એક સમય હતો જ્યારે ઘરોમાં લોકો રસોઈ અને ભોજન પીરસવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. પરંતુ આગળ જતાં તે પરંપરા માત્ર દહીં હાંડી અને માટલા સુધી મર્યાદિત થઈ ગઈ, પરંતુ હવે આ ટ્રેન્ડ ફરી દેખાઈ રહ્યો છે. લોકોનો રસ માટીના બનેલા વાસણો તરફ વધી રહ્યો છે. આવું કરવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ફાયદાકારક છે. માટીમાં અનેક ગુણધર્મો છે. મોટાભાગની ધાતુઓ માટીમાંથી મળે છે. જ્યારે આપણે માટીના વાસણમાં ખોરાક ખાઈએ છીએ ત્યારે ઝીંક, મેગ્નેશિયમ, આયર્ન જેવા ઘણા પોષક તત્વો આપણા શરીરમાં આવે છે.
બે પ્રકારના વાસણો
હાલમાં, માટીના વાસણો બે પ્રકારના બને છે. પહેલા તો પરંપરાગત ચક્ર પર જેમ કુંભાર બનાવે છે. બીજું, હવે ફેક્ટરીમાં માટીના વાસણો ડાઈ એટલે કે ખાંચ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. બંને પ્રકારની માટીના વાસણો મજબૂત હોય છે પરંતુ જે હાથથી બનાવેલા હોય તે વધુ મજબૂત છે કારણ કે તે ભઠ્ઠામાં વધુ સારી રીતે પકવવામાં આવે છે. કુંભાર દરેક વાસણ પર વિશેષ ધ્યાન આપે છે.
સફાઈ સરળ છે
લોકો ઘણીવાર માટીના વાસણો કેવી રીતે ધોવા તે અંગે મૂંઝવણમાં અનુભવે છે. ઘણા લોકો જાણકારીના અભાવે એને ખરીદતા જ નથી. માટીના વાસણોને ધોવા ખૂબ જ સરળ છે. એ માટે તમારે કોઈ કેમિકલ યુક્ત સાબુ, પાઉડર કે લિકવિડનો ઉપયોગ નથી કરવાનો
તમે વાસણો માત્ર ગરમ પાણીથી ધોઈ શકો છો. ચીકણા વાસણોમાં પાણીમાં વધુ ને વધુ લીંબુ નીચોવીને મૂકી દો, તો વાસણો સંપૂર્ણપણે સ્વચ્છ થઈ જાય છે. જો તમે તેને ઘસીને સાફ કરવા માંગતા હો, તો પછી નાળિયેરની બહારની છાલ એટલે કે નાળિયેર જ્યુટથી વાસણો સાફ કરો.
અનુકૂળ ઉપયોગ
કેટલાક લોકો માને છે કે અગાઉ તો ચૂલાનો ઉપયોગ થતો હતો, તેથી માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. પરંતુ ગેસ પર શુ માટીના વાસણને ચડાવી શકાય? જવાબ હા છે. તમે ગેસ પર માટીના વાસણમાં ભોજન રાંધી શકો છો. આયુર્વેદ કહે છે કે તમે જે વાસણમાં રસોઈ બનાવી રહ્યા છો તે સારું હોવું જોઈએ. ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ગેસ પર માટીનો વાસણ મુકો ત્યારે તેની જ્યોત મધ્યમ રાખો. હાઈ ફ્લેમ પર ખોરાક રાંધશો નહીં.
આમ તો કોઈપણ વાસણ હોય હાઈ ફ્લેમ પર રસોઈ કરવી જોઈએ નહીં કારણ કે તે ખોરાકના પોષણ મૂલ્યનો નાશ કરે છે. જો કે, માટીના વાસણમાં રસોઈ સામાન્ય વાસણો કરતા થોડો વધારે સમય લે છે. પરંતુ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માટીના વાસણો છે.
ઘણી રીતે ફાયદાકારક –
- અપચો અને ગેસની સમસ્યા દૂર થાય છે.
- ભોજનમાં સ્વાદ સાથે પૌષ્ટિકતા વધે છે.
- -કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે.
- ખોરાકમાં રહેલા પોષક તત્વોનો નાશ થતો નથી.
- ખોરાકનું પીએચ મૂલ્ય જાળવવામાં આવે છે, તે ઘણા રોગોથી બચાવે છે.
આ વાતનું રાખો ધ્યાન
માટીના વાસણોનો ઉપયોગ કરતા પહેલા, ધ્યાનમાં રાખો કે જે વાસણોનો ઉપયોગ રસોઈમાં થવાનો છે, તેને પ્રથમ વખત ઉપયોગ કરતા પહેલા લગભગ 12 કલાક પાણીમાં પલાળી રાખો. એટલે કે, આ વાસણોને આખી રાત પાણીમાં રાખો અને સવારે સૂકવવા માટે રાખો. સુકાઈ જાય ત્યારે ઉપયોગ કરો. મોટા વાસણો પ્રથમ વખત માત્ર 12 કલાક માટે પલાળવા પડે છે અને નાના વાસણો જેમ કે કાચ, વાટકી, દહીં સેટિંગ, ચમચી, કપ વગેરે માટે 6 કલાક પૂરતા હોય છે. તે પછી તેને મધ્યમ ફ્લેમ પર રાખો અને તેમાં રાંધેલા પૌષ્ટિક ખોરાકનો આનંદ લો.