Site icon Health Gujarat

વજન ઘટાડવા માટે સવારે ભૂખ્યા પેટે ચાવો આ પાંદડા, પાચન રહેશે મજબૂત અને સ્વાસ્થ્ય રહેશે નીરોગી…

કરી પાંદડા ખોરાક નો સ્વાદ વધારવા માટે વપરાય છે. પરંતુ તમને ખબર નહીં હોય કે કરી પાંદડામાં શ્રેષ્ઠ ઔષધીય ગુણધર્મો હોય છે, જે ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. કરી ના પાનનો ઉપયોગ વાળ ખરવાથી માંડીને વજન ઘટાડવા, ડાયાબિટીસ, ખોડા, મોઢાના ચાંદા વગેરે સુધી ની ઘણી સમસ્યાઓની સારવાર કરવામાં મદદ કરે છે. આયુર્વેદ મુજબ કરી ના પાનમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, વિટામિન્સ અને ઘણા ખનિજો હોય છે.

ફાયદા :

Advertisement
image soucre

આયુર્વેદિક નિષ્ણાત ડો. દીક્ષા કહે છે કે કરી પાંદડા નો ઉપયોગ કરવાની ઘણી રીતો છે. તમે તેનો ઉપયોગ પાવડર, હેર માસ્ક, હેર ઓઇલ, ચા અથવા તો કાચા ચાવી ને પણ કરી શકો છો. ચાલો આપણે તેના બધા ફાયદા અને ઉપયોગો જાણીએ.

વાળ ખરવા અથવા સમય પહેલા વાળ અકાળે સફેદ થવા :

Advertisement
image socure

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે વાળ માટે એક થી બે કપ નારિયેળ તેલ કે પસંદગી નું કોઈ પણ તેલ લો. પછી તેમાં મુઠ્ઠીભર કઢી પાંદડા ઉમેરો અને રાંધો. તેલ અને કઢી બંને પાન ઘેરા રંગના હોય ત્યારે તેલ ઠંડું કરી કાચના પાત્રમાં મૂકો. આમળા ને કઢી ના પાન સાથે પણ ઉમેરી શકાય છે. આ તેલને રાત્રે માથાની ચામડીથી વાળના છેડા સુધી લગાવો અને બીજા દિવસે સવારે હળવા શેમ્પૂથી ધોઈ લો.

ડેન્ડ્રફ અને માથાની જૂની સારવાર :

Advertisement
image soucre

કઢીના પાનની પાતળી પેસ્ટ બનાવો અને તેને ખાટી છાશ સાથે મિક્સ કરો. આ મિશ્રણ ને માથાની ચામડી પર લગાવો અને સૂકાઈ જાય ત્યારે સારી રીતે ધોઈ લો. ડેન્ડ્રફ (ખોડા માટેનો શ્રેષ્ઠ ઘરેલું ઉપાય) અને માથાની જૂ ઓથી છૂટકારો મેળવવા માટે, આ ઉપાયને અઠવાડિયામાં બે થી ત્રણ વખત અનુસરો અને વચ્ચે એક થી બે દિવસનું અંતર રાખો.

વજન ઘટાડવા માટે :

Advertisement
image socure

આયુર્વેદિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ દસ થી વીસ કરી પાન લઈને તેને પાણીમાં ઉકાળી લો. થોડી મિનિટો પછી પાણીને ગાળી લો. તેમાં એક ચમચી મધ અને લીંબુનો રસ ઉમેરો. તમારી ચરબી બર્નિંગ કરી લીફ ટી (કરી લીવ્સ ચા) તૈયાર છે. તેના સેવનથી વજન ઝડપથી ઘટશે.

મોઢાના અલ્સરની સારવાર :

Advertisement
image soucre

કરી ના પાન નો પાવડર મધ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટ ને મોઢાના અલ્સરની ઉપર લગાવો. બે થી ત્રણ દિવસમાં મોઢાના ચાંદા સંપૂર્ણ પણે દૂર થઈ જશે.

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને પાચન માટે કરી પાંદડા :

Advertisement
image soucre

એક્સપર્ટ ના જણાવ્યા મુજબ સવારે ખાલી પેટે આઠ થી દસ તાજા કરીના પાન ચાવીને ચાવીને તેનો રસ કાઢીને પીવો. તેને ડ્રિંક્સ, રાઇસ, સલાડ, ફૂડ વગેરેમાં પણ સામેલ કરી શકાય છે. કરી ના પાંદડામાં આલ્ફા-એમિલેસ નામનું શક્તિશાળી એન્ઝાઇમ હોય છે. જે આહાર સ્ટાર્ચ ને ગ્લુકોઝમાં તોડી નાખે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. બીજી તરફ આયુર્વેદ મુજબ કડવા શબ હોવાથી તે લીવર માટે ખૂબ ફાયદાકારક છે. જેનાથી પાચન ક્રિયા સુધરે છે.

Advertisement
Advertisement
Exit mobile version