Site icon Health Gujarat

આ એક એવું ફળ છે જે કાચું ખાવાથી પણ ફાયદો થશે અને પાકું ખાવાથી પણ, જાણો કાચા પપૈયાના સેવનથી થતા ફાયદાઓ

અત્યારના સમયમાં દરેક લોકોના ઘરોમાં ફળો હોય જ છે. ફળો ખાવાના ઘણા ફાયદા છે, ફાળો ખાવાથી શરીરમાં પોષણ ભરપૂર રહે છે. પપૈયા પણ એવા ફળોમાંથી એક છે. પપૈયાના ઘણા ફાયદાઓ આયુર્વેદમાં પણ જણાવેલ છે. પપૈયા જ નહીં પરંતુ તેના પાંદડા, છાલ અને મૂળના પણ ઘણા ફાયદા છે, જેનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે ઘરેલું ઉપાય તરીકે કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે કાચા પપૈયા શરીર માટે કેટલા ફાયદાકારક છે ? ખરેખર, કાચા પપૈયા પેટ માટે પણ ખૂબ સારા માનવામાં આવે છે. કાચા પપૈયા આંતરડાને તો સ્વસ્થ રાખે જ છે, સાથે તેના બળતરા વિરોધી ગુણધર્મો શરીરને બળતરા અને પીડાથી સુરક્ષિત કરે છે.

કાચા પપૈયામાં રહેલા પોષક તત્વો –

Advertisement
image source

સંશોધન અનુસાર કાચા પપૈયા વિટામિન સીનો મહત્વપૂર્ણ સ્રોત છે અને એક મધ્યમ કદના પપૈયાનું સેવન કરવાથી સરળતાથી દરરોજની આવશ્યકતામાં લગભગ 220 ટકા વિટામિન સી મેળવી શકાય છે. તેમાં લગભગ 110-120 કેલરી, 25 થી વધુ ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 4.5 ગ્રામ રેસા અને આશરે 15 ગ્રામ ખાંડ હોય છે. એટલું જ નહીં, કાચા પપૈયામાં 1-2 ગ્રામ પ્રોટીન પણ હોય છે. ઉપરાંત, કાચા પપૈયા મેગ્નેશિયમ, ઝીંક, વિટામિન બી, બીટા કેરોટિન, વિટામિન એ, કેલ્શિયમ, પોટેશિયમ, ફોલેટ, વિટામિન આલ્ફા, લ્યુટિન અને એન્ટીઓકિસડન્ટો જેવા કે ઝેકસેન્થિન અને પેન્ટોથેનિક એસિડ, લાઇકોપીનથી ભરપૂર છે. કાચા પપૈયાના સેવનથી શરીરની ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. તો ચાલો જાણીએ કાચા પપૈયાના સેવનથી થતા ફાયદાઓ વિશે.

1. પાચન સુધારે છે

Advertisement
image source

જ્યારે પપૈયાની વાત આવે છે, ત્યારે તેમાં પેપૈન નામનું એન્ઝાઇમ હોય છે, જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે. તેનાથી પેટમાં થતી તમામ પ્રકારની સમસ્યાઓથી રાહત મળે છે. જેના કારણે પાચન સુધારવામાં મદદ મળે છે. કાચા પપૈયા કુદરતી રીતે કબજિયાત, અપચો, હાઈ બ્લડ પ્રેશર તેમજ પેટની દરેક સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આપણે આ વાતને નકારી ન શકીએ કે આહારમાં કાચા પપૈયાનો સમાવેશ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ સાથે સ્વાસ્થ્ય લાભની સાથે પપૈયા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને ડાયાબિટીઝને પણ નિયંત્રણમાં રાખે છે.

2. ચેપ દૂર કરવામાં મદદ કરે છે

Advertisement
image source

સ્ટેફાયલોકોકસ ઓરિયસ, બેસિલસ સેરીઅસ સહિત આવા ઘણા તત્વો છે, જે ચેપનું જોખમ વધારે છે. કાચા પપૈયા આ બધા હાનિકારક તત્વોને શરીરથી દૂર રાખે છે. કેટલાક સંશોધન મુજબ, યુટીઆઈની 75 ટકા સમસ્યા કાચા પપૈયાના સેવનથી દૂર થઈ શકે છે. જો તમે કાચા પપૈયા ખાશો તો શરદી, ફ્લૂ અને કાનના ચેપ જેવા રોગો તમારાથી દૂર રહેશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કાચા પપૈયા ખાવાથી દવાઓને કારણે આંતરડામાં થતા સોજા પણ ઓછા થાય છે.

3. એન્ટી એજિંગ પ્રોપર્ટી

Advertisement
image source

જ્યારે પણ તમારા શરીરમાં ફ્રી રેડિકલ ઝેરનું સ્તર વધે છે, ત્યારે તે ઘણા રોગો થવાનું જોખમ પણ વધારે છે. જેના કારણે ત્વચામાં પિમ્પલ્સ અને કરચલીઓ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ કિસ્સામાં, કાચા પપૈયાનું સેવન તમારી ત્વચાની સારી સંભાળ રાખે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો ત્વચાના રંગમાં પણ સુધારો લાવે છે અને ત્વચાને સૂર્યની હાનિકારક કિરણોથી બચાવે છે. જો કાચા પપૈયાની છાલની પેસ્ટ મધ સાથે મેળવીને ચહેરા પર લગાવવામાં આવે, તો તે ચહેરાને મોઇશ્ચરાઇઝ કરે છે.

4. પીરિયડ્સની પીડા ઓછી થાય છે

Advertisement
image source

એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ તેમના પીરિયડ્સ દરમિયાન ઘણીવાર પીડાય છે. સંશોધન મુજબ, કાચા પપૈયાના પાંદડાનું અર્ક પીરિયડ્સના પીડા અને પ્રોસ્ટાગ્લાન્ડિનના સ્તરને નોંધપાત્ર રીતે ઘટાડે છે. કાચા પપૈયાના પાંદડામાં ફ્લેવોનોઇડ્સ નામનું તત્વ હોય છે. જે પીરિયડ્સ દરમિયાન થતો તીવ્ર દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. આ એક કુદરતી ઉપચાર છે જેની કોઈ આડઅસર નથી.

5. ઘા મટાડે છે

Advertisement
image source

કાચા પપૈયાનો અર્ક ત્વચાની બળતરા અને કોઈ પણ પ્રકારની ઈજા અથવા ઘાને મટાડવામાં મદદ કરે છે. કાચા પપૈયામાં હાજર બળતરા વિરોધી અને ઇમ્યુનોમોડ્યુલેટરી ફંક્શન્સ મુખ્યત્વે તેમનું કાર્ય કરે છે. તેના સેવનથી ઘણા કારણે થતો ચેપ પણ અટકી જાય છે.

કાચા પપૈયા ખાવાની રીત –

Advertisement

એવા ઘણા લોકો છે જે જાણતા નથી કે કાચા પપૈયાનું સેવન કેવી રીતે કરવું જોઈએ. તો ચાલો અમે તમને જણાવીએ કાચા પપૈયાનું સેવન કેવી રીતે કરાય.

– કાચા પપૈયાના કટકા કરીને પાંચથી સાત મિનિટ સુધી બાફીને ખાઈ શકાય છે.

Advertisement

– થોડી ખાટી અને થોડી મીઠી શાકભાજી બનાવવા માટે તમે કાચા પપૈયા અને મગફળીના બીનું શાક બનાવી શકો છો.

image source

-તમે કાચા પપૈયામાં મસાલાનો ઉમેરીને તેને સલાડની જેમ પણ ખાઇ શકો છો.

Advertisement

– આ રીતે કાચા પપૈયા ખાવાથી તમે તમારી જાતને ઘણી નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version