Site icon Health Gujarat

જાણો સ્લીપ એપનિયા વિશે A TO Z માહિતી, સાથે જાણો આ વિશે કોરોનાને લઇને શું થયો રિચર્સમાં ખુલાસો

સ્લીપ એપનિયાથી પીડિતોને કોરોના વાયરસના ચેપનું વધુ જોખમ રહે છે. સંશોધનથી સ્લીપ એપનિયાની સારવાર ન કરવા અને કોરોના ચેપના ઉંચા દર વચ્ચેનો સંબંધ બહાર આવ્યો છે. સંશોધનકારોએ પણ જાડાપણું, તીવ્ર રોગો અને જૂની બીમારીઓના કારણે દવાઓનું સેવન કરતા લોકોમાં કોરોના થવાનું વધુ જોખમ છે, તે સાબિત કર્યું છે.

image source

કોરોના વાયરસના પરિણામ રૂપે અવરોધક સ્લીપ એપનિયા પીડિતોને કોવિડ -19 દ્વારા અસર થવાનું મોટું જોખમ છે. એક સંશોધનથી આ વાત બહાર આવી છે. તે નોંધવું યોગ્ય છે કે સ્લીપ એપનિયાની સમસ્યામાં, ઊંઘતી વખતે પીડિતનો શ્વાસ થોડા સમય માટે અટકી જાય છે. આ સમય દરમિયાન, તેના શરીરને સંપૂર્ણ ઓક્સિજન મળતું નથી. જ્યારે શ્વાસ તૂટી જાય છે, આંખ ખુલે છે અને તે ઉઠી જાય છે, ત્યારે જ તે લોકોને શ્વાસ ઝડપથી શરુ થાય છે. જે સ્વાસ્થ્ય માટે સારું નથી.

Advertisement

સ્લીપ એપનિયા પીડિતોને કોરોનાનું જોખમ વધારે છે

image source

સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે જે લોકોએ સૂવાના સમયે સીપીએપી થેરેપીનો વધુ ઉપયોગ કર્યો છે, તેમને ઉકોવિડ -19 નું જોખમ વધારે છે. સંશોધન માટે આશરે 82,000 યુ.એસના દર્દીઓના ડેટાનું મૂલ્યાંકન કરાયું હતું. 2015 અને 2020 ની વચ્ચે તેને ઊંઘની સમસ્યા હતી. તેમાંથી દોઢ હજાર જેટલા લોકો કોરોના તપાસમાં હકારાત્મક જોવા મળ્યા હતા. દોઢ હજારમાંથી 224 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે 61 ને આઈસીયુમાં દાખલ કરાવ્યા હતા અથવા તેમનું મોત નીપજ્યું હતું.

Advertisement

સારવાર ન કરાયેલ અને ચેપના ઉચ્ચ દરમાં સંબંધ

image source

સંશોધનથી સ્લીપ એપનિયાની સારવાર ન કરવા અને કોરોના ચેપના ઉંચા દર વચ્ચેનો સંબંધ બહાર આવ્યો છે. સંશોધન દરમિયાન, સંશોધનકારોએ પણ જાડાપણું, ક્રોનિક રોગો અને દવાઓ લેનારાઓમાં કોવિડ -19 ચેપનો ઉંચો દર શોધી કાઢ્યો હતો. અશ્વેત અને હિસ્પેનિક દર્દીઓમાં પણ કોવિડ -19 ચેપના ઉંચા દર જાહેર થયા હતા. જોકે વૃદ્ધાવસ્થામાં સામાન્ય રીતે કોરોના વાયરસના ચેપનું જોખમ વધારે હોય છે, પરંતુ સંશોધનમાં વધતા વય સાથે સંકળાયેલ ચેપનો દર ઓછો મળ્યો છે.

Advertisement
image source

સંશોધનકારો એ શોધીને આશ્ચર્યચકિત થયા કે સી.પી.એ.પી. થેરાપીનો ઉપયોગ કરતા સ્લીપ એપનિયાના દર્દીઓમાં કોવિડ -19 ચેપનો દર ઘણો ઓછો હતો. તેઓએ અહેવાલ આપ્યો કે જ્યારે એક રાતમાં રોગચાળા દરમિયાન ઓછામાં ઓછા ચાર કલાક ઉપચારનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારે તે ચેપનો દર ઓછો હતો. તેમણે જણાવ્યું હતું કે સંશોધન આગળ સી.પી.એ.પી. ઉપચારના સીધા શારીરિક ફાયદાઓને સમર્થન આપે છે.
જો તમને પણ ઊંઘતા સમયે કોઈ સમસ્યા અથવા શ્વાસ લેવામાં કોઈ તકલીફ થાય છે. તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો અને તેમના જણાવ્યા અનુસાર સારવાર લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version