મિત્રો, હાલ કેન્સરની સમસ્યા ભારત સહિત સમગ્ર વિશ્વમા દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે આજે આપણે આ લેખમા આ બીમારી અંગેની અમુક મહત્વની બાબતો વિશે માહિતી મેળવીશું. આજે અમે તમને અમુક નાની પણ અગત્યની એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારી જીંદગીમા અપનાવી લેશો તો તમને ખુબ જ લાભ થશે.
કેન્સરની સમસ્યા થવા પાછળ મુખ્ય કારણ તમાકુને ગણવામા આવે છે. સમગ્ર વિશ્વમા ૬૦ ટકા કેન્સરના કેસ એવા છે કે, જે લોકોને તમાકુના સેવનના કારણે આ સમસ્યા થઇ છે. ત્યારબાદ બીજુ કારણ છે આલ્કોહોલ. જેમ તમાકુનુ વધારે પડતુ સેવન તમને આ સમસ્યા તરફ ખેંચી જાય છે તેમ આલ્કોહોલનુ વધારે પડતુ સેવન પણ તમને આ બીમારીનો શિકાર બનાવી શકે છે.
આ સિવાય વધારે પડતુ માંસાહારનુ સેવન તથા મોટાપાની સમસ્યા પણ કેન્સરની સમસ્યા ઉદ્ભવવા માટે જવાબદાર કારણો છે. આ સિવાય જે વ્યક્તિ ફિઝીકલી વધારે પડતો એક્ટીવ ના રહેતો હોય તો તે પણ કેન્સરનો શિકાર બની શકે છે. માટે જો તમે કેન્સ
ખાણીપીણી :
જો તમે પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુઓનુ સેવન કરવાનો વધારે પડતો આગ્રહ રાખો છો, તો તમારુ સ્વાસ્થ્ય હમેંશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. બહારના પેકિંગ ફૂડમા અમુક એવી વસ્તુઓ ઉમેરવામા આવે છે કે, જે દેખાવમા તો તાજી લાગે છે પરંતુ, વાસ્તવિક રીતે વાસી હોય છે. આ વસ્તુમા કેમિકલ ભેળવીને તાજી રાખવામા આવે છે માટે શક્ય બને તો આવી ચીજવસ્તુઓ ના ખાવી જોઈએ.
આ ઉપરાંત ઋતુ વિરુદ્ધના શાકભાજી અને ફળોનુ સેવન પણ ના કરવુ જોઈએ. આ સિવાય માંસાહારનુ સેવન કરતા સમયે રેડ એન્ડ પ્રોસેસ્ડ મીટના સેવનથી બચો. આ ઉપરાંત ખૂબ વધારે પાણી પીવો તેનાથી કેન્સરકારક તત્વો યુરીનની સાથે જ બહાર નીકળી જાય છે અને કેન્સર થવાની શકયતા પણ ઘટીજાય છે.
જીવનશૈલી :
આપણે બાળપણથી જે રીતે જીવતા આવ્યા છીએ તે જ રીતે આગળ જીવવુ જોઈએ. ક્યારેય કોઈપણ વ્યક્તિની દેખાદેખી કરવામા આપણી સારી આદતો ના બદલવી જોઈએ. જો તમને વહેલી સવારે ઉઠીને વોકિંગ કરવાની આદત છે તો મોડી રાત સુધી જાગીને આ આદતને બદલવી જોઈએ નહિ.
માનસિક શાંતિ :
આજના સમયમા લોકો જો કોઈ વસ્તુ માટે ઝંખતા હોય તો તે છે માનસિક શાંતિ. લોકો હાલ માનસિક તણાવમા જ જીવવાનુ પસંદ કરવા લાગ્યા છે. સોશિયલ મીડિયાના ચક્કરમા આપણે પોતાની શાંતિ ગુમાવી દીધી છે. એક ટોળામા સાથે બેસવા છતા પણ લોકો એકબીજાની સાથે વાત કરતા નથી અને ફક્ત પોતાનો મોબાઈલમા જ વળગ્યા રહે છે અને ઈન્ટરનેટની ગુલામી કરે છે. જો આપણે આપણી લાગણીઓ બીજા વ્યક્તિને શેર કરતા નથી તો આપણી અંદર એવી ફ્રી ઓક્સિડેટિવ રેડિકલ્સ બનવા લાગે છે. જે ધીમે-ધીમે આપણા શરીરમા એકત્રિત થવા લાગે છે અને આપણા જીન્સને જ નુકસાન પહોંચાડે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત