Site icon Health Gujarat

સૂર્ય નમસ્કાર કરતી વખતે શું તમારાથી કોઈ ભૂલ થાય છે,તો જાણો નિષ્ણાતો પાસેથી સાચી રીત

લોકો સૂર્ય નમસ્કાર કરવામાં ઘણી વાર મોટી ભૂલો કરે છે.સામાન્ય રીતે જે મહિલાઓ ટ્રેનરની મદદ લેતી નથી, તે સૂર્ય નમસ્કાર કરતી વખતે વધુ ભૂલો કરે છે.યોગ અને હોલિસ્ટિક કોચ વંદના ગુપ્તાએ સૂર્ય નમસ્કાર કરવાની યોગ્ય અને સરળ રીત જણાવી છે.

image source

સૂર્ય નમસ્કાર 12 યોગાસનથી બનેલો છે.દરેક મુદ્રામાં તેનું પોતાનું મહત્વ છે.જેઓ આ કરે છે,તેમની રક્તવાહિની આરોગ્ય સારું રહે છે.સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે.તમે સૂર્ય નમસ્કાર દ્વારા તમારા તાણને પણ ઘટાડી શકો છો.યોગ અને હોલિસ્ટિક કોચ વંદના ગુપ્તાના સૂચનોને અનુસરીને તમે સરળતાથી સંપૂર્ણ સ્થિતિમાં સૂર્ય નમસ્કાર કરી શકો છો.

Advertisement

જાણો સૂર્ય નમસ્કાર કરવાથી થતા ફાયદાઓ વિશે.

1. તમારું સ્વાસ્થ્ય સુધરે છે

Advertisement
image source

જો તમે દરરોજ સૂર્ય નમસ્કાર કરો છો અને તેને યોગ્ય રીતે કરો છો,તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે.12 આસનો દરમિયાન ઊંડા શ્વાસ લેવામાં આવે છે જેનાથી શરીરને ફાયદો થાય છે.

2. પાચનતંત્ર સુધરે છે

Advertisement
image source

સૂર્ય નમસ્કાર દરમિયાન પેટના અવયવોમાં ખેંચાણ થાય છે,જે પાચનતંત્રમાં સુધારો કરે છે.જે લોકોને પેટમાં કબજિયાત,અપચો અથવા પેટમાં બળતરાની સમસ્યા હોય,તેઓને દરરોજ સવારે ખાલી પેટ પર સૂર્ય નમસ્કાર કરવું લાભદાયક રહેશે.

3. સૂર્ય નમસ્કાર પેટને ઘટાડે છે.

Advertisement
image source

સૂર્ય નમસ્કાર કરવાથી પેટની માંસપેશીઓને મજબૂત થાય છે.જો તમે નિયમિત સૂર્ય નમસ્કાર કરો તો તમારા પેટની ચરબી ઓછી થાય છે.

4. ડિટોક્સ કરવામાં મદદ મળે છે

Advertisement

સૂર્ય નમસ્કાર દરમિયાન શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવાથી હવા ફેફસાંમાં સુધી પોહ્ચે છે.આ દ્વારા ઓક્સિજન લોહી સુધી પહોંચે છે,જેથી શરીરમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ઝેરી વાયુઓથી છુટકારો મળે છે.

5. દરેક ચિંતા દૂર રહેશે

Advertisement
image source

સૂર્ય નમસ્કાર યાદ શક્તિમાં વધારો કરે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે,જેનાથી તમારી અસ્વસ્થતા દૂર થાય છે.સૂર્ય નમસ્કાર કરવાથી થાઇરોઇડ ગ્રંથિ સ્વસ્થ રહે છે.

6. શરીર લચીલું બને છે

Advertisement

સૂર્ય નમસ્કારના આસનો કરવાથી આખા શરીરનું વર્કઆઉટ થાય છે.સૂર્ય નમસ્કાર કરવાથી શરીર લચીલું બને છે.

7. પીરિયડ્સ નિયમિય આવે છે

Advertisement
image source

જો કોઈ સ્ત્રીને અનિયમિત પીરિયડ્સની સમસ્યા હોય,તો તે સમસ્યા દૂર કરવા માટે સૂર્ય નમસ્કારના આસાન કરવા જોઈએ.આ આસનોને નિયમિત કરવાથી બાળજન્મ દરમિયાન પણ પીડા ઓછી થાય છે.

8. કરોડરજ્જુ મજબૂત થાય છે

Advertisement

સૂર્ય નમસ્કાર દરમિયાન ખેંચાણ થવાથી સ્નાયુઓ સાથે કરોડરજ્જુને પણ મજબૂત બનાવે છે અને કમરને લચીલી બનાવે છે.

9. સૂર્ય નમસ્કાર કરવાથી તમે યુવાન જ દેખાશો

Advertisement
image source

સૂર્ય નમસ્કાર કરવાથી ચહેરા પર કરચલીઓ આવતી નથી અને ત્વચામાં ગ્લો આવે છે.

10 વજન ઓછું થાય છે

Advertisement

સૂર્ય નમસ્કાર કરવાથી જેટલું ઝડપથી વજન ઉતરે છે,તેટલું ઝડપથી ડાયટિંગ કરવાથી પણ નથી ઉતરતું.જો તમે નિયમિત સૂર્ય નમસ્કાર કરો છો,તો તે તમારા માટે શ્રેષ્ઠ રક્તવાહિની વર્કઆઉટ હોઈ શકે છે.

કોણે સૂર્યને નમસ્કાર ન કરવો જોઇએ…

Advertisement
image source

– સગર્ભા સ્ત્રીએ ગર્ભાવસ્થાના ત્રીજા મહિના પછી સૂર્ય નમસ્કાર કરવાનું બંધ કરવું જોઈએ

– હર્નીયા અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને સૂર્ય નમસ્કાર ન કરવાની સલાહ આપવામાં આવે છે.

Advertisement

– પીઠના દુખાવાની સમસ્યાથી પીડિત લોકોએ સૂર્ય નમસ્કાર શરૂ કરતા પહેલા યોગ્ય સલાહ લેવી જ જોઇએ

image source

– પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ સૂર્ય નમસ્કાર અને અન્ય આસનો ન કરવા જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version