Site icon Health Gujarat

જો તમે રાત્રે ઊંધતા પહેલા ચહેરા પર લગાવશો નારિયેળનું તેલ, તો સવારમાં ઉઠતાની સાથે જ જોવા મળશે આ ફાયદાઓ

નાળિયેર તેલમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે શુષ્ક અને નીરસ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.આ ઉપરાંત તે કોલેજનનું ઉત્પાદન પણ વધારે છે.

ત્વચા પર રહેલા પિમ્પલ્સ દૂર કરવા ખૂબ જ મુશ્કેલ છે.ઘણી વખત પિમ્પલ્સ તો ચેહરા પરથી ઓછા થઈ જાય છે,પરંતુ તેના ડાઘ લાંબા સમય સુધી રહે છે.આ સિવાય ઘણા લોકોને ત્વચાની શુષ્કતાની સાથે કરચલીઓની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.લોકો આ માટે ઘણાં મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે જેથી તેઓ નરમ અને ચમકતી ત્વચા મેળવી શકે.

Advertisement
image source

મહિલાઓ ઓફિસના કામમાં તેમ જ પરિવારને સંભાળવામાં વ્યસ્ત રહે છે, જેના કારણે તેઓ તેમના ચહેરાની વિશેષ કાળજી લઈ શકતા નથી.આવી સ્થિતિમાં સૂતા પહેલા તમારે તમારી ત્વચાની સંભાળ રાખવા માટે થોડો સમય આપવો જોઈએ.જો રાત્રે સુતા પહેલા ત્વચા પર નાળિયેર તેલ લગાવવામાં આવે તો તે તમારા ચેહરાને નિખારવામાં ઘણી મદદ કરે છે.તો ચાલો અમે તમને જણાવીએ નાળિયેર તેલ લગાવવાથી ચેહરા પર શું ફાયદાઓ થાય છે અને નાળિયેર તેલ ચેહરા પર લગાવવાની યોગ્ય રીત.

કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે

Advertisement
image source

આગળ જણાવ્યા પ્રમાણે નાળિયેર તેલમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે,જે શુષ્ક અને નીરસ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.નાળિયેર તેલમાં લોરિક એસિડ હોય છે જે કોલેજનના ઉત્પાદન પર ફાયદાકારક અસર કરે છે. કોલેજન ત્વચાને બેદાગ અને ત્વચાનો ગ્લો જાળવવામાં મદદ કરે છે.આ સાથે તે કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.નાળિયેર તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે જે ત્વચાને કોઈપણ પ્રકારના ચેપથી દૂર રાખે છે.તેમાં વિટામિન ઇ,કે અને એન્ટી-ઓક્સિડેન્ટ્સ પણ શામેલ છે જે ત્વચાના કોષો માટે ઉપયોગી છે અને ત્વચામાં કડકતા પણ લાવે છે.આ સાથે નાળિયેર તેલનો ઉપયોગ ચેહરા પર કરવાથી ચેહરો બેદાગ રહે છે.

હોઠને નરમ બનાવે છે.

Advertisement
image source

નાળિયેર તેલનો ઉપયોગ હોઠ પર પણ થાય છે.ખરેખર નાળિયેર તેલમાં હાજર તત્વો હોઠની ત્વચાને મોસ્ચ્યુરાઇઝ કરવામાં મદદ કરે છે.નાળિયેર તેલનો ઉપયોગ હોઠને નરમ કરવા માટે થાય છે.નાળિયેર તેલમાંથી વધારે સુગંધ આવતી નથી.આ કારણોસર તેનો ઉપયોગ લિપ બામ તરીકે પણ થઈ શકે છે.શિયાળાના સમયમાં ઠંડીના કારણે તમારા હોઠ ફાટી જાય છે,ત્યારે આ સમસ્યાથી બચવા માટે તમારા હોઠ પર નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો.આપણા ઘરમાં રહેલા દાદા-દાદી અથવા નાના-નાની શિયાળા સમયમાં કોઈપણ ક્રીમનો ઉપયોગ નહીં કરે,તેઓ માત્ર નાળિયેર તેલનો જ ઉપયોગ કરશે.શિયાળાના સમયમાં ત્વચાને રક્ષણ આપવા માટે નાળિયેર તેલ ખુબ જ ઉપયોગી છે.

ત્વચાને રક્ષણ આપે છે

Advertisement
image source

નાળિયેર તેલ ત્વચાને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવામાં મદદ કરી શકે છે.નાળિયેર તેલ સૂર્યના હાનિકારક કિરણોના 20 ટકા સુધી અવરોધિત કરી શકે છે.એક સંશોધન દ્વારા જાણવામાં આવ્યું છે કે નાળિયેર તેલમાં શ્રેષ્ઠ સૂર્ય સંરક્ષણ પરિબળ છે,જેના કારણે તેનો ઉપયોગ ઘણા સન સ્ક્રીનોમાં પણ થાય છે.તેથી કહી શકાય કે નાળિયેર તેલ ત્વચા માટે ખુબ જ ઉપયોગી છે.

આ રીતે રાત્રે સુતા પહેલા નાળિયેર તેલનો ઉપયોગ કરવો

Advertisement
image source

રાત્રે સુતા પહેલા ચેહરા પર જ્યાં-જ્યાં ડાઘ-ધબ્બા છે,ત્યાં થોડું નાળિયેર તેલ લગાવો.આ સિવાય તમે આખા ચહેરા પર નાળિયેર તેલ લગાવીને હળવા હાથે મસાજ પણ કરી શકો છો.સવારે ઉઠ્યા પછી ચહેરાને થોડા ગરમ પાણીથી ધોઈ લો.જો તમારી ત્વચા ખૂબ તૈલી હોય તો નાળિયેર તેલ લગાવવાનું ટાળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version