Site icon Health Gujarat

બેસ્ટ હેલ્થ ટોનિક છે ખજૂર, શિયાળામાં બાળકોની રોગપ્રતિકારણ શક્તિ વધારવા આ રીતે કરો ડાયેટમાં સામેલ

શિયાળાની ઋતુ આવતા લોકો તલ અને ખજૂરનું સેવન કરવાનું શરૂ કરી દે છે. ખજૂર શરીરમાટે ખૂબ લાભ કારી છે. અને ડ્રાયફ્રૂટ્સમાં સૌથી મુખ્ય માનવામાં આવે છે ખજૂર. ખજૂર એક કે બે નહી પણ ઘણી વસ્તુઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલુ જ નહી આ બાળકના માથાથી લઈને તેના શરીરને પણ મજબૂત બનાવવાથી લઈને ઘણા ફાયદા પહોંચાડે છે. ખજૂરમાં આયરન, કેલ્શિયમ, સોડિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા ખનીજ પદાર્થોનો એક સારો સ્ત્રોત છે. જે શરીરની તંદુરસ્તી માટે ખુબ લાભકારી છે.

ખજૂરમાં આ પોષક તત્વોનો હોય છે બંડાર

Advertisement
image source

ખજૂરની અંદર થાયમિન, રાઈબોફ્લેવિન, નિયાસિન, ફોલેટ, વિટામિન A, બી6 અને વિટામિનન જેવા ઘણા પ્રકારના વિટામિન સારી માત્રામાં હોય છે. તેમાં શુગર અને ફાઈબરનો પણ સારો સ્ત્રોત હોય છે. તે સાથે જ ફ્રૂક્ટોજ અને ડેક્સટ્રોજ હોય છે, જે બાળકોને ઉર્જા આપે છે. આ બધા પોષક તત્વ બાળકના વિકાસ માટે જરૂરી હોય છે અને માઁતાના દૂધ સાથે મિક્સ કરનારી પોષણની પૂર્તિ તેનાથી કરી શકાય છે.ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં રહેલું આયરન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમ જ ખજૂરનાં પોષક તત્વોને દૂધ પૂરેપૂરાં શરીરમાં શોષવા માટે મદદ કરે છે જેથી એના સઘળા લાભ લઈ શકાય. એનર્જી ને વિકાસ માટે નાનાં બાળકોથી લઈને પ્રૌઢ વયના લોકોને પણ ખજૂર અનેક રીતે લાભકારી છે

બાળકોને આ રીતે ખવડાવો

Advertisement
image source

બાળકોને 6 મહીનાના થવા પર તેને ઠોસ આહારના રૂપમાં ખજૂર ખવડાવવાનું શરૂ કરી શકો છો. બાળકોને શરૂઆતમાં તમે ખજૂર મેશ કરી અથવા પ્યૂરીના રૂપમાં ખવડાવી શકો છો. કોઈપણ નવી વસ્તુ ખવડાવ્યા બાદ હંમેશા ત્રણ દિવસ રાહ જોવો. જેનાથી તમે એ જાણી શકો કે, ક્યાંય બાળકને તે વસ્તુથી કોઈ એલર્જી તો નથી થઈ રહી ને.

image source

ઓછું વજન હોય, હાઇટ વધતી ન હોય, બુદ્ધિશક્તિ મંદ હોય, શરીરનો બાંધો નબળો હોય તો ખજૂરવાળું દૂધ બેસ્ટ રહેશે. ખજૂરને બરાબર ધોઈને પાણીમાં પલાળી લો. સવારે ઊઠીને કાં તો ચોળીને અથવા તો ઝીણી-ઝીણી સમારીને દૂધમાં મેળવો અને સાકર નાખ્યા વિના જ બરાબર ઉકાળો. પાણીનો ભાગ બળી જાય એટલે ઠારીને બાળકને પીવા આપો. જો દૂધ સાથે ખજૂર નાખીને પીવું ન હોય તો ખજૂર પાક બનાવીને ૨૦ ગ્રામનો એક ટુકડો દૂધ સાથે ખાવા આપો.

Advertisement

ખજૂરના ફાયદા

image source

ખજૂરમાં ખનિજ પદાર્થ, વિટામિન પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. જે બળાકના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ખજૂરનું સેવન કરવાથી મસ્તિષ્કનો વિકાસ થાય છે અને ખજૂરમાં આ પોષક તત્વ પુષ્કળ પ્રમાણમાં હાજર હોય છે. તેથી બાળકના સંજ્ઞાનાત્મક વિકાસ માટે તમે તેના આહારમાં ખજૂરને સામેલ કરી શકો છો. તે સાથે જ આ ખજૂર અપચાને ઠીક કરવા માટે હોય છે. આ આંતરડામાં જે બેક્ટીરિયા હોય છે અથવા તેની સાથે જોડાયેલી સમસ્યાઓને પણ ઠીક કરે છે.

Advertisement
image source

તે સાથે જ શિશુનું લિવર ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી વાયરલ અને બેક્ટીરિયાથી સંક્રમિત હોવાનો ખતરો તેમાં વધુ હોય છે. તેને ઠીક કરવા માટે બાળકોને ખજૂર ખવડાવો. દાંતોને મજબૂત પણ કરે છે ખજૂર. પાકેલ ખજૂર ચાવવાથી દાંતની એક્સરસાઈજ પણ થાય છે જે શરૂઆતમાં બાળકોને ફાયદો પહોંચાડી શકે છે. તે સાથે જ ખજૂર તાવ અને ચિકન પોક્સમાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ મહત્વની વાત એ છે કે તેની યોગ્ય માત્રા જાળવવી હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version