Site icon Health Gujarat

નાસ લેવાથી કોરોના વાયરસ દૂર થાય છે કે નહીં…જાણો આ વિશે શું કહે છે રિસર્ચ

લોકોમાં કોરોનાના વધતા જતા કેસ દરમિયાન ફરી એક ઉપાય અજમાવવામાં આવી રહ્યો છે. આ ઉપાય દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસને નાબૂદ કરી શકાય છે. અમે જે ઉપાય વિશે વાત કરી રહ્યા છે એ છે વરાળ લેવી. પરંતુ વરાળ દ્વારા કોરોનાને નાબૂદ કરી શકાય છે કે નહીં ? તો ચાલો અમે તમને જણાવીએ કે આ વિશે નિષ્ણાતોનો અભિપ્રાય શું છે.

કોરોનાના વધતા જતા કેસના કારણે સામાન્ય માણસથી લઈને પ્રસાશન સુધી દરેક વ્યક્તિ મુશ્કેલીમાં મુકાયા છે. વાયરસના ચેપના કિસ્સામાં, મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સોશિયલ મીડિયા પર વરાળ લેવાની કેટલીક પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે.
આ પોસ્ટ્સમાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વરાળ દ્વારા કોરોના વાયરસનો અંત શક્ય છે. જો કે આ અંગે હજી સુધી કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં, તે કહેવું યોગ્ય નથી કે આ વાયરસ વરાળ લેવાથી સમાપ્ત થશે કે નહીં. તો ચાલો આપણે જાણીએ કે આ વિશે નિષ્ણાતો શું કહે છે.

Advertisement

શું વરાળ લેવાથી કોરોના સામે લડી શકાય છે ?

image source

કેટલાક લોકો સલાહ આપી રહ્યા છે કે તમે 15 થી 20 મિનિટ અથવા તમે કરી શકો ત્યાં સુધી વરાળ લો. પરંતુ ન તો રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (સીડીસી) કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ પુષ્ટિ આપી નથી કે વરાળ થેરેપી એ કોરોના વાયરસનો ઉપચાર છે કે નહીં.

Advertisement

કોઈ પુરાવા મળ્યા નથી

image source

જ્યારે સીડીસીએ એક મોટી ન્યૂઝ એજન્સીને કહ્યું છે કે કોરોના દરમિયાન પણ વરાળ લેવાનું જોખમી હોઈ શકે છે. સીડીસીએ એમ પણ કહ્યું છે કે હજી સુધી આવા કોઈ પુરાવા મળ્યા નથી જેના આધારે એવું કહેવામાં આવે છે કે સ્ટીમ લેવાની રીત કોરોનાને ખતમ કરી શકે છે કે નહીં.
સીડીસીનું માનવું છે કે વરાળ લેવાથી વ્યક્તિ દાજી શકે છે અથવા તેને કોઈ પ્રકારની ઈજા થઈ શકે છે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે કોરોનાને ટાળવા માટે, ડોકટરો સલાહ આપે તે અનુસાર, તમે સામાજિક અંતરને અનુસરો અને માસ્ક લગાવો. ઉપરાંત, સમય સમય પર હાથ ધોઈ લો અને વારંવાર તમારી આંખો, મોં અને નાકને અડશો નહીં.

Advertisement

આ ઉપાય તદ્દન ખોટો છે

images source

નિષ્ણાતો માને છે કે વરાળ લેવાથી તમારા નાક અને શ્વસન સંબંધી સમસ્યાઓથી રાહત મળી શકે છે. પરંતુ તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે તે કોરોના જેવા વાયરસને સમાપ્ત કરી શકે છે. આવી સ્થિતિમાં, ફક્ત આ ઉપાય પર આધાર રાખવો એ એક મૂર્ખતા હોઈ શકે છે.

Advertisement

શું કહે છે નિષ્ણાતો

images source

નિષ્ણાતોના જણાવ્યા મિજબા ફેફસાં નાજુક હોય છે અને ગરમ વરાળ ફેફસાં અને વાયુમાર્ગને નુકસાન પહોંચાડે છે. આ દરમિયાન, એક તબીબી અધિકારીએ પણ અહેવાલ આપ્યો છે કે વરાળ લેવાની પદ્ધતિ શ્વસનના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ તે વાયરસની સારવાર તરીકે કામ નથી કરતું.

Advertisement

એક સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલા એક એહવાલ મુજબ, તેઓ વરાળ લેવાની પ્રક્રિયાને જોખમી હોવાનું જણાવાયું છે. તેઓ કહે છે કે ગરમ પાણીના વાસણની ઉપર ટુવાલ રાખીને બેસવું તમને નુકસાન પહોંચાડે છે અથવા તમે દાજી પણ શકો છો.

આ ઉપરાંત ડોકટરના અહેવાલો અનુસાર, કોરોના માટે વરાળનો ઉપાય બિલકુલ યોગ્ય નથી. નિષ્ણાતો કહે છે કે ગરમ પાણીના ભેજ દ્વારા કોરોના વાયરસને નાબૂદ કરી શકાતા નથી. આ ઉપાય અપનાવતા વખતે, વધુ સાવચેતી રાખવી પણ જરૂરી છે. આના દ્વારા તમે ગરમ પાણીથી દાજી પણ શકો છો.

Advertisement

નિષ્કર્ષ

image soucre

નિષ્ણાતોના અભિપ્રાય અને કરેલા સંશોધનના આધારે, એમ કહી શકાય કે વરાળ કોરોનાને સમાપ્ત કરવામાં અસરકારક નથી. જો કે, આ ઉપાય તમને થોડા સમય માટે શ્વાસ લેવામાં થતી તકલીફોથી રાહત આપી શકે છે. વળી, આ ઉપાય દ્વારા નાક ખુલી શકે છે અને કફને પણ સરળતાથી સાફ કરી શકાય છે. પરંતુ તે કોરોના વાયરસને નાબૂદ કરવાની પ્રક્રિયામાં અસરકારક ગણી શકાય નહીં.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version