Site icon Health Gujarat

અપૂરતી ઊંઘથી સ્વાસ્થ્યને એક નહિં, પણ થાય છે આટલા બધા નુકસાન, જાણો અને સમય કરતા પહેલા ચેતો તમે પણ

વર્તમાન સમયમાં કામના વધતા દબાણ અને તણાવપૂર્ણ જીવનની અસર આપણી ઉંઘ પર ખરાબ રીતે થઈ છે. ઘણીવાર રાત્રે યોગ્ય રીતે ઉંઘ ન આવવાની સમસ્યાથી લોકો પરેશાન થાય છે અને ઉંઘ માટેની ગોળીઓ પણ લે છે, પરંતુ આ ગોળીઓ તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આજે આજે અમે તમને એવા આસાન વિશે જણાવીશું જે તમારી ઉંઘની સમસ્યા દૂર કરશે.

image source

વિપરીતકર્ણી આસન તમને સારી ઉંઘ લાવવા માટે ખૂબ મદદ કરે છે, પરંતુ જો તમને ગળાના દુખાવાની સમસ્યા હોય અથવા તમને કોઈ હાર્ટ રોગ હોય તો આ આસન ન કરો.

Advertisement

સુપ્ત મત્સ્યન્દ્રાસન પણ ઉંઘની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરે છે, પરંતુ જેમને કમરનો દુખાવો, ઘૂંટણની પીડા અથવા સ્લિપ ડિસ્કની સમસ્યા હોય તેઓએ આ આસનથી બચવું જોઈએ.

આ સિવાય ઉંઘના અભાવથી થતા રોગો વિશે જાણો.

Advertisement

1. ડાયાબિટીસ

image source

જો તમને સારી ઊંઘ ન આવે તો ખાંડ અને જંક ફૂડ ખાવાની ઈચ્છા વધે છે.આ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ જેવા રોગોનું જોખમ વધારે છે.

Advertisement

2. ઓસ્ટીયોપોરોસિસ

image source

સારી ઊંઘ ન આવવાને કારણે હાડકાં નબળા પડવા લાગે છે.આ સિવાય હાડકામાં હાજર ખનીજનું સંતુલન પણ બગડે છે.આને કારણે,સાંધાના દુખાવાની સમસ્યા ઉભી થાય છે.

Advertisement

3. કેન્સર

image source

ઘણા સંશોધન દ્વારા બહાર આવ્યું છે કે ઓછી ઊંઘના કારણે સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે.ઉપરાંત, શરીરના કોષોને પણ ઘણું નુકસાન થાય છે.

Advertisement

4. હાર્ટ એટેક

image source

જ્યારે આપણે સૂઈએ છીએ,ત્યારે તે આપણા શરીરની આંતરિક સમારકામ અને સફાઈનો સમય હોય છે પરંતુ ઊંઘના અભાવને કારણે,શરીરના ઝેર સાફ થતા નથી અને જેના કારણે હાઈ બ્લડ પ્રેશર વધવાની સંભાવના છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ વધે છે.

Advertisement

5. માનસિક સ્થિતિ પર અસર

image source

ઓછી ઊંઘ પણ સીધી આપણી માનસિક સ્થિતિને અસર કરે છે.જ્યાં સુધી આપણે સૂઈએ છીએ,ત્યાં સુધી આપણું મગજ પણ નવી ઉર્જા ભેગી કરે છે.પરંતુ નિંદ્રાના અભાવને લીધે મગજ શાંત થતું નથી,જેના કારણે ઘણી માનસિક સમસ્યાઓ થાય છે અને કેટલીક વાર મેમરીને લગતી સમસ્યા પણ થાય છે.

Advertisement

તમારી ઉંઘ ના આવવાની સમસ્યા દૂર કરવા માટે આ બાબતની કાળજી જરૂરથી લો.

image source

જો તમને સારી ઊંઘ જોઈએ છે, તો પછી તમારે ચા અને કોફી ઓછા પીવા જોઈએ. જો રાતના સમયે ચા અથવા કોફી ના પીએ તો તમને સારી ઊંઘ મળે છે અને જો તમારે ચા અથવા કોફી પીવા જ હોય તો તેના બદલે તમે દૂધ પી શકો છો. અન્ય પ્રકારની દવાઓથી દૂર રહો. આયુર્વેદ કહે છે, જો તમે દૂધમાં જાયફળ ઉમેરો તો તમને સારી ઊંઘ આવે છે. આ પાચનમાં સુધારો કરશે. સારી ઉંઘ માટે હળદરનું દૂધ પણ પી શકાય છે. તેનાથી ગળાના રોગો પણ દૂર થશે. દૂધમાં કેસર નાખીને પીવાથી ઉંઘ ના આવવાની તકલીફ દૂર થાય છે. સારી ઊંઘ માટે મસાજ પણ એક સરસ રીત છે. સૂતી વખતે રાત્રે પગમાં માલિશ કરો. સરસવના તેલની માલિશ કરવી જરૂરી છે. સરસવનું તેલ ખાસ કરીને ઠંડા દિવસોમાં હાડકાં અને સ્નાયુઓ માટે ફાયદાકારક છે. સારી ઊંઘ માટે આયુર્વેદમાં ઘણી ઔષધિઓ જણાવી છે. જેમ કે અશ્વગંધા, તાગવા અને શંખપુષ્પી ખાવાથી શરીરને આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version