Site icon Health Gujarat

કડવા કારેલા સ્વાસ્થ્ય અને વાળ તથા સ્કીનને પણ કરે છે ફાયદો, ભાગ્યે જ જાણતા હશો આ ખાસ ઉપાયો

કરેલા એક એવું શાક છે કે જેનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે, અને આ કડવાશને કારણે ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કરેલા ને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કરેલા ઓષધીય ગુણો થી ભરપૂર હોવાનું જાણીતું છે. કરેલાંમાં ફાઇબર, એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન એ, સી, ઈ, કે કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તમે શાકભાજી અને રસ તરીકે કારેલા નો ઉપયોગ કરી શકો છો.

image source

કારેલાનો રસ પીવાથી, તમારો ચહેરો પણ ચમકે છે અને શરીર સારી રીતે ડિટોક્સ થઈ જાય છે. એટલું જ નહીં, કારેલાના રસનું સેવન કરવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. આ સિવાય કારેલાના રસનું સેવન કરીને પાચન તંત્રને મજબૂત બનાવી શકાય છે.

Advertisement

લાભ :

સ્થૂળતા :

Advertisement
image source

જો તમે તમારા વજન વધવાથી નારાજ છો અને વજન ઘટાડવા માંગો છો તો કડવા કરેલા નો રસ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. કડવા કરેલામાં કેલરી ઓછી હોય છે, અને ફાઇબર ભરપૂર હોય છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ શરીર ને ડિટોક્સિફાઇ કરવામાં મદદ કરે છે, જે વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.

ડાયાબિટીસ :

Advertisement
image source

ડાયાબિટીસ એ આજના સમયની ગંભીર સમસ્યાઓમાંની એક છે. કારેલાના રસનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે એકદમ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોલિપેપ્ટાઇડ પી નામનું ઇન્સ્યુલિન જેવું પ્રોટીન હોય છે. આ ડાયાબિટીસ, બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે.

સ્કીન :

Advertisement
image source

કડવા કરેલા એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન એ અને સી થી ભરપૂર છે, જે ત્વચા માટે સારું છે. કડવા કરેલાના જ્યુસનું સેવન કરવાથી ખીલ અને ત્વચાની સમસ્યાઓ મટી શકે છે.

ઇમ્યુનિટી :

Advertisement
image source

કડવા કરેલા ને રોગપ્રતિકારક શક્તિ માટે સારું માનવામાં આવે છે. કડવા કરેલામાં ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન એ, સી, ઇ, કે, કેલ્શિયમ અને આયર્નના ગુણધર્મો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

ભૂખ વધારવામાં સહાયક :

Advertisement
image source

તમારા પરિવારમાં કોઈને ભૂખ ના લગતી હોય અથવા ઓછી લાગતી હોય તો કારેલા નું સેવન ફાયદાકારક રહેશે. મનુષ્ય ને ભૂખ ના લાગવાથી શરીરને પૂરું પોષણ નથી મળતું. શરીર ને પૂરતું પોષણ મળવાથી તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે. તેથી દરરોજ કારેલા ના જ્યૂસનું સેવન કરવાથી અથવા શાક ખાવવાથી પાચન ક્રિયા સરખી થાય છે. અને ભૂખમાં વધારો થાય છે.

Advertisement
Advertisement
Exit mobile version