Site icon Health Gujarat

જો તમે ઉપયોગમાં ન લેતા હોય માટીના વાસણ તો આજે જ શરૂ કરી દો વાપરવાનું, આ છે ફાયદા

એક સમય હતો જ્યારે ઘરોમાં લોકો રસોઈ અને ભોજન પીરસવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. પરંતુ આગળ જતાં તે પરંપરા માત્ર દહીં હાંડી અને માટલા સુધી મર્યાદિત થઈ ગઈ, પરંતુ હવે આ ટ્રેન્ડ ફરી દેખાઈ રહ્યો છે. લોકોનો રસ માટીના બનેલા વાસણો તરફ વધી રહ્યો છે. આવું કરવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ફાયદાકારક છે. માટીમાં અનેક ગુણધર્મો છે. મોટાભાગની ધાતુઓ માટીમાંથી મળે છે. જ્યારે આપણે માટીના વાસણમાં ખોરાક ખાઈએ છીએ ત્યારે ઝીંક, મેગ્નેશિયમ, આયર્ન જેવા ઘણા પોષક તત્વો આપણા શરીરમાં આવે છે.

બે પ્રકારના વાસણો

Advertisement
image socure

હાલમાં, માટીના વાસણો બે પ્રકારના બને છે. પહેલા તો પરંપરાગત ચક્ર પર જેમ કુંભાર બનાવે છે. બીજું, હવે ફેક્ટરીમાં માટીના વાસણો ડાઈ એટલે કે ખાંચ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. બંને પ્રકારની માટીના વાસણો મજબૂત હોય છે પરંતુ જે હાથથી બનાવેલા હોય તે વધુ મજબૂત છે કારણ કે તે ભઠ્ઠામાં વધુ સારી રીતે પકવવામાં આવે છે. કુંભાર દરેક વાસણ પર વિશેષ ધ્યાન આપે છે.

સફાઈ સરળ છે

Advertisement
image soucre

લોકો ઘણીવાર માટીના વાસણો કેવી રીતે ધોવા તે અંગે મૂંઝવણમાં અનુભવે છે. ઘણા લોકો જાણકારીના અભાવે એને ખરીદતા જ નથી. માટીના વાસણોને ધોવા ખૂબ જ સરળ છે. એ માટે તમારે કોઈ કેમિકલ યુક્ત સાબુ, પાઉડર કે લિકવિડનો ઉપયોગ નથી કરવાનો
તમે વાસણો માત્ર ગરમ પાણીથી ધોઈ શકો છો. ચીકણા વાસણોમાં પાણીમાં વધુ ને વધુ લીંબુ નીચોવીને મૂકી દો, તો વાસણો સંપૂર્ણપણે સ્વચ્છ થઈ જાય છે. જો તમે તેને ઘસીને સાફ કરવા માંગતા હો, તો પછી નાળિયેરની બહારની છાલ એટલે કે નાળિયેર જ્યુટથી વાસણો સાફ કરો.

અનુકૂળ ઉપયોગ

Advertisement
image source

કેટલાક લોકો માને છે કે અગાઉ તો ચૂલાનો ઉપયોગ થતો હતો, તેથી માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. પરંતુ ગેસ પર શુ માટીના વાસણને ચડાવી શકાય? જવાબ હા છે. તમે ગેસ પર માટીના વાસણમાં ભોજન રાંધી શકો છો. આયુર્વેદ કહે છે કે તમે જે વાસણમાં રસોઈ બનાવી રહ્યા છો તે સારું હોવું જોઈએ. ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ગેસ પર માટીનો વાસણ મુકો ત્યારે તેની જ્યોત મધ્યમ રાખો. હાઈ ફ્લેમ પર ખોરાક રાંધશો નહીં.

image source

આમ તો કોઈપણ વાસણ હોય હાઈ ફ્લેમ પર રસોઈ કરવી જોઈએ નહીં કારણ કે તે ખોરાકના પોષણ મૂલ્યનો નાશ કરે છે. જો કે, માટીના વાસણમાં રસોઈ સામાન્ય વાસણો કરતા થોડો વધારે સમય લે છે. પરંતુ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માટીના વાસણો છે.

Advertisement

ઘણી રીતે ફાયદાકારક –

આ વાતનું રાખો ધ્યાન

Advertisement
image source

માટીના વાસણોનો ઉપયોગ કરતા પહેલા, ધ્યાનમાં રાખો કે જે વાસણોનો ઉપયોગ રસોઈમાં થવાનો છે, તેને પ્રથમ વખત ઉપયોગ કરતા પહેલા લગભગ 12 કલાક પાણીમાં પલાળી રાખો. એટલે કે, આ વાસણોને આખી રાત પાણીમાં રાખો અને સવારે સૂકવવા માટે રાખો. સુકાઈ જાય ત્યારે ઉપયોગ કરો. મોટા વાસણો પ્રથમ વખત માત્ર 12 કલાક માટે પલાળવા પડે છે અને નાના વાસણો જેમ કે કાચ, વાટકી, દહીં સેટિંગ, ચમચી, કપ વગેરે માટે 6 કલાક પૂરતા હોય છે. તે પછી તેને મધ્યમ ફ્લેમ પર રાખો અને તેમાં રાંધેલા પૌષ્ટિક ખોરાકનો આનંદ લો.

Advertisement
Advertisement
Exit mobile version