય છે. ખરેખર, જ્યારે તમે જમ્યા પછી સૂઈ જાઓ છો, ત્યારે તમને પેટ ભારે લાગે છે અને સૂવામાં તકલીફ પડે છે. બીજી તરફ, જો કોઈ વ્યક્તિ જમીને તરત જ સૂઈ જાય છે, તો પણ પેટમાં બહારના કારણે વારંવાર ઊંઘ ઉડી જાય છે અને સમય જતા આ એક બીમારી બને છે.

ડાયાબિટીઝનું કારણ બની શકે છે

Advertisement
image soucre

ખોરાક લીધા પછી શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધે છે. પરંતુ ખોરાક ખાધા પછી સૂવાથી ખાંડનો ઉપયોગ શરીરમાં થતો નથી અને વધુ ખાંડ લોહીમાં ઓગળવા લાગે છે. જેના કારણે વ્યક્તિના ડાયાબિટીઝનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version