Site icon Health Gujarat

ડોક્ટરને જાણ કર્યા વગર તમને પણ દવા અડધી કરીને લેવાની આદત હોય તો વાંચી લો તેનાથી થતા આ ભયંકર નુકસાન વિશે…

આજની જીવનશૈલી વિશે વાત કરીએ તો લોકોને થોડા-થોડા સમયમાં કંઈક ને કંઈક બીમારીઓ હોય જ છે,જેમ કે શરદી-ઉધરસ,તાવ આવવો,ડાયરિયા-ઉલ્ટીની તકલીફ,પેટમાં દુખવું,ગેસ થવો અથવા કબજિયાત થવું,આવી ઘણી બીમારીઓ સાથે વ્યક્તિ લડતો રહે છે.આવી સમસ્યાઓમાં દવાઓ લેવી પણ જરૂરી છે,કારણ કે આ નાની સમસ્યાઓ આગળ જઈને મોટું સ્વરૂપ લઈ શકે છે.

image source

આ બધી તકલીફો તો ઘણા સમયથી ચાલે જ છે,પણ આજના સમયમાં ચાલતા કોરોનાથી કોણ અજાણ છે.બધા લોકો અત્યારે આ ચેપથી ડરીને જીવે છે.તેથી આ સમયમાં આપણે આપણી જીવનશૈલી પર તો ધ્યાન આપવું જ પડશે,પણ તેની સાથે કેવી રીતે કઈ દવાઓ લેવી અથવા તો કોઈ દવાઓ અડધી ખાવી જોઈએ કે આખી,આ વિશે ડોક્ટરોની સલાહ વગર કઈ જ ન કરવું જોઈએ.આ વિશે થોડું સંશોધન પણ કરવામાં આવ્યું છે,જેની માહિતી અમે તમને અહીં જણાવીશું.

Advertisement
image source

ઘણા લોકો દવાના ડોઝને ઘટાડવા અથવા અન્ય કોઈ કારણોસર દવાને તોડીને અથવા દવાને અડધી કરીને ખાય છે,જે તેમના માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે.એક સંશોધનથી બહાર આવ્યું છે કે ગોળી અડધી કરીને ખાવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.એક યુનિવર્સિટીના સંશોધનકારો કહે છે કે ગોળી અડધી કરીને ખાવાથી તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે.આ સંશોધન સાથે સંકળાયેલા સંશોધનકારો કહે છે કે સૌથી વધુ જોખમ તે દવાઓથી થાય છે જે દવાઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને હાનિકારક વચ્ચે ખૂબ જ ઓછું તફાવત ધરાવે છે.

image source

આ સંશોધનમાં સંશોધનકારોએ પાંચ સ્વયંસેવકોને આઠ જુદી-જુદી કદની ગોળીઓ આપી હતી અને તેમને ત્રણ રીતે તોડી નાખી હતી અને ગોળીને તોડવા માટે ચાકુ અને કાતરનો ઉપયોગ કર્યો હતો.તે જ સમયે ગોળીઓ ત્રણ ભાગમાં અને ત્રણ રીતે તૂટી ગઈ હતી અને બધી ગોળીઓ પણ જુદી જુદી રીતે તૂટી ગઈ હતી.આ ગોળીઓમાં હૃદય રોગની ગોળીઓ,સંધિવાની ગોળીઓ અને બીમારીની અન્ય ગોળીઓ શામેલ છે.આ સંશોધનકારોએ દર્શાવ્યું હતું કે ગોળીઓના 31 ટકા બીજા ભાગમાં દવાની માત્રા બીજા ટુકડા કરતા ઘણી ઓછી હતી અને દવાની જરૂરી માત્રા કરતા પણ ઘણી ઓછી હતી.

Advertisement
image source

એવી જ રીતે ગોળીને તોડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ટૂલ્સમાં ખૂબ ઓછી ભૂલો હતી.ઉપરાંત, સંશોધનકારોએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ગોળ,નાની-મોટી તથા ચોરસ ગોળીઓનો પણ ઉપયોગ થતો હતો.

image source

સંશોધનનું નેતૃત્વ કરી રહેલા ડોકટરો કહે છે કે દવાઓ તોડવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. તેમણે કહ્યું કે મોટાભાગની દવાઓ તોડવી સારી નથી.તે જ સમયે સંશોધનકારોનો અભિપ્રાય હતો કે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ પ્રવાહી દવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ,જેથી દવાઓ તોડવાની જરૂર જ ન પડે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version