Site icon Health Gujarat

કાચા પપૈયાના આ અઢળક ફાયદાઓ જાણીને તમને પણ લાગશે નવાઇ, કબજીયાત, વજન ઘટાડવા માટે છે અક્સીર

પાકા પપૈયા ના સ્વાસ્થ્ય ને ઘણા ફાયદા થાય છે, પરંતુ તેના કાચા આકારના આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભ પણ છે. વિટામિન એ, સી, ઇ, બી, એન્ઝાઇમ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ થી ભરપૂર કાચું પપૈયા પણ મેગ્નેશિયમ, પોટેશિયમ નો સારો સ્ત્રોત છે. શું તમે જાણવા માંગો છો કે કાચું પપૈયા તમને સ્વસ્થ રહેવામાં કેવી રીતે મદદ કરી શકે છે ?

વજન ઘટાડવામાં મદદ કરે છે

Advertisement
image source

કાચા પપૈયામાં પાકા પપૈયા કરતાં ઘણા વધુ સક્રિય એન્ઝાઇમ્સ હોય છે. તેના બે સૌથી મજબૂત એન્ઝાઇમ્સ પાપિન અને કાઇમોપેપેન છે. આ બંને એન્ઝાઇમ્સ ખોરાકમાંથી ચરબી, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ને તોડવામાં મદદ કરે છે. હકીકતમાં પેપ્સીન કરતાં ચરબી તોડવામાં પાપિન એન્ઝાઇમ વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

ડાયાબિટીસ સુધારવામાં મદદરૂપ

Advertisement
image source

જો તમે ડાયાબિટીસ ના રોગી છો, તો કાચા પપૈયા તમારા ખોરાક માટે ખૂબ જ યોગ્ય ફળ છે. આ કાચા ફળો ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ સારા માનવામાં આવે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કાચા પપૈયા નો રસ લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

પાચનક્રિયા સુધારે છે

Advertisement
image soucre

કાઇમોપાપિન, પાપાઇન અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ વાળા અન્ય એન્ઝાઇમ્સ પાચન ને સુધારવામાં મદદ કરે છે. આ મજબૂત મિશ્રણ શરીરમાંથી ઝેર થી છૂટકારો મેળવવામાં મદદ કરવા માટે ઉત્તમ છે.

કબજિયાત મટાડવામાં મદદરૂપ

Advertisement
image source

ઉચ્ચ ફાઇબરના કારણે કબજિયાત મટાડવા માટે કાચું પપૈયું ખૂબ સારું છે. કાચા પપૈયામાં હાજર એન્ઝાઇમ્સ, ખાસ કરીને લેટેક્સ, તમારા પેટને સાફ કરવામાં મદદ કરે છે. ફાઇબર તત્વ પણ પાણી ને શોષી લે છે, અને મળને નરમ કરવામાં મદદ કરે છે.

ઘાને ઝડપથી સાજો કરે છે

Advertisement

કાચા પપૈયા ઘાને મટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, આ ફળ પ્રોટિઝ એન્ઝાઇમ્સના ઉચ્ચ ભાગને કારણે ઘાને ઝડપ થી સાજા કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કાચા પપૈયામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન એ, સી, ઇ અને બી જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો પણ હોય છે, જે ચોક્કસ ત્વચા ની સ્થિતિને દૂર કરવામાં અને બળતરાને શાંત કરવામાં મદદ કરે છે.

ચેપ દૂર કરવામાં મદદ કરે છે

Advertisement
image source

સ્ટેફાયલોકોકસ ઓરિયસ, બેસિલસ સેરીઅસ સહિત આવા ઘણા તત્વો છે, જે ચેપનું જોખમ વધારે છે. કાચા પપૈયા આ બધા હાનિકારક તત્વો ને શરીરથી દૂર રાખે છે. કેટલાક સંશોધન મુજબ, યુટીઆઈ ની પંચોતેર ટકા સમસ્યા કાચા પપૈયા ના સેવનથી દૂર થઈ શકે છે. જો તમે કાચા પપૈયા ખાશો તો શરદી, ફ્લૂ અને કાન ના ચેપ જેવા રોગો તમારા થી દૂર રહેશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કાચા પપૈયા ખાવા થી દવાઓને કારણે આંતરડામાં થતા સોજા પણ ઓછા થાય છે.

પીરિયડ્સની પીડા ઓછી થાય છે

Advertisement
image source

એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ તેમના પીરિયડ્સ દરમિયાન ઘણીવાર પીડાય છે. સંશોધન મુજબ, કાચા પપૈયાના પાંદડા નું અર્ક પીરિયડ્સના પીડા અને પ્રોસ્ટાગ્લાન્ડિનના સ્તરને નોંધપાત્ર રીતે ઘટાડે છે. કાચા પપૈયાના પાંદડામાં ફ્લેવોનોઇડ્સ નામનું તત્વ હોય છે. જે પીરિયડ્સ દરમિયાન થતો તીવ્ર દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. આ એક કુદરતી ઉપચાર છે જેની કોઈ આડઅસર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version