Site icon Health Gujarat

જો તમે ડાયટમાં સામેલ કરશો આ 7 વસ્તુઓ, તો ક્યારે લીવરને લગતી નહિં થાય કોઇ તકલીફો

યકૃત આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અવયવોમાંનું એક છે. પિત્તાશય કાર્બોહાઈડ્રેટ સંગ્રહિત કરવા, પ્રોટીન બનાવવા, પોષક તત્વો ગ્રહણ કરવા અને પિત્ત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. લીવર આખા શરીરને ડિટોક્સ કરે છે. જ્યારે યકૃત સ્વચ્છ અને તંદુરસ્ત હોય ત્યારે શરીર સ્વસ્થ રહે છે.

આજના સમયમાં જે રીતે યકૃતની સમસ્યાઓ વધી રહી છે, તેના કારણે, ઘણા લોકોને સવાલ થાય છે કે યકૃત માટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? આપણી બદલાતી જીવનશૈલી અને આહારને લીધે ચરબીયુક્ત યકૃત, પિત્તાશયના ચેપ, યકૃતમાં થતી બળતરા સહિતની સમસ્યાઓ સહિત ઘણા રોગોને જન્મ આપ્યો છે. હંમેશાં સ્વસ્થ રહેવા માટે યકૃત મજબૂત હોવું જરૂરી છે, કારણ કે પેટની મોટાભાગની સમસ્યાઓ યકૃતના કારણે જ થાય છે, ચાલો જાણીએ તે ૭ વસ્તુઓ વિશે જે યકૃતને મજબૂત બનાવે છે.

Advertisement

બીટરૂટ :

image source

બીટરૂટ એન્ટી ઓક્સીડન્ટ, ખનિજો અને વિટામિનથી ભરપુર હોય છે. તે પિત્તને સુધારે છે અને શરીરમાંથી ઝેર બહાર કાઢવામાં મદદ કરે છે. બીટ આપના શરીર માટે ઘણું સારું માનવામાં આવે છે. તેનાથી આપણા લીવરને વધારે સુરક્ષિત રાખી શકાય છે.

Advertisement

બેરીઝ :

image soucre

ક્રેનબેરી અને બ્લુબેરી જેવી બેરીમાં એન્થોસીયાનિન રહેલું હોય છે. જે લીવરને ઘણા પ્રકારના નુકસાનથી બચાવે છે. આ એન્ટી ઓક્સીડન્ટ હોવાથી તે યકૃતને ઘણા પ્રકારની બિમારીથી બચાવે છે. તેથી તેમાં મારે બેરીઝ્નું સેવન અવસ્ય કરવું જોઈએ.

Advertisement

લસણ :

image source

લસણમાં એલિસિન કમ્પાઉન્ડ રહેલું છે જે આખા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. લસણમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટીબાયોટીક ગુણ ધર્મો રહેલા છે. તે આપણા લીવરને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે. તે બીજી પણ ઘણી બિમારીઓમાં તે ફાયદાકારક સાબિત થાય છે. તેની સાથે તે આપણા શરીર માંથી ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તેથી તેનું સેવન રોજે નિયમિત રીતે કરવું જ જોઈએ.

Advertisement

દ્રાક્ષ :

image source

તેમાં રહેલ એન્ટી ઓક્સીડન્ટ ગુણથી શરીરમાં થતી બળતરાને ઘટાડવામાં મદદ કરે છે. તેની સાથે તે યકૃતની કોશિકાને સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે. તેથી તમારે યકૃતને સ્વસ્થ રાખવા માટે આનું સેવન જરૂર કરવું જોઈએ.

Advertisement

હર્બ્સ :

image soucre

તેની અંદર ધાણા, હળદર, આદુ અને ડેન્ડીલીઅનનાં મૂળને મજબૂત ડીટોક્સ ફાયર માનવામાં આવે છે. આ બધી વસ્તુ આપના યકૃતને વધારે મજબૂત બનાવે છે.

Advertisement

કોફી :

image source

તેમાં રહેલ પોલિફેનોલ્સમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી જેવા ગુણ ધર્મો રહેલા હોય છે. તેનાથી સીરોસીસને વધવા દેતું નથી. તેનાથી આપનું યકૃત તંદુરસ્ત અને સુરક્ષિત બને છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version