બોલીવુડ અભિનેત્રી અને ચંડીગઢથી બીજેપી સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર થઈ ગયું છે. કિરણ ખેરને સારવાર માટે મુંબઈના હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. બ્લડ કેન્સર એટલે કે એક એવી બીમારી જે આપણા બ્લડ સેલ્સને ફંક્શન અને પ્રોડક્શન પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. ચાલો આપને જણાવીએ કે, બ્લડ કેન્સર થવાના કારણ અને એના શરુઆતના લક્ષણો વિષે જણાવીશું, જેને મોટાભાગના લોકો નજરઅંદાજ કરે દેતા હોય છે.
ત્રણ પ્રકારના હોય છે બ્લડ કેન્સર.
લ્યુકેમિયા:
લ્યુકેમિયા બ્લડ કેન્સરમાં અસ્થિ મજ્જાની અંદરની તરફ અસામાન્ય રક્ત કોશિકાઓનું ઝડપથી પ્રોડક્શન થાય છે. આ અસામાન્ય બ્લડ સેલ્સ શરીરમાં રેડ બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સને પ્રભાવિત કરે છે.
લિમ્ફોમા:
બ્લડ કેન્સરનો બીજો પ્રકાર હોય છે લિમ્ફોમા. આ પ્રકારના બ્લડ કેન્સર આપણા લિમ્ફૈટિક સિસ્ટમને ખરાબ કરે છે, જે આપણા શરીર માંથી વધારાના ફ્લ્યુડને બહાર કાઢવાનું અને ઈમ્યુન સિસ્ટમને પ્રોડ્યુસ કરવાનું કામ કરે છે. લિમ્ફોસાઈટ્સ એક પ્રકારના વાઈટ સેલ્સ હોય છે જે શરીરમાં ઇન્ફેકશનની સામે લડે છે.
માયલોમા:
આ પ્રકારના બ્લડ કેન્સર આપણા પ્લાઝમા સેલ્સ પર ખરાબ અસર પાડે છે. આ એક વાઈટ બ્લડ સેલ્સ છે જે શરીરમાં રોગો સામે લડી શકતા એંટીબોડીને પ્રોડ્યુસ કરવાનું કામ કરે છે. માયલોમા પ્લાઝમા સેલ્સના પ્રોડક્શનને પ્રભાવિત કરે છે જેના પરિણામ સ્વરૂપ આપણી ઈમ્યુન સિસ્ટમ નબળી પડી શકે છે.
બ્લડ કેન્સર શરીરમાં લોહી, અસ્થિ મજ્જા અને લિમ્ફૈટિક સિસ્ટમ પર ખરાબ અસર પાડે છે. બ્લડ કેન્સરમાં સામાન્ય રીત કેટલાક સામાન્ય લક્ષણ જોવા મળી શકે છે. શરીરમાં નબળાઈ, થાક કે પછી બેચેની બ્લડ કેન્સરના લક્ષણ હોઈ શકે છે. એના સિવાય શ્વાસ લેવામાં સમસ્યા અને પેઢા માંથી લોહી આવવાની પણ સમસ્યા થઈ શકે છે.
રાતના સમયે પરસેવો આવવો પણ બ્લડ કેન્સર હોવાનો સંકેત છે. અચાનક ઝડપથી વજન ઘટી જવું, સતત ઉલટીઓ થવી, તાવ, રીંકરેટ ઇન્ફેકશન અને એનોરેક્સિયા જેવા લક્ષણ પણ બ્લડ કેન્સરમાં જોવા મળી શકે છે.
પેટના ભાગ પર ગાંઠ હોવી પણ બ્લડ કેન્સરના લક્ષણ હોઈ શકે છે. એના સિવાય દર્દીને કમરનો દુઃખાવો, પેટમાં દુઃખાવો અને હાડકામાં દુઃખાવાની ફરિયાદ પણ થઈ શકે છે.
બ્લડ કેન્સરમાં આંખોમાં ધૂંધળાપણું કે પછી તેજ દુઃખાવાની સમસ્યા પણ થઈ શકે છે. ત્વચા પર કાળા ધબ્બા કે પછી લાલ ચકામાં પડી શકે છે. યુરીનેશનમાં મુશ્કેલી કે પછી ઓછા પેશાબનું આવવું પણ બ્લડ કેન્સરનો વોર્નિંગ સાઈન હોઈ શકે છે.
શું છે બ્લડ કેન્સરના કારણ:
મૈક્સ હેલ્થ કેરની એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ, એક વ્યક્તિ કેટલાક કારણોના લીધે બ્લડ કેન્સરનો શિકાર થઈ શકે છે. કેટલીક વાર વારસાગત કે પછી એજિંગની સમસ્યાના લીધે બ્લડ કેન્સર વ્યક્તિને ઘેરી લેતી હોય છે. એના સિવાય નબળી ઈમ્યુન સિસ્ટમ અને અલગ અલગ પ્રકારના ઇન્ફેકશનના કારણે પણ આપને બ્લડ કેન્સર થઈ શકે છે.
શું છે સારવાર:
ભારતમાં બ્લડ કેન્સરની સારવાર કેટલીક હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ છે. એક્સપર્ટsના જણાવ્યા મુજબ, બાયોલોજીકલ થેરપી દ્વારા બ્લડ કેન્સરને હરાવી શકાય છે. કીમોથેરપી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સિવાય રેડીએશન ઓન્કોલોજીસ્ટ થેરપી અને હેયમેટો ઓન્કોલોજીસ્ટ પણ બ્લડ કેન્સરની સારવારમાં મદદગાર સાબિત થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત