Site icon Health Gujarat

આ દર્દીઓ માટે વાસી રોટલી છે રામબાણ ઇલાજ, જાણો અને વાસી રોટલી ફેંકવાનું કરી દો બંધ

દરેક લોકોનો ખાવાના શોખ હોય છે પરંતુ આજે લોકો ફાસ્ટફૂડ ખાવાનું પસંદ કરતા હોય જેના કારણે તમારા સ્વાસથ્ય પર ખરાબ અસર થાય છે અને તમને બીમારી જકડી લે છે. તમે લોકો સાંજે જમવાનું બનાવવા હશો જેમાં તમે રોટલી અવશ્ય બનાવતા હશો. જો તમે સાંજે જમતા સમયે રોટલી વધતી હોય તો તમે તેને ફેંકી દેતા હશો પરંતુ ફેંકતા પહેલા આ પોસ્ટ જરૂર વાચી લેજો.આજે અમે તમને વાસી રોટલી અંગે વાત કરીશું. જોકે, આપણે ઘણીવાર સાંભળતા આવ્યા છીએ કે રાતનું વધેલું ભોજન સવારે ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. જોકે, તમે વાસી રોટલી કોઈ પણ જાતના ડર રાખ્યા વગર ખાઈ શકો છો. વાસી ભોજન સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, પરંતુ આ વાત વાસી રોટલીઓ પર લાગૂ થતી નથી.

image source

વાસી રોટલી ખાવાના ફાયદાઓ જાણીને તમે પણ હેરાન થઇ જશો. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે વાસી રોટલી કોઇ રામબાણથી ઓછી માનવામાં નથી આવતી.. તમારા ઘરમાં રોટલી બચી જાય છે તમે તેનું શું કરો છો? મોટાભાગના લોકો ફેંકી દેતા હશે! પરંતુ આજથી જ એવું કરવાનું બંધ કરી દો કારણ કે વાસી રોટલી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. શુગર લેવલને કંટ્રોલ કરવા માટે વાસી રોટલી ખાવાની સલાહ આપવામાં આવે છે.. આ સાથે જ સારી પાચનક્રિયા માટે વાસી રોટલીનું સેવન ખૂબ જ લાભદાયી હોઇ શકે છે. વાસી રોટલીમાં ઘઉંના બધા ગુણ હોય છે જે ફાઇબરથી ભરપૂર હોય છે. તેમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે અને જીઆઇ સૂચકાંક પણ ઓછો હોય છે.

Advertisement
image soucre

આ બધા લાભ પાચન માટે વાસી રોટલીને સારી બનાવે છે અને બ્લડ શુગર લેવલ અને વજન ઘટાડવા માટે પણ કેટલાય લોકો તેનું સેવન કરે છે. વાસી રોટલીના ફાયદાઓની લિસ્ટ ઘણી લાંબી છે. આ સાથે જ જો તમે દૂધની સાથે તેનું સેવન કરો છો તો તેના ફાયદા વધારે અસરકારક થઇ શકે છે. અહીં જાણો, વાસી રોટલી ખાવાના જબરદસ્ત ફાયદાઓ વિશે…

1. બૉડી ટેમ્પરેચરને કંટ્રોલ કરે છે

Advertisement
image source

સામાન્ય શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને જો આ 40 થી વધારે થઇ જાય છે તો આ તમારા મહત્ત્વપૂર્ણ અંગોને નુકશાન પહોંચાડી શકે છે. ઠંડાં દૂધમાં પલાળેલી વાસી રોટલી શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં ચમત્કારનું કામ કરી શકે છે. વાસી રોટલી અને દૂધના મિશ્રણનું સવારે સૌથી પહેલા સેવન કરી શકાય છે. તેનાથી તમને પોષક તત્ત્વ મળે છે અને એસિડિટીથી બચી શકાય છે.

2. પેટ માટે સારી છે વાસી રોટલી

Advertisement
image soucre

જે લોકો સતત પેટની સમસ્યાઓથી પરેશાન રહે છે તેમના માટે વાસી રોટલી સૌથી સારો ઘરેલૂ ઉપાય છે. સૂતા પહેલાં ઠંડાં દૂધમાં વાસી રોટલી ખાવાથી કબજિયાત, એસિડિટી અને ગેસ જેવી પેટની સમસ્યાઓને દૂર કરી શકાય છે. તમારે તેને પોતાની આદતોમાં સામેલ કરવી જોઇએ.

3. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે

Advertisement
image source

ઠંડાં દૂધની સાથે વાસી રોટલીનું સેવન હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓની મદદ કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઠંડાં દૂધમાં વાસી રોટલીને પલાળીને 10 મિનિટ માટે છોડી દો. તેને પોતાના સવારના નાસ્તા સ્વરૂપે ખાઓ. આ તમારા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરી શકે છે.

4. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે અસરકારક

Advertisement
image source

હાઇ બ્લડ શુગર લેવલની સમસ્યાથી પીડિત લોકોને આ પ્રયાસ કરવો જોઇએ કે દરરોજ વાસી રોટલી અને ઠંડાં દૂધનું સેવન કરો. ઠંડાં દૂધમાં વાસી રોટલીને પલાળીને 10-15 મિનિટ માટે છોડી દો. તમે દિવસે કોઇ પણ સમય તેનું સેવન કરી શકો છો. આ તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું કામ કરશે. 12-15 કલાકોની અંદર વાસી રોટલીનું સેવન સુરક્ષિત છે. સલાહ આપવામાં આવે છે કે દૂધની સાથે વાસી રોટલી હોય કારણ કે દૂધના કેટલાક આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભ પણ છે અને આ પ્રકારે આ સંયોજન ફાયદાકારક સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version