Site icon Health Gujarat

કાચા કેળા ખાવાથી કબજીયાતથી લઇને આ અનેક સમસ્યાઓ થઇ જાય છે દૂર, ખાવાનું શરૂ કરી દો તમે પણ

પાકેલા કેળાના ફાયદા વિશે તો બધાને ખબર જ હોય છે અને નિયમિત રીતે લગભગ દરેક લોકો પાકા કેળાનું સેવન કરતા જ હોય છે.પાકેલા કેળાને ઉત્સાહથી ખાવામાં આવે છે,ત્યારે કાચા કેળાનો ઉપયોગ ફક્ત શાકભાજી અને કોફ્તા બનાવવા માટે જ કરવામાં આવે છે.આનું સૌથી મોટું કારણ એ છે કે સામાન્ય રીતે લોકોને કાચા કેળાના ફાયદાઓ વિશે ખબર હોતી નથી.તેથી જ આજે અમે તમને કાચા કેળાના અઢળક ફાયદાઓ વિશે જણાવીશું,જે જાણીને તમે આજથી કાચા કેળાનું સેવન કરવાનું ચાલુ કરી દેશો.

1. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

Advertisement
image source

કાચા કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે,જે રોગપ્રતિકારક શક્તિને તો મજબૂત રાખે જ છે,પરંતુ તે તમારા શરીરને આખો દિવસ સક્રિય રાખે છે.તેમાં હાજર વિટામિન બી 6,વિટામિન સી કોષોને પોષણ આપવા માટે કામ કરે છે.

2. એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર

Advertisement

કાચા કેળામાં હેલ્ધી સ્ટાર્ચ તેમજ એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.તેથી નિયમિત રીતે કાચા કેળાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

3. વજન ઘટાડવામાં મદદગાર

Advertisement
image source

વજન ઓછું કરવાનો પ્રયાસ કરનારાઓને દરરોજ કાચા કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે.તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે,જે બિનજરૂરી ચરબીવાળા કોષો અને અશુદ્ધિઓ સાફ કરવામાં મદદગાર છે.

4. કબજિયાતની સમસ્યામાં રાહત

Advertisement
image source

કાચા કેળામાં ફાઇબર અને હેલ્ધી સ્ટાર્ચ હોય છે.જે આંતરડામાં કોઈપણ પ્રકારની અશુદ્ધિઓ સ્થિર થવા દેતી નથી.આવી સ્થિતિમાં જો તમને વારંવાર કબજિયાતની સમસ્યા રહે છે,તો કાચા કેળાનું સેવન કરવું તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.

5. ભૂખ શાંત કરવા

Advertisement
image source

કાચા કેળામાં હાજર ફાઈબર અને અન્ય પોષક તત્વો ભૂખને કાબૂમાં રાખવાનું કામ કરે છે.કાચા કેળા ખાવાથી સમયાંતરે ભૂખ નથી લગતી અને તેથી આપણે જંક-ફૂડ અને અન્ય સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ ખાવાનું ટાળીએ છીએ.

6. ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે

Advertisement
image source

જો તમને ડાયાબિટીઝની સમસ્યા છે અને તે તેના પ્રારંભિક સ્વરૂપમાં છે તો તમે દરરોજ કાચું કેળું ખાવાનું શરૂ કરો.તે ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા માટે એક કુદરતી દવા છે.

7. પાચનમાં સુધારો કરવામાં મદદગાર

Advertisement
image source

કાચા કેળાના નિયમિત સેવનથી પાચનમાં સુધારો થાય છે.કાચા કેળા ખાવાથી પાચન રસનું પાચન સારી રીતે થાય છે.

8. હાડકાંને મજબૂત બનાવે છે

Advertisement
image source

કાચા કેળામાં હાજર કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને તે મૂડ સ્વિંગની સમસ્યામાં પણ ફાયદાકારક છે.

9.જઠરમાં થતી સમસ્યા દૂર કરે છે

Advertisement
image source

જઠરાંત્રિય સમસ્યાઓમાં કબજિયાત,હરસ,ચેપ,ડાયરિયા અને આંતરડાના કેન્સર જેવા રોગોનો સમાવેશ થાય છે. કોઈપણ આ રોગોથી પીડાઈ શકે છે.દરરોજ કાચા કેળાનું સેવન કરવાથી આ બધી જ સમસ્યાઓ સામે લડવામાં અને તેમના લક્ષણોમાં અમુક હદ સુધી ઓછા કરવામાં મદદ મળે છે.એક તબીબી અહેવાલમાં જણાવાયું છે કે કાચા કેળામાં સારી માત્રામાં ફાઇબર અને સ્ટાર્ચ હોય છે અને બંનેને જઠરમાં થતા રોગોના પ્રભાવોને ઘટાડવામાં ફાયદાકારક માનવામાં આવે છે.જો તમને આ સમસ્યા ગંભીર રૂપમાં હોય તો તમારે કાચા કેળાનું સેવન ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવું જોઈએ.

10.કેન્સરની સમસ્યા દૂર કરે છે

Advertisement
image source

જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો કેન્સર જીવલેણ બની શકે છે.કેન્સરથી બચવા પ્રાકૃતિક વિકલ્પ કરતાં કાંઈ સારું નથી,તેથી કેન્સરની સમસ્યાથી દૂર રહેવા માટે કાચા કેળા પર આધાર રાખી શકાય છે.કાચા કેળાના ફાયદા કેન્સરને રોકવામાં અસરકારક સાબિત થઈ શકે છે.એક મેડિકલ રિપોર્ટ અનુસાર કાચા કેળામાં પ્રતિરોધક સ્ટાર્ચ હોય છે,જે પ્રતિરક્ષા સુધારી શકે છે.આ આંતરડાના કેન્સરને ટાળવા માટે મદદ કરી શકે છે.

11.હૃદયને સ્વસ્થ રાખે છે

Advertisement
image source

કોલેસ્ટરોલ અને બ્લડ પ્રેશરમાં વધારો થવાથી હૃદયની તીવ્ર બીમારી થઈ શકે છે.કાચા કેળા હૃદયની તંદુરસ્તી જાળવવા માટે મદદગાર સાબિત થઈ શકે છે.કાચા કેળામાં સારી માત્રામાં ફાઇબર હોય છે,જે વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકે છે.આ ઉપરાંત કાચા કેળામાં ન્યુટ્રાસ્યુટીકલ ગુણધર્મો હોય છે,જે કાર્ડિયાક સમસ્યાઓના કિસ્સામાં રક્ષણાત્મક ભૂમિકા ભજવવામાં મદદ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version