Site icon Health Gujarat

આ ટ્રિ્ક અપનાવશો તો કાચા કેળા અને રીંગણાં કાપ્યા પછી નહિં પડે કાળા, જાણો તમે પણ

જ્યારે પણ રસોડામાં કાચા કેળા અથવા રીંગણાની કોઈ સારી રેસીપી બનાવવાની વાત આવે છે, ત્યારે તેને કાપવું એક મોટો પડકાર લાગે છે. ના ના, તેને કાપવામાં કોઈ સમસ્યા નથી પરંતુ તેને કાપીને રાખવું એ કોઈ યુદ્ધ કરતા ઓછું નથી લાગતું. ખરેખર તમે એ પણ જોયું હશે કે કાચા કેળા અને રીંગણાં કાપ્યાના થોડીવારમાં જ તેઓનો રંગ બદલી જાય છે અને શુદ્ધ સફેદ દેખાતી શાકભાજી કદરૂપી બની જાય છે. આવી સ્થિતિમાં, આપણા માટે એકમાત્ર ઉપાય એ જ છે કે તેમને શક્ય તેટલું જલ્દી રસોઈની પ્રક્રિયામાં વાપરવું. પરંતુ શું જો તમે આ શાકભાજીઓને પેહલાથી જ કાપીને રાખવા માંગો છો અથવા તમારે ઘણી શાકભાજી કાપવી પડશે એટલે પેહલા કાપો છો ? તપ આવી સ્થિતિમાં, અમે તમને અહીં કેટલાક સરળ ઉપાય જણાવીશું, જેની મદદથી તમે તમારા શાકભાજીને કાળા થવાથી બચાવી શકો છો. તો ચાલો જાણીએ એ પદ્ધતિ વિશે.

1. મીઠાના પાણીનો ઉપયોગ કરો

Advertisement
image soucre

એક મોટું વાસણ પાણીથી ભરો અને તેમાં બે ચમચી મીઠું નાખો. હવે શાકભાજી કાપવા બેસો. જેમ શાકભાજી કપાય તેમ આ મીઠાના પાણીમાં નાખો. આ ઉપાય અપનાવવાથી તમારી શાકભાજી બેરંગ થવાથી બચશે. જો તમારા કેળા અને રીંગણા પહેલાથી કાળા થઈ ગયા છે, તો પછી તમે આ કાળા શાકભાજીને આ પાણીમાં ઉનાખો મેરો અને 20 મિનિટ માટે રહેવા દો. પાણીમાં કાળાશ બહાર આવશે અને ત્યારબાદ તમે તેનો ઉપયોગ શાકભાજી સાફ કર્યા પછી કરી શકો છો.

2. લીંબુનો રસ વાપરો

Advertisement
image soucre

શાકભાજીની કાળાશ દૂર કરવા માટે મોટા વાસણમાં પાણી લો અને તેમાં એક લીંબુનો રસ મિક્સ કરો. તેમાં સુધારેલા રીંગણાં અને કાચા કેળા નાંખો અને તેને રહેવા દો. થોડા સમયમાં, તમારી શાકભાજી સફેદ અને તાજી દેખાવા લાગશે. ઘણા લોકો આ ટીપ્સને જેકફ્રૂટ માટે પણ વાપરે છે.

3. એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરો

Advertisement
image sourc

તમે એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરીને આ શાકભાજીને કાળા થવાથી બચાવી શકો છો. આ માટે તમે એક વાસણમાં પાણી અને તેમાં થોડું એપલ સાઇડર વિનેગર ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલ રીંગણાં અથવા કાચા કેળા નાંખો અને થોડા સમય માટે રહેવા દો. આ ઉપાય તમારી શાકભાજીમાંથી કાળાશ દૂર કરશે.

4. મીઠા સોડાનો ઉપયોગ કરો

Advertisement
image soucre

ખાવામાં સ્વાદ વધારવા ઉપરાંત, મીઠા સોડા તમારી શાકભાજીને તાજી રાખવામાં પણ મદદ કરી શકે છે. આ માટે એક મોટા વાસણમાં પાણી લો અને એક ચમચી મીઠા સોડા ઉમેરો. હવે તેમાં સુધારેલા કાચા કેળા અથવા રીંગણાં ઉમેરો. આ મિક્ષણ શાકભાજીની કાળાશને શોષી લેશે.

શા માટે શાકભાજી કાળા થાય છે ?

Advertisement
image soucre

ખરેખર, આ શાકભાજીમાં ઉત્સેચકો હોય છે જે હવાના સંપર્કમાં આવતાની સાથે જ ઓક્સિજન સાથે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે. આ કારણોસર, કેટલાક ફળો અને શાકભાજી કાપવા પર જ તેમની સપાટી કાળા અથવા ભૂરા રંગની થવા લાગે છે. તે આ શાકભાજી તંદુરસ્ત હોવાની ખાસિયત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version