Site icon Health Gujarat

જો આ રીતે લગાવશો ચહેરા પર મધ, તો સ્કિન થશે સુંવાળી અને સાથે થશે આટલા બધા ફાયદાઓ પણ

હવે ગાત્રો થીજવી દેતી ઠંડી પડવાની તૈયારી છે. આવા સમયે જો મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન ઓછુ કરવા માટે કરતા હોય છે. મધમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફેટ, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મધમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ પણ જોવા મળ્યા છે અને એટલે પણ મધ ફાયદાકારક હોય છે. મધનો honey ઉપયોગ કરવાથી અનેક રોગોથી છૂટકારો નથી મળતો, પરંતુ ત્વચાને Skin સુંદર બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. મધમાં ઘણાં પોષક તત્વો મળે છે, જે પિમ્પલ્સ અને કરચલીઓ સામે લડવામાં મદદ કરે છે. તેને નિયમિતપણે ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક વધે છે. તે ત્વચાના Skin છિદ્રોમાં સ્થિર અશુદ્ધિઓને દૂર કરે છે. તમે તેને તમારી ત્વચા Skin પર નિયમિત લગાવી શકો છો. થોડા દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી, તમે તમારા પોતાના ચહેરા પર સ્પષ્ટ તફાવત જોશો.

કેવી રીતે કરશો મધનો ઉપયોગ

Advertisement
image soucre

તમારા હાથમાં એક ચમચી મધ honey લો અને તેને આખા ચહેરા પર લગાવો. 10 મિનિટ માટે તેને છોડી દો. પછી ગરમ પાણીથી ધોઈ લો. આ સિવાય જો તમે ઈચ્છો છો તો ત્વચા પર 1 ચમચી છાશ, 1 ચમચી મધ honey લગાવો. 20 મિનિટ રોકાઈ ગયા પછી તેને ધોઈ લો.
ચહેરાના મેકઅપને મધ સાથે સાફ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે મધ honey અને ઓલિવ તેલ મિક્સ કરીને તેને ચહેરા પર લગાવો. પછી તેને કોટનથી સાફ કરો અને ગરમ પાણીથી ધોઈ લો. આને લગાવવાથી ચહેરા પરની બધા ખીલ દૂર થઈ જાય છે અને ચહેરા પર ગ્લો રહે છે. ત્વચામાંથી મૃત કોષોને દૂર કરવા માટે 2 ચમચી બદામ પાવડર અને મધ ઉમેરો. પછી તમારી ત્વચાને Skin સ્ક્રબ કરો અને તેને તાજા પાણીથી ધોઈ લો. બદામ ત્વચાને Skin એક્સફોલિયેટ કરવામાં મદદ કરે છે, જ્યારે મધ મોઇશ્ચરાઇઝરનું Moisturizer કામ કરે છે. જો શિયાળામાં Winter તમારી ત્વચા Skin શુષ્ક રહેતી હોય, તો પછી એક ચમચી મધમાં એક ચમચી ઓલિવ તેલ અને લીંબુનો રસ મિક્સ કરો.

સ્કિન સુંદર બનાવે છે

Advertisement
image source

ઠંડીમાં મધથી ચહેરા પર 30 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. તે સ્કિન માટે નેચરલ મોશ્ચેરાઈઝરનું કામ કરે છે. તેનાથી સ્કિનમાં મોઈશ્ચર જળવાઈ રહે છે. તમે ખીલ, દાગ-ધબ્બા અને સ્કિન ડ્રાયનેસથી પણ બચી શકો છો.

એન્ટી એજિંગ

Advertisement
image source

મધમાં એન્ટી એજિંગ ગુણ હોય છે. જે સ્કિનમાં પડતી કરચલીઓની સમસ્યાને રોકે છે. આ સાથે જ મધ ખાવાથી કે લગાવવાથી મૃત કોશિકાઓમાં જીવ આવે છે.

image source

ત્વચાનો રંગ નીખારે છે. ત્વચાનો રંગ નીખારવા માટે મધ, દૂધ, પપૈયુ અને મિલ્ક પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને પછી સૂકાઈ જાય એટલે ચહેરો ધોઈ નાખો. રોજ આ પેક લગાવવાથી ત્વચાનો રંગ નીખરવા લાગશે.

Advertisement

વાળ સંબંધિત સમસ્યાઓ દૂર કરે

image soucre

મધમાં જૈતુનનું તેલ મિક્સ કરીને રાતે સૂતા પહેલા વાળના છેડા અને સ્કલ્પ પર લગાવો. સવારે વાળ શેમ્પૂથી ધોઈ નાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછુ બે વાર આ રીતે કરવાથી બે મોઢાવાળા વાળ, ડેન્ડ્રફ અને રૂક્ષવાળની સમસ્યા દૂર થશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version