Site icon Health Gujarat

ગરમ-ગરમ સંભાર પીવાથી દૂર થાય છે આટલી બધી બીમારીઓ, જાણો તમે પણ

સંભાર હવે માત્ર સાઉથ ઇંડિયાનો જ નહીં,પરંતુ આખા વિશ્વમાં પ્રખ્યાત છે.તે માત્ર સ્વાદમાં જ મહાન નથી,પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા સારા છે,જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.મોટાભાગના ડાયેટિશિયન પણ ઇડલી- સંભાર ખાવાની સલાહ આપે છે,કારણ કે તે ઘણા સ્વાસ્થ્ય લાભોનો ખજાનો છે.તો ચાલો જાણીએ ગરમ-ગરમ સંભાર ખાવાના સ્વાસ્થ્ય ફાયદા અને તેને બનાવવાની રીત

સંભાર પ્રોટીન સમૃદ્ધ આહારમાં શામેલ છે,કારણ કે તેમાં દાળની સારી માત્રા હોય છે,જે પ્રોટીનથી સમૃદ્ધ છે.તે હાડકાં,સ્નાયુઓની ત્વચાને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.તે શરીરને સ્વસ્થ રાખે છે.

Advertisement
image source

સંભાર બનાવવા માટે અનેક પ્રકારના શાકભાજીઓ ઉમેરવામાં આવે છે.તે ફાઇબરથી ભરપૂર છે,જે વજનને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે,કારણ કે સંભારના સેવનથી પેટ ભર્યું-ભર્યું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લગતી.જો તમારે વજન ઓછું કરવું હોય તો સંભારને તમારા આહારમાં શામેલ કરો.સંબર પાચનતંત્રને સુધારવામાં પણ મદદ કરે છે. જો પેટને લગતી સમસ્યા હોય તો, તે રાહત આપે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

image source

તમને જણાવી દઈએ કે,સંભારમાં પ્રોટીન બરાબર માત્રામાં હોય છે,જે વાળ માટે ઉપયોગી છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરને ત્રણ મેક્રોનટ્રિએન્ટ્સ જેવી કે ચરબી,કાર્બ્સ અને પ્રોટીનની જરૂર હોય છે.એટલા માટે સંભાર આપણા શરીર માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

Advertisement

તે પાચનતંત્રને સારી સ્થિતિમાં રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાને દૂર રાખે છે.

સંભારમાં એન્ટીઓકિસડન્ટ ગુણથી ભરેલા ઘણા તત્વો હોય છે.તેમાં લીમડાના પાંદડા,આમચૂર પાઉડર,લાલ મરચું,સરસવ,હળદર જેવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે જે એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતી છે.આ ગુણધર્મ શરીરના રેડિકલ્સને બહાર ફેંકી દેવામાં મદદ કરે છે.

Advertisement
image source

કેટલાક લોકો સંભારમાં સરગવાની સીંગ પણ નાખે છે.સરગવાની સીંગ અને બી આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

સંભાર શરીરને ડીટોક્સ કરવામાં પણ મદદ કરે છે.તેમાં હાજર દાળ,શાકભાજી,મસાલા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

Advertisement

સંભાર બનાવવાની રીત

image source

તુવેર દાળ સાફ કરીને ધોઈ લો.

Advertisement

હવે કૂકરમાં જરૂર મુજબ પાણી નાંખો,પછી તેમાં દાળ,થોડું ઘી,સ્વાદ પ્રમાણે મીઠું,હળદર,લાલ મરચું, આમલીનું પાણી રાંધવા માટે મૂકી દો.

હવે તે શાકભાજી લો,જે તમે સંભારમાં નાખવા માંગો છો,જેમ કે બટાકા,ટામેટાં,ગાજર,રીંગણ,સરગવાની શીંગો ,દૂધી વગેરે.તે બધા શાકભાજીઓને સારી રીતે ધોઈને કાપી લો.

Advertisement
image source

એક કડાઈમાં તેલ નાંખો.તેલ ગરમ થયા પછી તેમાં થોડી ડુંગળી,થોડું મીઠું,હળદર અને સંભાર મસાલા નાખી શાકભાજી રાંધવા માટે રાખી દો.
જ્યારે શાકભાજી સારી રીતે રંધાઈ જાય,ત્યારે તેમાં દાળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

સંભારને ફ્રાય કરવા માટે-

Advertisement
image source

એક કડાઈમાં ઘી લો.ઘી ગરમ થયા પછી તેમાં લાલ મરચાં,લીમડાના પાન,સરસવનાં દાણા,જીરું,લસણની કળીઓ અને હિંગ નાંખો અને તેને સારી રીતે તળી લો પછી તેમાં દાળ અને શાકભાજી નાંખો અને તેને ઢાંકી દો.થોડીવાર તેને ગરમ થવા દો પછી ગેસ બંધ કરો.તમારો હેલ્દી સંભાર તૈયાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version