Site icon Health Gujarat

જો તમે આ રીતે કરશો ગુલાબજળનો ઉપયોગ, તો સ્કિન થશે બહુ મસ્ત

આ રીતે ગુલાબજળનો ઉપયોગ કરીને તમારા ચેહરાને સુંદર અને ચમકદાર બનાવો.

ગુલાબજળનો ઉપયોગ દરરોજ કરવાથી તમારી ત્વચા હાઈડ્રેડ તો થાય જ છે,પરંતુ ગુલાબજળથી તમારી ત્વચા સુંદર અને બેદાગ પણ થાય છે થવા તો ત્વચાને લગતી કોઈપણ સમસ્યાના ઉપાય માટે ગુલાબજળ ખુબ જ ફાયદાકારક છે.

Advertisement
image source

ગુલાબજળ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.તેના એક નહીં પરંતુ ઘણા ફાયદા છે,તે ત્વચાને ઠંડુ તો કરે છે,પરંતુ ત્વચા પરની કરચલીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.જો તમે દરરોજ તેનો ઉપયોગ કરો છો,તો પછી તમે જાતે જ તફાવત અનુભવી શકશો.

ગુલાબજળ પ્રાકૃતિક ઈસ્ટ્રિજન્ટ તરીકે કામ કરે છે.તે ત્વચાને લગતી તમામ સમસ્યાઓ માટે ટોનર તરીકે ઉપયોગી છે.આપણી ત્વચાને ક્લીનઝિંગ,ટોનિંગ અને મોઇશ્ચરાઇઝ કરવું એ ખૂબ મહત્વનું છે.આ બધામાં ઘણી વખત આપણે ટોનિંગને અવગણીએ છીએ.જ્યારે ત્વચાની સંભાળ માટે પણ ટોનિંગ એક મહત્વપૂર્ણ છે.આ માટે,ચહેરો ધોયા પછી એક રૂમ થોડું ગુલાબજળ લઈને તમારો ચેહરો સાફ કરો.આ તમારા ખુલ્લા છિદ્રોને બંધ કરવામાં સહાય તો છે જ,પણ ખીલ અને લાલાશની સમસ્યામાં પણ રાહત આપશે.

Advertisement
image source

તેનો દૈનિક ઉપયોગ તમારી ત્વચામાં કુદરતી ગ્લો પણ લાવશે.ગુલાબજળ ચહેરા પર રહેલા તેલને દૂર કરવામાં મદદ કરે છે.તે જ સમયે,તે બેક્ટેરિયાને અટકાવે છે જેનાથી પિમ્પલ્સ થાય છે.તે ત્વચા પરના ડાઘોને પણ નરમાશથી દૂર કરે છે.તેમાં હાજર એસ્ટ્રિજન્ટના ગુણધર્મો ત્વચાને સુધારવાનું કામ કરે છે.ગુલાબજળમાં રહેલા એન્ટીઓકિસડન્ટ ગુણો ત્વચાના કોષોને મજબૂત બનાવે છે,જેથી ત્વચા શુષ્ક ન લાગે અને તેમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો ઇજાઓ અને ઘાને મટાડવા માટે ફાયદાકારક છે.

જાણો ગુલાબજળનો ઉપયોગ કરવાની રીત

Advertisement
image source

-રૂને ગુલાબજળમાં પલાળી રાખો અને પછી તેને ચહેરા પર લગાવો.જો ત્વચા તેને શોષી લે પછી તમારી પસંદની ક્રીમ લગાવો.

-ગુલાબજળ દહીં અને લીંબુ સાથે મિક્સ કરો.આ મિશ્રણને ચહેરા પર લગાવો.આ ફોલ્લીઓ દૂર કરવામાં મદદ કરશે.

Advertisement

– દહીં, ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો.તેને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ચેહરો ધોઈ લો આ ઉપાય ત્વચાને નરમ અને સુંદર બનાવશે.

image source

-બરફની ટ્રેમાં ગુલાબજળ નાખો અને તેને ફ્રીઝરમાં રાખો.જ્યારે આ તે બરફના ટુકડા થઈ જાય,ત્યારે તે લઈને ચેહરા પર ઘસો.ત્વચા ઠંડી તો થશે જ,પણ તમારું બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહેશે.

Advertisement

– ગુલાબજળ દહીં સાથે મિક્સ કરો અને ત્વચા પર લગાવો,પછી ચેહરો સાફ પાણીથી ધોઈ લો.આ ઉપાયથી તમારી ત્વચા વધુ સુંદર થઈ જશે.
ગુલાબજળના ફાયદાઓ

– જો રોજ ગુલાબજળનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ચહેરા પર તેલના કારણે થતા પિમ્પલ્સની સમસ્યા ઓછી થાય છે.

Advertisement
image source

– સૂર્ય ત્વચાનો રંગ બદલી નાખે છે.ગુલાબજળ તમારો રંગ સુધારવામાં મદદ કરે છે.

– જો ચહેરા પર બળતરાની સમસ્યા હોય તો ગુલાબજળ લગાવો.ગુલાબજળથી તમને તાત્કાલિક રાહત મળશે.

Advertisement

-તે ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે.

-ગુલાબજળ શરીરના અથવા ત્વચાના કોઈપણ નિશાન દૂર કરવામાં પણ અસરકારક છે.

Advertisement

– શું તમે જાણો છો,ગુલાબજળનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા ચહેરા પરની કરચલીઓ પણ ઓછી થઈ શકે છે.આજના જીવનમાં,વધતા તણાવ અને સૂર્યના વધુ કિરણોની અસર આપણી ત્વચા પર પડે છે.આને કારણે, ચહેરા પર અકાળ વૃદ્ધત્વના નિશાન પણ દેખાય છે.આવી સ્થિતિમાં ગુલાબજળમાં હાજર એન્ટીઓક્સિડેન્ટના ગુણધર્મો ત્વચાની કરચલીઓ જેવી ઘણી સમસ્યાઓ દૂર કરે છે.તેથી ચેહરા પર કોઈ કરચલી અથવા કોઈ નિશાનો રહેતા નથી.જો તમે ઇચ્છો તો તમે ગુલાબજળથી બનેલો ફેસ પેક પણ ચેહરા પર લગાવી શકો છો.

image source

– આજના સમયમાં માનવીની લાઈફ દોડા-દોડીવાળી છે,જેના કારણે તણાવ હોવું ખુબ જ સામાન્ય છે.તણાવ,ધૂળ- માટી અને પ્રદૂષણના કારણે ચેહરા પર ફોલ્લીઓ અથવા કરચલીઓ આવવી સામાન્ય છે.આના કારણે આંખો હેઠળ કાળા વર્તુળોને પણ આવી શકે છે.આ સિવાય નિંદ્રાના અભાવને કારણે અથવા વધુ રડવાના કારણે,કાળા વર્તુળો થવા સામાન્ય છે.આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ગુલાબજળ એ સૌથી સહેલો અને ફાયદાકારક રસ્તો છે.ગુલાબજળમાં વિટામિન એ અને બી ગુણધર્મો હોય છે,જે ત્વચાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.આંખો હેઠળ કાળા વર્તુળો ઘટાડવા માટે તમારે ફક્ત એક ઉપાય કરવાની જરૂર છે.એક રૂના ટુકડામાં થોડું ગુલાબજળ નાખી તમારી આંખો પર થોડા સમય માટે રાખો.આ ઉપાય કાળા વર્તુળો તો દૂર કરશે જ,પરંતુ આંખોની થાકને પણ દૂર કરશે.

Advertisement

જાણો ગુલાબજળનું ફેસ પેક બનાવવાની રીત

image source

તમે ગુલાબજળથી તમારા માટે ઘણા પ્રકારના ફેસ પેક બનાવી શકો છો.તેનો ફેસ માસ્ક તમારી ત્વચા માટે બ્યુટી ટ્રીટમેન્ટ તરીકે કામ કરે છે અને તમને રિલેક્સ પણ કરે છે.

Advertisement

કેવી રીતે બનાવવું

ગુલાબજળ અને મિલ્ક ક્રીમ એકસાથે મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો.હવે આ પેસ્ટથી પાંચ મિનિટ સુધી તમારા ચહેરા પર માલિશ કરો.તે પછી તેને ચહેરા પર થોડા સમય માટે રહેવા દો અને ત્યારબાદ ચહેરાને હળવા પાણીથી સાફ કરો.

Advertisement
image source

આ સિવાય તમે ગુલાબજળનું ફેસ પેક બીજી રીતે બનાવી શકો છો.ગ્લિસરિન,લીંબુ અને ગુલાબજળને મિક્સ કરો.આ મિશ્રણને ચહેરા પર અને ગળા પર લગાવો.આ મિક્ષણથી તમારા ચેહરા પર 10 મિનિટ સુધી માલિશ કરી તેને રહેવા દો.ત્યારબાદ લગભગ 20 મિનિટ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version