Site icon Health Gujarat

તુલસી રસોઇના સ્વાદમાં કરે છે વધારો, જાણો બીજી એવી ઔષધિઓ વિશે જે તમારી રસોઇને ટેસ્ટી બનાવવાનું કરે છે કામ

તમારા રસોડામાં જડીબુટ્ટીઓ લગાવવાથી તંદુરસ્ત જીવનની સાથે પૈસાની પણ બચત થાય છે.તમે નાના પોટ્સનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી આ ઔષધિવાળા છોડ રસોડામાં ઉગાડી શકો છો.તમે આ પોટ્સને બારી પર,ડાઇનિંગ ટેબલ અથવા બાલ્કની પર ખૂબ જ સરળતાથી મૂકી શકો છો.તમારા ઘરમાં મળી આવેલી તાજી વનસ્પતિઓ તમારા આહારના સ્વાદમાં વધારો કરી શકે છે.તમે તેનો વધુ ઉપયોગ સ્વાદિષ્ટ સૂપ અને સલાડ બનાવવા માટે કરી શકો છો.તો ચાલો અમે તમને જણાવીએ કેટલીક એવી ઔષધિઓ વિશે કે જેને તમે સરળતાથી તમારા રસોડામાં ઉગાડી શકો છો.

તુલસી

Advertisement
image source

તુલસી રોજિંદા ઉપયોગમાં લેવામાં આવતી એક અદભૂત ઔષધિ છે અને તે વિવિધ રંગો અને આકારો સાથે મળી રહે છે.તુલસીનો ઉપયોગ ઘણી વાનગીઓમાં પણ થાય છે.તેનો ઉપયોગ સલાડથી લઈને ફ્રાયિંગ ડીશ સુધીની દરેક વસ્તુમાં થાય છે.તમે આ છોડને નાના વાસણમાં પણ રોપી શકો છો અને તમારા રસોડાની બાલ્કનીમાં લટકાવી શકો છો,જ્યાં સૂર્યપ્રકાશ સરળતાથી આવી શકે છે.વધુ સ્વાદ અને સુગંધ માટે તમે તુલસીના તાજા પાંદડા તોડીને તેનો ઉપયોગ કરી શકો છો.

ધાણા

Advertisement
image source

ધાણા પાંદડાનો ઉપયોગ મોટાભાગે ખોરાક બનાવ્યા પછી તેનો સ્વાદ વધારવા માટે થાય છે.તે દક્ષિણપૂર્વ એશિયાના દેશો અને ભારતીય મસાલાવાળા ખોરાકમાં સુગંધ વધારવા માટે શ્રેષ્ઠ છે.તમે ઘણાને તમારા ડાઇનિંગ ટેબલ પર નાના વાસણમાં મૂકી ઉગાડી શકો છો.આ તમારા માટે એક ડેકોરેશનનો ઓપ્શન પણ બની જશે.

લીલી ડુંગળી

Advertisement
image source

લીલી ડુંગળીનો ઉપયોગ મોટાભાગની વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે.ઉત્તર-પૂર્વ ભારતની કેટલીક વાનગીઓમાં લીલી ડુંગળીનો ઉપયોગ લસણના બદલે કરવામાં આવે છે.લીલી ડુંગળીનો ઉપયોગ સૂપને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ કરવામાં આવે છે.એક નાનું કાર્ડબોર્ડ બોક્સ લો અને તેમાં થોડી માટી નાખો અને પછી તેમાં બીજ અથવા છોડ ઉગાડો અને તેને વધવા દો.તમે તેને તમારા કિચન ટેબલ ટોપ અથવા બારી પર પણ મૂકી શકો છો.

ફુદીનો

Advertisement
imag source

ફુદીનો ઉગાડવો ખુબ જ સરળ છે અને ફુદીનો સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ માટે ઘણી વાનગીઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.તમે ફુદીનાને નાના વાસણમાં ઉગાડી શકો છો.ફુદીનાની ઘણી જાતો છે અને તેનો ઉપયોગ મોજીતો અથવા ફુદીનાના રસ જેવા પીણામાં પણ થાય છે.આઇસ-ટી બનાવતી વખતે તમે તેમાં થોડી ફુદીનાના પાન ઉમેરી શકો છો.ફુદીનોનો ઉપયોગ શ્વાસને ફ્રેશ કરવા અને પેટને ઠંડુ કરવા માટે થાય છે.

લેમનગ્રાસ

Advertisement
image source

લેમનગ્રાસમાં લીંબુનો જ સ્વાદ હોય છે જેનો ઉપયોગ ચા બનાવવા માટે થાય છે.તે મોટાભાગે મસાલા તરીકે પણ વપરાય છે.ઇન્ડોર લેમનગ્રાસ છોડ બહાર ઉગાડતા છોડ કરતા થોડા નાના હોઈ શકે છે,પરંતુ તમે તેને બાલ્કનીમાં પણ રાખી શકો છો.તમે લેમનગ્રાસના બીજનો ઉપયોગ કરીને આ ઔષધિ ઉગાડી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version