Site icon Health Gujarat

ફણગાવેલા મગ તમને અનેક પ્રકારની બીમારીઓથી રાખશે દૂર, વાંચો આ લેખ અને જાણો તેના ફાયદા…

આજે અમે તમારા માટે લાવ્યા છીએ ફણગાવેલા મગના ફાયદા. હા, ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તેમાં ઘણા બધા એન્ઝાઇમ્સ હોય છે, જે પાચન માટે વધુ સારા હોય છે. તે કબજિયાત ને પણ મટાડે છે, તેમજ ચયાપચય ને પણ વેગ આપે છે. શરીર ના તમામ અંગો યોગ્ય રીતે કાર્ય કરવા માટે પ્રોટીનની સૌથી વધુ જરૂર હોય છે, જે સૌથી વધુ ફણગાવેલા કઠોળમાં જોવા મળે છે. ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં ખાંડનું સ્તર વધતું નથી.

ફણગાવેલા મગમાં જોવા મળતા પોષકતત્વો :

Advertisement
image socure

મગ, તે આખા હોય કે ધોવાયેલા હોય, પોષક તત્વોથી ભરપૂર હોય છે. અંકુરિત થયા પછી, તેમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામિન્સની માત્રા બમણી થઈ જાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક :

Advertisement
image soucre

આયુર્વેદના નોંધેલા ડોક્ટર અબરાર મુલતાની ના જણાવ્યા અનુસાર ફણગાવેલી મગની દાળમાં ગ્લુકોઝનું સ્તર ખૂબ જ ઓછું જોવા મળે છે. આનાથી ડાયાબિટીસના દર્દીઓ તેને સરળતાથી ખાઈ શકે છે. ફણગાવેલા કઠોળમાં એવા ગુણ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ફણગાવેલા મગ ખાવાના જબરદસ્ત ફાયદા :

Advertisement

તેમાં જોવા મળતું સોલિડ ફાઇબર તમારા માટે વજન ઓછું કરવા માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં સારી માત્રામાં આયર્ન હોય છે, જે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે. તેના સેવનથી શરીરમાં ખૂબ ફાઇબર આવે છે, જેનાથી કબજિયાત દૂર થાય છે. મગના ફણગાવેલા કઠોળનું દૈનિક સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શેવ્ડ સ્પ્રાઉટ્સ પેટની ગરમીને શાંત કરવાનું કામ કરે છે.

image soucre

મગમાં રહેલા ઉચ્ચ એન્ટી ઑક્સિડેન્ટ ગંભીર રોગોના જોખમ ઘટાડે છે. તેમાં રહેલા વિટેક્સિન અને ઈસોવિટેક્સિન થી હિટ સ્ટ્રોકની શક્યતા ઘટે છે. આ ઉપરાંત બેડ કૉલેસ્ટ્રોલ ને ઘટાડી હાર્ટ એટેકનો ખતરો પણ ટાળે છે. મગમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયલ હોવાને લીધે લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રહે છે. આ સિવાય ફાઈબર અને રેસિન્ટન્ટ સ્ટાર્સ પાચનક્રિયાને સરળ બનાવે છે.

Advertisement

આ ઉપરાંત મગમાં રહેલા ફોલેટ ને લીધે મહિલાઓને પ્રસૂતિ દરમિયાન રાહત રહે છે. ફણગાવેલા મગ ખાવાથી વાળ ખરતા અટકે છે. આમ, અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો. ફણગાવેલા મગમાં વિટામિન સી હોય છે જે નબળાઈને દૂર કરે છે. અને આપણા શરીરમાં એલર્જી આપે છે. ફણગાવેલા મગમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વાળ ને લાંબા અને કાળા રાખવામાં મદદ કરે છે.

કયા સમયે ફણગાવેલા મગનું સેવન કરવું ?

Advertisement
image soucre

ફણગાવેલા મગનું સેવન સવાર કે સાંજના નાસ્તામાં સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

Advertisement
Advertisement
Exit mobile version