Site icon Health Gujarat

જો તમે આ ફ્રૂટ ખાશો તો આપોઆપ જ બ્લડ પ્રેશર થઇ જશે કંટ્રોલમાં, સાથે જાણો બીજા આટલા બધા ફાયદાઓ પણ

જે ઝડપથી ભારતમાં લોકો હાઇપરટેન્શનનો શિકાર બની રહ્યા છે એ જોતાં આ ચેતવાનો સમય છે. આપણી નાનકડી ભૂલ આપણને આ રોગની ખૂબ નજીક લઈ જઈ શકે છે. બેઠાડુ જીવન, ઓબેસિટી, ભોજનમાં નમકનો વધુ પ્રયોગ, વધતું જતું સ્ટ્રેસ, એક્સરસાઇઝનો અભાવ, ડાયાબિટીઝ વગેરે આપણને બ્લડ-પ્રેશરના પ્રૉબ્લેમથી વધુ નજીક લાવે છે અને એક વખત લોહીની નસો પર અસર થવાનું શરૂ થઈ ગયું પછી વ્યક્તિને આ રોગનો ભોગ બનતી અટકાવી શકાતી નથી. જેમના ઘરમાં આ રોગ છે તેમણે ખાસ તેમની લાઇફ-સ્ટાઇલ માટે સતર્ક રહેવું જરૂરી છે. એકલી દવાઓ લેવાથી બ્લડ પ્રેશર આપમેળે કાબૂમાં રહેશે એવું માનતા હો તો ભૂલ કરો છો. દવાની સાથે ખાણી-પીણીમાં થોડીક કાળજી અને નિયમિત દિનચર્યા પણ જરૂરી છે.શિયાળાની સીઝનમાં કીવીને ખાવાથી ઘણા લાભ થઈ શકે છે. કીવીનો સ્વાદ ખાટો અને મીઠો હોય છે. ભૂરા રંગના છાલવાળી કીવી અંદરથી સોફ્ટ, લીલા રંગની હોય છે. કીવીમાં હાજર વિટામિન કે, વિટામિન સી, વિટામિન ઈ, ફોલેટ, પોટેશિયમ વગેરે શરીરીના ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

image source

હાઈ બ્લડ-પ્રેશર જેને પણ થાય તેણે બચેલું આખું જીવન આ રોગની સંભાળ લેવી જરૂરી છે. હાઈ બ્લડ-પ્રેશર રહેતું હોય અને તેમની દવા ચાલુ થાય પછી એ ક્યારેય બંધ થતી નથી. સતત જીવીએ ત્યાં સુધી એ દવા લેવી પડે છે. ઘણા લોકો છે જે એ સમજતા નથી કે આ કોઈ એવો રોગ નથી કે થયો અને દવા લીધી કે મટી ગયો. બીજું એ કે દરરોજની એક ટીકડી બ્લડ-પ્રેશરની લઈ લીધી એટલે તમે છૂટી જતા નથી. તમારે તમારી લાઇફ-સ્ટાઇલમાં પણ જરૂરી બદલાવ કરવા જોઈએ જેથી તમારું બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં જ રહે. અમુક એ પ્રકારનો ખોરાક છે જે હાઇપરટેન્શનના લોકો પોતાની ડાયટમાં એટલે કે રોજિંદા ખોરાકમાં સામેલ કરી શકે છે, જેના રેગ્યુલર સેવનથી તેમની હેલ્થમાં ઘણો સુધારો મળે છે.

Advertisement

બ્લડ પ્રેશર

image source

કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કીવીમાં પ્રોટીન, વિટામિન્સ અને ઓન્ટીઓક્સીડેન્ટ તત્વ હાજર હોવાથી શરીરમાં ફેટને વધારવાથી રોકવા સિવાય, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

Advertisement

ઈમ્યુનિટી

image soucre

કીવી ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત રાખવામાં મદદ કરવામાં કામ આવી રહી છે. જો તમે તેનું દરરોજ સેવન કરો છો તો, આ આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કીવીમાં હાજર તત્વની આંખોની રોશનીને વધારવામાં મદદ કરી શકે છે.

Advertisement

સોજો

image source

કીવીમાં ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. એવામાં જો તમારે અર્થરાઈટિસની ફરીયાદ છે. તો કીવીનું નિયમિત સેવન કરવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. તે સિવાય આ શરીરની અંદરની ઈજા ભરવા અને સોજાને ઓછો કરવામાં મદદ કરી શકે છે.

Advertisement

કબજિયાત

image source

કબજિયાતની સમસ્યા થવા પર કીવીનું સેવન કરવું ખૂબ જ લાભદાયક થઈ શકે છે. કીવીમાં ફાયબરની ભરપૂર પ્રમાણ મળી આવે છે. જે કબજિયાત, ગેસની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે.

Advertisement

કોલેસ્ટ્રોલ

image source

કીવી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદગાર માનવામાં આવે છે. તેનું નિયમિત સેવન શરીરમાં ગોળ કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારવા અને હાર્ટને હેલ્દી રાખવામાં પણ મદદ કરી શકે છે.

Advertisement

ઈંફેક્શન

image source

ઈંફેક્શનથી બચવા માટે પોતાની ડાયટમાં કીવીને સામેલ કરો. એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સીથી ભરપૂર કીવી શરીરને મૌસમની બીમારીઓ અને ઈંફેક્શનથી બચાવવામાં મદદ કરી શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version