Site icon Health Gujarat

આ તેલમાં છે જોરદાર તાકાત, માત્ર સૂંઘવાથી જ દૂર થઇ જાય છે આટલી મોટી-મોટી બીમારીઓ, અને થાય છે રાહત

નિંદ્રા, માથાનો દુખાવો, ત્વચા પર ખંજવાળ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ એ સામાન્ય આરોગ્ય સમસ્યાઓ છે જે કોઈપણ વ્યક્તિને અને કોઈપણ સમયે થઈ શકે છે. લવંડર તેલની સુગંધથી તમે આ સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો તે અહીં જાણો …

લવંડરની સુગંધ દરેકના મનને આકર્ષિત કરે છે. ઘણા દર્દીઓની સમસ્યાની સારવાર કરવા માટે લવંડર તેલ એ દરેક રીતે શ્રેષ્ઠ ઉપાય છે. અહીં જાણો એવા 5 રોગો વિશે જેની સારવાર તમે લવંડર તેલથી કરી શકો છો…

Advertisement

જે લોકો ખૂબ થાકેલા હોય છે

image source

– જે લોકો લેપટોપ અથવા ડેસ્કટ ટોપ પર સતત કામ કરે છે, તેઓ ઘણીવાર માનસિક થાક અને આંખો પર સતત દબાણને કારણે માથાનો દુખાવો અને પીડા અનુભવે છે. લવંડર તેલ તમારી આ સમસ્યામાં રાહત આપી શકે છે જો તમે વારંવાર આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો તમે લવંડર તેલનો ઉપયોગ કરો આ માટે, લવંડર તેલના થોડા ટીપાં તમારા રૂમાલ પર લો, તેને નાકની નજીક રાખો અને ધીમે ધીમે શ્વાસ લો. આવું કરવાથી તમે તરત જ આરામદાયક થવાનું શરૂ કરશો.

Advertisement
image soucre

જ્યારે તમને તીવ્ર માથાનો દુખાવો થાય ત્યારે તમારે નાળિયેર તેલમાં લવંડર તેલના થોડા ટીપાંને ભેળવી લેવા જોઈએ અને આ તેલ સાથે તમારા કપાળ પર તેની મસાજ કરવી જોઈએ. આ તમને માથાના દુખાવામાં ત્વરિત રાહત આપશે.

ફંગલ ઇન્ફેક્શનથી બચશો

Advertisement
image source

લવંડર તેલનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચા પર ફંગલ ઇન્ફેક્શનને વધતા રોકી શકો છો. આ માટે ઓલિવ તેલમાં લવંડર તેલના થોડા ટીપા મિક્સ કરી દો અને કોટનની મદદથી તેને ચેપવાળી જગ્યાએ લગાવો. દિવસમાં ત્રણ થી ચાર વાર આ કરો. તમને ટૂંક સમયમાં જ ફંગલ ઇન્ફેક્શનથી રાહત મળશે. ત્વચા પર જ્યાં ખંજવાળ આવે અને જ્યાં લાલાશની સમસ્યા હોય તો પણ તમે આ પદ્ધતિ અપનાવી શકો છો.

નિંદ્રાની સમસ્યા

Advertisement
image source

જો તમે નિંદ્રાની સમસ્યાથી પીડિત છો તો તો પણ તમે લવંડર તેલનો ઉપયોગ કરી શકો છો. સારી ઊંઘ માટે લવંડર તેલનો ઉપયોગ કરવાની પ્રથા ખૂબ જ જૂની છે. પરંતુ આધુનિક તબીબી વૈજ્ઞાનિકે પણ એ સ્વીકાર્યું છે કે લવંડર તેલ અનિદ્રાની સમસ્યા દૂર કરવામાં મદદગાર છે.

ટાલ પડવાની સમસ્યાથી રાહત

Advertisement
image source

જો તમને એવું લાગે કે તમારા વાળ સામાન્ય કરતા વધારે ઘટતા જાય છે, તો એક ચમચી ઓલિવ તેલમાં 5-5 ટીપાં રોઝમેરી તેલ અને લવંડર તેલ નાંખીને આ મિક્ષણને થોડું માથામાં હળવા હાથે લગાવો. તમે જેટલી ચમચી ઓલીવ તેલ લો છો એવી રીતના રોઝમેરી તેલ અને લવંડર તેલના ટીપા વધારવા અને આ મિક્ષણથી તમારા માથાની હળવા હાથથી મસાજ કરવી જરૂરી છે.

– આ સાથે તમારા આહારમાં પ્રોટીન અને આયરનથી ભરપૂર ખોરાકનો ઉપયોગ કરો. તેનાથી મગજના લોહીનું પરિભ્રમણ વધશે અને વાળને સંપૂર્ણ પોષણ મળશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version