પીરિયડ્સની પીડા દરેક સ્ત્રી માટે અલગ હોય છે.પીરિયડ્સમાં પેટમાં તો સખત દુખાવો થાય જ છે,પરંતુ સાથે પગ અને પીઠમાં પણ ઘણી અગવડતા રહે છે.આ દરમિયાન સ્ત્રીનો સ્વભાવ પણ ચિડિયાપણા જેવો રહે છે અને કોઈ પણ કામમાં મન નથી હોતું.ઘણી સ્ત્રીઓ અથવા છોકરીઓ આ પીડાથી રાહત મેળવવા માટે પેઈન-કિલરનો ઉપયોગ કરે છે,પણ તે ખોટું છે.કારણ કે પેઈન-કિલરના કારણે ભવિષ્યમાં ઘણી તકલીફો આવી શકે છે.આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઘરની કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.તો ચાલો અમે તમને જણાવીએ કે પીરિયડ્સ દરમિયાન થતી પીડા દૂર કરવામાં ઘરમાં મળી રહેલી સરળ ચીજો જ તમારા કામમાં આવશે.
થોડું વ્યાયામ કરો
મોટાભાગના લોકોને લાગે છે કે પીરિયડ્સ દરમિયાન સુતા રહેવાથી આ પીડામાં રાહત મળે છે,પરંતુ આ સાચું નથી.નિષ્ણાત કહે છે કે પીરિયડ્સ દરમિયાન હળવી કસરત કરવી જોઈએ.આ શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન બનાવે છે,જે કુદરતી રીતે પીડા ઘટાડીને તમારું ચીડિયાપણું દૂર કરે છે.તેથી પીરિયડ્સ દર્મિયા યોગ કરવું શ્રેષ્ઠ છે.
હીટ થેરેપી લો
પીરિયડ્સ દરમિયાન થતી પીડામાં હીટ થેરેપી ખૂબ અસરકારક છે તમને જયારે પણ દુખાવો થાય,ત્યારે
હીટિંગ પેડ અથવા ગરમ પાણીની બેગ તમારી પીઠ નીચે અથવા પેટ પર રાખો,આ તમને ઘણો આરામ આપશે.નિષ્ણાતો કહે છે કે હીટ ટ્રીટમેન્ટ પેઈનકિલર ગોળીઓની જેમ જ કામ કરે છે.
પુષ્કળ પાણી પીવો
પીરિયડ્સ દરમિયાન પુષ્કળ પાણી પીવું.આ સમય દરમિયાન શરીરમાં પાણીના અભાવના કારણે પેટમાં સતત દુખ્યા કરે છે.આ સિવાય તમારે પાણીવાળા ફળો અને શાકભાજી પણ ખાવા જોઈએ,જેમ કે કાકડી,ટામેટા,તરબૂચ વગેરે.તેથી શરીરમાં પાણીનો અભાવ રહેશે નહીં.
મસાજ થેરેપી
એસેન્શીયલ તેલથી પેટની આસપાસ માલિશ કરો.તે પીરિયડ્સ દરમિયાન થતી પીડામાં રાહત આપે છે. પીરિયડ્સના દુખાવામાં એસેન્શીયલ તેલના ઉપયોગ પર પણ એક અભ્યાસ 2012 માં કરવામાં આવ્યો છે.તે જણાવે છે કે એસેન્શીયલ તેલથી માલિશ કરવાથી સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન પીડા થતી નથી.
આદુ અને મરીની ચા
સુકા આદુ અને કાળા મરીની ચા પીવાથી પીરિયડ્સ દરમિયાન થતો દુખાવો ઓછો થાય છે.આ ચા પીવાથી પીરિયડ્સની અનિયમિતતા પણ દૂર થાય છે.
જીરું
જીરાનું પાણી અથવા ચા તે પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં રાહત આપે છે.જીરુંને પાણીમાં ઉકાળીને તમે તેનું સેવન કરી શકો છો.તે કોષોની સમસ્યા પણ દૂર કરશે.
તુલસી
પીડા દૂર કરવા માટે તુલસી એક શ્રેષ્ઠ ઉપાય છે જેનો ઉપયોગ પીરિયડ્સ દરમિયાન થઈ શકે છે.તેમાં હાજર કેફીક એસિડ પીડામાં રાહત આપે છે.તેથી પીરિયડ્સ દરમિયાન થતી પીડા દૂર કરવા માટે તુલસીની ચા પીવાથી રાહત થાય છે.અડધા કપ પાણીમાં તુલસીનાં 7-8 પાન ઉકાળો અને તેને ગાળી પી લો.
પપૈયા
પીરિયડ્સ દરમિયાન રક્તસ્ત્રાવ બરાબર ન થાય તેના કારણે વધુ દુખાવો થાય છે.આ સમસ્યાને દૂર કરવા માટે પપૈયાનું સેવન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.તેના ઉપયોગને લીધે પીરિયડ્સ દરમિયાન પ્રવાહ સંતુલિત રીતે થાય છે જેથી કોઈ દુખાવો ન થાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત